જામનગર ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારના ગામડાઓને જોડતા વિવિધ રોડ-રસ્તાના કામોને મળી મંજૂરી

જામનગરના પ્રજાજનોની સુવિધામાં થશે વધારો હિન્દ ન્યુઝ,vજામનગર       રાજ્યના કૃષિ મંત્રી અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય શ્રી રાઘવજી પટેલની રજૂઆતને ગ્રાહ્ય રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જામનગર અને જોડિયા તાલુકાના અનેક ગામોને જોડતા માર્ગોનું નવીનીકરણ કરવાના કામોને મંજૂરી આપવામાં આવી છે. જામનગરના પ્રજાજનોની સુવિધામાં વધારો કરતા નિર્ણય બદલ કૃષિ મંત્રીએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ અંગે માહિતી આપતા કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, જામનગર જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હેઠળ સાત વર્ષથી જૂના રસ્તાઓનું ‘કિસાન પથ યોજના’ તેમજ ‘ખાસ મરામત યોજના’ હેઠળ રીસર્ફેસિંગ કામ હાથ…

Read More

૭૫મા ગણતંત્ર દિવસે કર્તવ્ય પથ પર પ્રસ્તુત થયેલી ગુજરાતની સાંસ્કૃતિક અને પ્રવાસન વિરાસત ઝાંખી બીજા વર્ષે પણ દેશની જનતાની પ્રથમ પસંદગી બની

હિન્દ ન્યુઝ, જામનગર     વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે કચ્છમાં શરૂ કરાવેલો રણોત્સવ ધોરડો અને કચ્છના ગ્રામીણ જીવનમાં સામાજિક, આર્થિક, પર્યાવરણીય ઉન્નતિનો મોટો આધાર બન્યો છે. તેમના દિશાદર્શનમાં રાજ્ય સરકારે ૨૦૦૬થી ધોરડો ખાતે રણોત્સવનો પ્રારંભ કરીને તેને વિશ્વફલક પર પ્રસ્થાપિત કર્યું હતું. ધોરડો આજે પ્રવાસનની વૈશ્વિક ઓળખ બન્યું છે.આ ઓળખના પરિણામરૂપે યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા વિશ્વના શ્રેષ્ઠ ટુરીઝમ વિલેજની યાદીમાં સમાવેશ કરીને ‘વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ’નો એવોર્ડ ૨૦૨૩માં એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાતને મળેલા આ ગૌરવ સન્માન ‘ધોરડો વર્લ્ડ ટુરીઝમ વિલેજ-UNWTO’ની થીમ આધારિત ઝાંખી…

Read More

ગુલાબનગર શાળા નં.૫૯ ખાતે શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, જામનગર      ભૂકંપ, પૂર, વાવાઝોડું, ઓદ્યોગિક અકસ્માત,આગ જેવી બહુવિધ આપત્તિઓ સમયે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાં આપત્તી અને આપત્તી વ્યવસ્થાપન અંગે જાગૃતિ કેળવાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા શાળા સલામતી કાર્યક્રમ અમલમાં મુકાયો છે. જે કાર્યક્રમ અંતર્ગત શહેરની ગુલાબનગર શાળા નં.૫૯ ખાતે શાળા સલામતી સપ્તાહ ઉજવણી માટે વંદે ગુજરાત ચેનલ પર રાજ્યમંત્રી પ્રફૂલ પાનસેરિયા અને જી.એસ.ડી.એમ.એ.ના મુખ્ય કારોબારી અધિકારીશ્રી અનુપમ આનંદ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શીત કરાયાં હતા.આ પ્રસંગે જિલ્લા વહીવટી તંત્રમાંથી શહેર પ્રાંત અધિકારી પી.બી.પરમાર, ડીઝાસ્ટર મામલદાર, ડીઝાસ્ટર ડીપીઓ તથા શહેર ફાયર વિભાગમાંથી ફાયર ઓફિસર અને ડીઝાસ્ટર પ્રોજક્ટ…

Read More

ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ શિક્ષાપાત્ર ગુન્હો કરનાર શખ્સોને અદાલત સમક્ષ હાજર થવા જાહેરનામુ બહાર પડાયું

હિન્દ ન્યુઝ, જામનગર      સાહિલભાઇ શોકતભાઇ મલ્લેક, રહે:- ટીંટોડીવાડી, મહમદી એપાર્ટમેન્ટ, ખોજા ગેટ પાસે,જામનગર કે જેઓએ ઔષધ અને સૌંદર્ય પ્રસાધન ધારા હેઠળ શિક્ષાપાત્ર ગુન્હો કર્યો છે તથા ઈકબાલભાઇ હુશેનભાઇ ખફી રહે- મસીતીયા કન્યાશાળા સ્કુલની બાજુમાં, તા.જી.જામનગર કે જેઓએ ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ શિક્ષાપાત્ર ગુન્હો કર્યો છે તેમજ તે પરથી કાઢવામાં આવેલાં ધરપકડ વોરંટ પર થઈ આવેલ શેરા અનુસાર સદહરૂ સખશો મળી આવતા નથી તથા ફરાર થઈ ગયા છે અથવા વોરંટની બજવણી ન થાય તે માટે સંતાતા કરે છે. આથી આ જાહેરનામાં અન્વયે ફરમાવવામાં આવે છે કે સાહિલભાઇ…

Read More

જુની સીરીઝમા બાકી રહેલા વિવિધ પ્રકારના વાહનો માટે ગોલ્ડન તથા સિલ્વર નંબરના ઇ-ઓકસનની પ્રક્રિયા હાથ ધરાશે

હિન્દ ન્યુઝ, જામનગર       જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લીકના વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, ટુ વ્હીલર, થ્રી વ્હીલર(ઓટો રિક્ષા), ફોર-વ્હીલર, હેવી ગુડ્ઝ વાહન તથા અન્ય ટ્રાન્સપોર્ટ વાહનો માટેની તમામ જુની સીરીઝમા બાકી રહેલા ગોલ્ડન, સિલ્વર નંબરના ઇ-ઓકસનમાં ભાગ લેવા માટે ઓનલાઇન અરજીનો સમયગાળો ૦૧-૦૨-૨૦૨૪ થી ૦૫-૦૨-૨૦૨૪ તથા ઇ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો ૦૫-૦૨-૨૦૨૪ થી ૦૭-૦૨-૨૦૨૪ અને ઇ-ઓકશનનું પરિણામ તા.૦૭-૦૨-૨૦૨૪ના બપોરે ૦૪.૦૦ કલાક પછી રહેશે. આ પ્રકિયામાં ભાગ લેવા વાહન માલિકોએ સૌ પ્રથમ www.parivahan.gov.in વેબસાઇટ પર જઇને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ યુઝર આઇડી અને પાસવર્ડ મેળવવાના રહેશે. યુઝર આઇડી અને પાસવર્ડ…

Read More

જામનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે શહીદ દિન નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

હિન્દ ન્યુઝ, જામનગર      ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે નામી- અનામી શહીદવીરોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે, તેવા શહીદ વીરોની સ્મૃતિમાં દર વર્ષે તારીખ 30 જાન્યુઆરીના રોજ શહીદ દિન નિમિત્તે સવારે 11:00 કલાકે 2 મિનિટનું મૌન પાળવામાં આવે છે. ત્યારે જામનગર કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર કચેરીના અધિકારીઓ અને કર્મચારીગણ દ્વારા દેશ માટે પ્રાણની આહુતિ અર્પણ કરનારા શહીદ વીરો પ્રત્યે ઋણ અદા કરવા માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.  

Read More

જામજોધપુર ખાતે પશુ સારવાર અને નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, જામજોધપુર       રાજ્ય સરકારના માર્ગદર્શન તળે જામનગર જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગ અને ગૌ સેવા મંડળ દ્વારા જામજોધપુર ખાતે પશુ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વ.રામકુંવરબેન ગોપાલભાઈ કતીરા પરિવારના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં જામજોધપુર ગૌશાળા ખાતે વિનામૂલ્યે પશુરોગ નિદાન સારવાર અને શસ્ત્ર ક્રિયા કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં મેડીસીન વિભાગમાં 28, સર્જરી વિભાગમાં 16, ગાયનેક વિભાગમાં 33, ડીવીંગમાં 400 તથા 112 લાભાર્થી પશુપાલકોના કેસ મળીને કુલ 842 જેટલા પશુઓની સારવાર કરવામાં આવી હતી. કાર્યક્રમની શરુઆત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. આ સમગ્ર…

Read More

જામનગરમાં ખેલ મહાકુંભ 2.0 અન્વયે ઝોનકક્ષા અને શહેરકક્ષાની ચેસ સ્પર્ધાનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર       ખેલ મહાકુંભ 2.0 કાર્યક્રમ અંતર્ગત જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી- જામનગર દ્વારા વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં, ઝોન કક્ષાની ચેસ સ્પર્ધામાં 4 વિવિધ ઝોનમાંથી 600 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જે અન્વયે, એસ.બી.શર્મા વર્લ્ડ સ્કૂલ ખાતે જામનગર શહેર કક્ષાની ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ 6 વયજુથમાં સમાવિષ્ટ 48 જેટલા ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સમગ્ર સ્પર્ધાનું સંચાલન સ્પોર્ટ્સ કો-ઓર્ડિનેટર હાર્દિકભાઈ જોષીએ કર્યં હતું.    

Read More

બોટાદ નગરપાલિકાના સ્વચ્છતા સેનાનીઓએ બોટાદની મધ્યમાંથી પસાર થતી નદી ચોખ્ખી-ચણાક કરી

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોય અને જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાનિયાના માર્ગદર્શન અન્વયે બોટાદ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલના નેતૃત્વમાં સમગ્ર બોટાદમાં સ્વચ્છતા અભિયાને જોર પકડ્યું છે. ત્યારે બોટાદ નગરપાલિકાના સ્વચ્છતા સેનાનીઓએ બોટાદની મધ્યમાંથી પસાર થતી નદી ચોખ્ખી-ચણાક કરી દીધી છે.  સ્વચ્છતા સૈનિકોની રાત-દિવસની મહેનત હવે સ્પષ્ટ જોવા મળી રહી છે. ત્યારે આપણે સૌ જાગૃત નાગરિક બનીએ. વહીવટી તંત્રની દિવસોની મહેનતને પ્રોત્સાહન આપીએ અને કચરો કચરા પેટીમાં જ નાખવાનો આગ્રહ રાખીએ. નદીમાં નાખેલા કચરાથી આસપાસના સમગ્ર વિસ્તારમાં પ્રદૂષણ ફેલાય છે અને તેનો ભોગ આપણે તો બનીએ જ…

Read More

જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના હસ્તે બાકરોલ ખાતે રૂ. ૧ કરોડના ખર્ચે નિર્મિત સ્માર્ટ લાયબ્રેરી તથા ઇ-લાયબ્રેરીનું લોકાર્પણ

હિન્દ ન્યુઝ, આણંદ  રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકના ગ્રંથાલય ખાતા દ્વારા આણંદ જિલ્લાના બાકરોલ ખાતે સરકારી જિલ્લા પુસ્તકાલયમાં રૂપિયા ૧ કરોડના ખર્ચે તમામ જરૂરી સુવિધાઓ સાથેની સ્માર્ટ લાયબ્રેરી તથા ઇ-લાયબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના હસ્તે મંગળવારે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.   આ પ્રસંગે કલેકટરએ જણાવ્યું હતું કે જિલ્લાના સરકારી ગ્રંથાલય ખાતે અંદાજીત ૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓ વાંચવા-ભણવા અર્થે આવે છે. રાજ્ય સરકાર દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પુસ્તકાલયોને અદ્યતન કરવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે તે અંતર્ગત આણંદના સરકારી પુસ્તકાલયમાં…

Read More