હિન્દ ન્યુઝ, ગૃહિણીઓ માટે ઘરે બેઠાં આવકનાં સ્ત્રોત વધારવા અને અન્ય ઉપાજનયો માટે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દિવ પ્રશાસન દ્વારા કાર્યરત સોશ્યલ વેલ્ફેર વિભાગના સોશ્યલ વેલ્ફેર સેક્રેટરી શ્રીમતી પૂજા જૈન તેમજ ડે. સેક્રેટરી જતીન ગોયલનાં દિશા નિર્દેશન હેઠળ તેમજ દિવ જિલ્લાના કલેક્ટર શ્રીમતી સલોની રાયનાં માર્ગદર્શનથી જિલ્લામાં કાર્યરત મહિલા શક્તિ કેન્દ્ર દિવ વિભાગ દ્વારા બેટી બચાવો-બેટી પઢાઓ અભિયાન અંતર્ગત ઘોઘલા સ્વંય સહાયતા જુથનાં બહેનો માટે કોમ્યુનિટી હોલ ઘોઘલા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ સમૂહમાં પ્રાર્થના વંદના કરી બાદમાં વિભાગનાં જિલ્લા સમન્વયક પારકરા…
Read MoreDay: July 5, 2021
વિરમગામ ચીફ ઓફિસર ને કોંગ્રેસ પક્ષ ના આગેવાનો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, વિરમગામ વિરમગામ શહેર ના વોર્ડ નં ૧ના ભાજપ ના ૨ કાઉન્સિલર અને ૧મહિલા કાઉન્સિલર ના પતિ સુજલામ સુફલામ્ યોજના અંતરગત રોયલ્ટી ધારક પાસે થી ૨૦.૦૦૦ ની લાંચ લેતા ACBએ પકડેલ લાંચિયા કાઉન્સિલરો ને સસ્પેન્ડ કરવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા વિરમગામ નગરપાલિકા ના ચીફ ઓફિસર ને આવેદન પત્ર આપવામાં આવ્યું શહેર કોંગ્રેસ પ્રમુખ સુધીર રાવલ પૂર્વ કાઉન્સિલર આફતાબ પટેલ, એહમદશા બાપુ, જિલ્લા મહામંત્રી અલી અસગર પટેલ તથા અશરફ મેતર અને NSUI ના કાર્યકરો હાજર રહ્યા. રિપોર્ટર : નસીબ મલેક, વિરમગામ
Read Moreગીર-સોમનાથ જિલ્લામાં પદ્મ એવોર્ડ, પદ્મ વિભુષણ, પદ્મ ભુષણ અને પદ્મશ્રી એવોર્ડ માટે અરજીઓ મંગાવાઇ
હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ ભારત સરકાર દ્વારા દેશના ઉચ્ચતમ એવોર્ડમાં પદ્મ એવોર્ડ, પદ્મ વિભુષણ, પદ્મ ભુષણ અને પદ્મશ્રી એવોર્ડ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ અરજીઓ મંગાવવામાં આવેલ છે. જેમણે કલા, સાહિત્ય અને શિક્ષા, રમતગમત, ચિકિત્સા, સામાજિક કાર્ય, વિજ્ઞાન અને ઇન્જીનિયરીંગ સહિત માં ઉત્કૃષ્ટ કાર્ય/ઉપલબ્ધી મેળવી હોય તેઓએ http://padmaawards.gov.in પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. તેમજ તેની હાર્ડ કોપી સિનિયર કોચ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જિલ્લા સેવાસદન બીજો માળ, રૂમ નં. ૩૧૫/૩૧૬ ઇણાજ ખાતે તા. ૦૯/૦૭/૨૦૨૧ સુધીમાં જમા કરવાની રહેશે. વધુ માહીતી માટે સીનીયર કોચ, કાનજી ભાલીયા મો.નં. ૯૪૨૯૦-૦૦૦૪૦ પર સંપર્ક સાધવા એક…
Read Moreગીર-સોમનાથ જિલ્લામાં દ્રીચક્રીય વાહનોની ચાલુ સીરીઝ જુની સીરીઝ તથા ફોરવ્હીલ વાહનોની ચાલુ સીરીઝના બાકી રહેલ ગોલ્ડન/સિલ્વર નંબરોની હરાજી
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, ગીર-સોમનાથ દ્વારા જિલ્લામાં દ્રીચક્રીય વાહનોની ચાલુ સીરીઝ જીજે-૩૨-ક્યુ અને જુની સીરીઝ જીજે-૩૨-એન, જીજે-૩૨-એમ, જીજે૩૨-પી તથા ફોરવ્હીલ વાહનની ચાલુ સીરીઝ જીજે-૩૨-કે ના બાકી રહેલ ગોલ્ડન/સિલ્વર નંબરોની હરાજી તા. ૨૦/૦૭/૨૦૨૧ નાં રોજ ખોલવામાં આવશે. ઇચ્છા ધરાવનાર વાહન માલીકો વેબ પોર્ટલ http://parivahan.gov.in/fancy પર રજીસ્ટ્રેશન કરી ભાગ લઇ શકશે. તા. ૧૫-૦૭-૨૦૨૧ થી ૧૭-૦૭-૨૦૨૧ સુધી ઓક્સન માટે ઓનલાઇન સીએનએ ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવાના તેમજ એપ્લીકેશન કરવાની રહેશે. તા. ૧૮-૦૭-૨૦૨૧ અને ૧૯-૦૭-૨૦૨૧ ના રોજ ઓક્સનનુ બિડિંગ ઓપન થશે અને તા. ૨૦/૦૭/૨૦૨૧ ના રોજ ખોલવામાં આવશે. તેમજ જે વાહન માલીક…
Read Moreગુજરાત મા ફરી એકવાર ૧૬ કરોડ ના ઇંજેક્શની જરૂરિયાત વિવાન ને પણ
હિન્દ ન્યુઝ, પાલનપુર બનાસકાંઠા જિલ્લા માં અને પાલનપુર જેવી વિવિધ શહેરો ગામ મોહલ્લા સોસાયટીઓ માં જેમ ધૈર્યરાજ ને ૧૬ કરોડ ના ઈન્જેકશન ની જરૂર પડી હતી એજ રીતે આજે એક ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકા ના આલીદર ગામ માં એક સામાન્ય પરિવાર અશોકભાઈ સામતભાઈ વાઠેળ પર આવેલ આફત જેમાં એક ના એક પુત્ર વિવાન ને સ્પાઈન મસક્યુલર એટ્રોફી નામ ની બીમારી થી પીડિત હોય તો આ બીમારી માટે ખૂબ મોટી રકમ ની જરૂર પડી જેમ મહીસાગર ના કનેસર ના ધેર્યારાજ ને પડી હતી. ત્યારે આ સામાન્ય પરિવાર પર એક…
Read Moreએસ એમ સી સમિતિ ના અધ્યક્ષ રણછોડભાઈ ગોહિલ ના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો
હિન્દ ન્યુઝ, ભાવનગર આજરોજ અકવાડા કેન્દ્ર વતી શાળા ના સંકુલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં શાળાના આચાર્ય શિક્ષકોની હાજરીમાં શાળા ના એસ.એમ.સી સમિતિ ના અધ્યક્ષ રણછોડભાઈ ગોહિલ ના જન્મ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ રાખીને જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. વૃક્ષારોપણ કાર્યક્રમ માં મિત્રો પણ જોડાયા હતા. જેમાં અખિલ ભારતીય કોલી/કોરી સમાજ ભાવનગર જીલ્લા સો.મીડિયા પ્રમુખ શૈલેષભાઈ બાંભણીયા અજય ગોહિલ મુકેશભાઈ દિહોરા તેમજ અન્ય સભ્યો પણ જોડાયા હતા. રિપોર્ટર : શૈલેષ બામભાણી, ભાવનગર
Read Moreભાવનગરનો યુવાન ‘ચીન’માં મેળવેલાં તબીબી જ્ઞાનને ભાવનગરની જનતાને વહેંચશે
હિન્દ ન્યુઝ, ભાવનગર સામાન્ય રીતે કોઇપણ પ્રકારની મેડિકલની પરીક્ષા પાસ કરવી અઘરી હોય છે અને તેમાંય જો તે પરીક્ષા રાષ્ટ્રીય કક્ષાની હોય તો તેની પાસ કરવી વધુ અઘરી થઇ જાય છે. વળી, જો તે વિદેશી યુનિવર્સિટીમાંથી પાસ કરવાની હોય તો ઓર અઘરી થઇ જાય છે. પરંતુ તેમ છતાં, ભાવનગરની યુવાન ડો. વિજયરાજસિંહ ગોહિલે એફ.એમ.જી.ઈ. (ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામીનેશન) ની પરીક્ષા પ્રથમ પ્રયત્ને જ ૨૦ માં નંબરે પાસ કરીને ગુજરાતનું અને ભાવનગરનું ગૌરવ વધાર્યું છે. બીજી મહત્વની વાત છે કે, તેઓએ તેમનું ડોક્ટરી ડિગ્રી (એમ.બી.બી.એસ.) ચીનની નાનજીંગ યુનિવર્સિટીમાંથી કર્યું…
Read Moreદિયોદર તાલુકા પંચાયત કર્મચારી મંડળી ના ચેરમેન અને વાઇસ ચેરમેન ની વરણી કરાઈ
હિન્દ ન્યુઝ, દિયોદર દિયોદર તાલુકા પંચાયત ખાતે ગતરોજ કર્મચારી મંડળીની કારોબારી બેઠક યોજાઇ હતી. જેમાં બેઠક માં ચર્ચા વિચારણા કર્યા બાદ ચેરમેન અને વાઇસ ચેરમેન ની સર્વાંનુમતે વરણી કરવામાં આવી હતી. જેમાં ચેરમેન પદે દેસાઈ સમાજનું ગૌરવ અને ગરીબોની સેવામાં હર હમેશા ખડે પગે રહેતા એવા જગમાલભાઈ પી. દેસાઈની વરણી કરવામાં આવી હતી અને વાઇસ ચેરમેન પદે અમરતભાઈ જોશીની વરણી કરવામાં આવી હતી. આવા નિષ્ઠાવાન શિક્ષકોની વરણી થતા દિયોદર તાલુકા તમામ શિક્ષકોએ અભિનંદન પાઠવ્યા અને ખુશીના માહોલ વચ્ચે કારોબારી સભ્યોએ મોઢુ મીઠું કરાવ્યું હતું. અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા,…
Read Moreદિયોદર થી ધાનેરા નવિન મીની બસ ચાલુ કરાઈ
હિન્દ ન્યુઝ, દિયોદર કોરોનાની મહામારી માં રાજ્યમાં એસટી વિભાગે તમામ ગ્રામ્ય વિસ્તારના રૂટો પર એસટી બસો સ્થિગત કરવામાં આવી હતી. જે બાદ કોરોનાની પરિસ્થિતિ કાબુમાં આવતા ગત રોજ દિયોદર ડેપો દ્વારા દિયોદર થી ધાનેરા નવીન બસ નો રુટ ચાલુ કરવામાં આવ્યો છે. જેથી દિયોદર ધાનેરા મીની બસ ચાલુ થતા ગ્રામ્ય વિસ્તારમાં થી આવતા વિધાર્થી ઓને અને ખેડૂતોને બજાર સુધી આવવા જવામાં રાહત મળતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે દિયોદર ડેપો મેનેજરે બસ ને લિલી જડી આપી પ્રશ્થાપન કરાવ્યું હતું. બસ ચાલુ થતા મુસાફરો માં અનેરો આનંદ…
Read Moreદિયોદર નાયબ મામલતદાર એમ.બી.દરજીએ મામલતદાર નો ચાર્જ સંભાળતા સન્માન સમારોહમાં ખુરશીના મોહમાં સોસીયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા
હિન્દ ન્યુઝ, દિયોદર કોરોના મહામારી અંતર્ગત સરકાર પોતે કોરોના ડિસ્ટન્સ માટે કલેક્ટરના આદેશોનું પાલન કરાવે છે. અને આના ભંગ બદલ ગરીબોને દંડ પણ થાય છે. આજે દિયોદર મામલતદાર કચેરી ખાતે એમ.બી.દરજી છેલ્લા છએક મહિના થી એટીવીટી નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા પરંતુ દિયોદર મામલતદાર કે કે ઠાકોર વય નિવૃત્ત થતા એમ.બી.દરજીએ મામલતદાર નો ચાર્જ સાંભળ્યો છે ત્યારે દિયોદર તાલુકા દરજી સમાજ દ્વારા આજે સન્માન કાર્યક્રમ નું આયોજન કરાયું હતું. જોઈએ તો કાયદાનું પાલન કરાવનાર સરકારના ખુદ અધિકારી કાયદાનું ભાન ભૂલ્યા અને દિયોદર મામલતદાર કચેરીમાં ખુરસીના મોહમાં મામલતદાર…
Read More