વાંકાનેર, વાંકાનેર તાલુકાના દલડી ગામના પેટ્રોલ પંપ સામે રોડ પર tvs ના જ્યુપિટર જી.જે.૩૬-જે-૦૯૧૯ માં ગેર કાયદેસર રીતે, પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની બોટલ નંગ 115, કી.રૂ. 4400 સાથે જીતેન્દ્રભાઇ ઉર્ફે જયંતી અમુભાઇ ચાવડા (ઉ.વ. ૨૨, રહે. મોરબી, ઇન્દીરાનગર ખોડીયારમાના મંદીર પાસે, મુળ રહે. હરીપર, તા. માળીયા) પકડાયો હતો. પોલીસે વિદેશી દારૂ અને સ્કૂટર મળી કુલ રૂ. 44,500નો મુદામાલ કજે કર્યો હતો. આ બનાવમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે. રિપોર્ટર : ચતુર બાબરીયા, વાંકાનેર
Read MoreMonth: September 2020
પીવાનાં પાણી પ્રશ્ને આવેદન પત્ર પાઠવતા ઉષાબેન કુસકીયા….
વેરાવળ, તા. ૦૮/૦૯/૨૦૨૦ નાં વેરાવળ શહેરમાં આવેલ વોર્ડ નં.૫ આવેલ ગોદરશા તળાવ વિસ્તારમાં અતિ ભારે વરસાદને કારણે રસ્તાઓનું ભારે ધોવાણ થઈ આવતા ઊંડા ખાડા પડી જવાને કારણે ગોઠણ ડૂબ પાણી ભરાય આવતા અને પાણી નિકાલ ની કોઈ વ્યવસ્થા આવેલ ન હોય જેના કારણે આ ગરીબ વિસ્તારના આશરે સૌ થી પણ વધારે પરિવારોને ટેન્કર દ્વારા પુરૂ પડાતું પીવાનું પાણી છેલ્લા વિશ દિવસ થઈ બંધ હોવાથી આ ગરીબ પરિવારો પીવાનાં પાણીથી વંચિત રહેવા પામેલ હોવા છતાં તંત્ર દ્વારા કોઈજ નક્કર પગલા લેવામાં ન આવતા આ વિસ્તારનાં લોકો ને પારાવાર મુશ્કેલીઓ ભોગવી રહેલ…
Read Moreપાટણ માં ચોમાસુ પાક નિષ્ફળ જતાં ભાજપ ના આગેવાનો એ આપ્યું આવેદનપત્ર
પાટણ, ચોમાસુ પાક નિષ્ફળ જતાં ભાજપ ખેડૂત અગ્રણીઓ આવ્યા ખેડૂતો ના વ્હારે ખરીફ પાક નિષ્ફળ જતાં આપ્યું ખેતીવાડીવિભાગ માં આવેદનપત્ર આપી વળતર ચૂકવવા માંગ પાક નિષ્ફળ માં અનેક ગામો નો સમાવેશ ના કરતાં લેખિત માં રજુઆત સમી તાલુકા ભાજપના ખેડૂત અગ્રણી ના આગેવાનો પહોંચ્યા ખેટીવાડી કચેરી માં બાકી રહી ગયેલા ગામો નો સમાવેશ કરી સત્વરે સર્વે કરી વળતર ચૂકવવા રજુઆત અતિભારે વરસાદ થી કગરીફ પાકો બરબાદ થતાં વળતર ચૂકવવા કરી માંગ રિપોર્ટર : બાબુભાઇ પરમાર, રાધનપુર
Read Moreડભોઈ જિલ્લાના ડભોઇ શહેર માં રોડ ઉપર ખાડા પડતા કોંગ્રેસ કાર્યકરો એ કર્યું અનોખુ પ્રદર્શન
ડભોઈ, બરોડા જિલ્લાના ડભોઇ શહેરમાં બનેલા રોડ રસ્તા ઓ વરસાદ નાં કારણે ધોવાઈ ગયા હતા. જેને કારણે ખાડાઓ પડી ગયા સાથે વરસાદી પાણી પણ ભરાતા હતા. આ પરિસ્થિતિ ને લઈ બરોડા ની જનતા હેરાન પરેશાન થઈ ગઈ હતી. તેમજ આ ગ્રામજનો નાં મુદ્દાઓનો પ્રશ્ન અવાજ બની કોંગ્રેસના કાર્યકરો રસ્તા ઉપર ઉતર્યા. ડભોઇ શહેર ખાડાઓનું નગર ન બને એ હેતુ થી કોંગ્રેસ સમિતિ દ્વારા ખાડા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે શહેરનાં કોંગ્રેસ પ્રમુખ ભુપેન્દ્ર પટેલ, પ્રહલાદભાઈ પટેલ, તાલુકા પંચાયત હેમંતભાઈ બારોટ, કાંતિભાઈ મહેતા, સુધીરભાઈ બારોટ, ચિરાગભાઈ પટેલ તેમજ કાર્યકરો ના હાથે પૂજા કરી…
Read Moreકામરેજના ધોરણ પારડી પાસે નેશનલ હાઇવે પર અકસ્માત – એકનું મોત
સુરત, સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામના પાટીયા પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૮ પર, તોતિંગ ટ્રેલર અને સિમેન્ટ હોટ મીક્ષ મશીન વચ્ચે અકસ્માત સર્જાયો છે. ટ્રેલરના ટાયરમાં પંક્ચર પડતાં, ચાલક ટાયર બદલી રહ્યો હતો. તે દરમિયાન સિમેન્ટ મીક્ષર મશીનના ચાલકે પાછળનાં ભાગે ધડાકાભેર અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. જેને પગલે પંચર પડેલા ટાયરને બદલી રહેલા ચાલકનું ઘટના સ્થળે મોત થયું છે. જયારે અન્ય એકને ગંભીર ઇજાઓ થતાં IRB ની એમ્બ્યુલન્સમાં સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. આ બનાવની જાણ પોલીસને કરવામાં આવતા, પોલીસ ઘટના સ્થળે આવી પોહચી હતી અને…
Read Moreઅંબાજી ST ડેપો દ્વારા ૧૩ જેટલી ગ્રામ્ય વિસ્તારમાં જતી બસની વ્યવથા શરૂ કરાઈ
અંબાજી, જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોના કાળે હાહાકાર મચાવ્યો હતો ત્યારે સરકાર દ્વારા લોકડાઉન કરાયું હતું અને આખું ભારત જાણે થંભી ગયું હોય તેવું લાગી રહ્યું હતું, ત્યારે એસ.ટી ડેપોને પણ બંધ કરાતા એસ.ટી ની બસો નાં પૈયાં થંભી જવા પામ્યા હતા. ત્યારે અનલૉક-૧ ની ગાઈડ લાઈન પ્રમાણે બસનો સંચાલન શરૂ કરાયું હતું, ત્યારે અનલોક-૪ ની ગાઈડલાઈન મુજબ હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ બસોનું સંચાલન કરવાનું શરૂ કરાયું છે, ત્યારે અંબાજી એસ.ટી. ડેપો દ્વારા અંબાજી ખેરમાળ, અંબાજી સેભર, અંબાજી અમીરગઢ , અંબાજી બાયડ, અંબાજી ઈડર , વાયા જેતપુર, અંબાજી હડાદ , અંબાજી…
Read Moreથરાદ એસ.ટી. ડેપોની ૬૬ શિડયુલ ધમધમતી થશે……
થરાદ, કોરોનાની મહામારીને કારણે લોકડાઉન થતા એસ.ટી. બસોના પૈડાઓ થંભી ગયા. જોકે સરકાર દ્વારા થોડી ઘણી બસોનું સંચાલન ફરી શરૂ કરવા પરિપત્ર જાહેર કરાતા એસ.ટી. બસોમાં મુસાફરોને સોશિયલ ડિસ્ટન્સ અને ફરજીયાત માસ્ક પહેરી મુસાફરી કરવાની છૂટછાટ અપાઈ હતી. ત્યારે તા. ૦૩/૦૯/૨૦૨૦ ના રોજ એસ.ટી.વિભાગીય કચેરી પાલનપુર દ્વારા થરાદ ડેપોને પરિપત્ર પાઠવી એકસપ્રેસ બસોનું કુલ શિડયુલ સંચાલન ૩૨, જયારે લોકલ બસોનું કુલ શિડયુલ સંચાલન ૩૪ એમ કુલ મળીને ૬૬ શિડયુલ સંચાલન ધમધમતુ કરવાનો પરિપત્ર પાઠવ્યો હતો. પરિપત્ર સંદર્ભે મીડિયા દ્વારા થરાદ ડેપોના એટીઆઈ ને પુછપરછ કરતા તેઓેએ જણાવ્યું હતું કે થરાદ…
Read Moreરાજકોટ શહેર ખાતે સિવિલમાં કોવિડ હોસ્પિટલને રેડઝોન જાહેર કરી કોઈ પણ વ્યકિતને પ્રવેશબંધી ફરમાવી દેવામાં આવી છે
રાજકોટ, તા.૮/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલ છેલ્લા ઘણા દિવસોથી વિવાદથી ઘેરાયેલી છે. કોરોનાના મૃતકોની લાશના થપ્પા પડ્યા રહેતા હોય અને મોતનો મલાજો પણ જળવાતો ન હોવાના મીડીયામાં રીપોર્ટ આવતા સિવિલના કોવિડ હોસ્પિટલની પોલ ખૂલી જતા તંત્ર સફાળુ જાગી ઉઠ્યું હતું. કોવિડ હોસ્પિટલમાં અનેક ફેરફારો કરી રીતસરની પ્રવેશબંધી ફરમાવી દેવામાં આવી છે. કોવિડ હોસ્પિટલમાં પાસ સિસ્ટમ મૂકવામાં આવ્યા બાદ સગા સંબંધિઓ માટે નિયંત્રણ મૂકવામાં આવ્યું છે. અત્યાર સુધી દર્દીના પરિવારજનો કોવિડ કેમ્પસમાં રહેતા હતા. પરંતુ, હવે કોવિડ બિલ્ડીંગ અને કેમ્પસ સહિતના આસપાસના વિસ્તારને રેડઝોન જાહેર કરવામાં આવ્યો છે. સિવિલમાં ખાસ…
Read Moreરાજકોટ શહેર માં S.T તંત્રના ૧૫ કર્મચારીઓના કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા S.T વર્કશોપ બંધ કરવો પડે તેવી સ્થિતિ સર્જાયેલ છે
રાજકોટ, શહેર તા.૮/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં ગોંડલ રોડ ઉપર આવેલ S.T વર્કશોપમાં કામ કરતા કર્મચારીઓનાં કોરોના ટેસ્ટ કરવામાં આવતા કુલ.૧૫ જેટલા કર્મચારીઓના રિપોર્ટ પોઝીટીવ આવતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાઇ જવા પામેલ છે. પોઝીટીવ આવેલ તમામ ૧૫ કર્મચારીઓને હોમ આઇસોલેશન કરવામાં આવ્યા છે. જયારે તેના સંપર્કમાં આવેલા અન્ય કર્મચારીઓને કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. એક સાથે ૧૫ કર્મચારી પોઝીટવ આવતા S.T વર્કશોપ બંધ કરવો પડે તેવી સ્થિતિ સર્જાયેલ છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read Moreદિયોદર તાલુકા પંચાયત ની ચૂંટણી માટે બંને પક્ષ દ્વારા ફોર્મ ભરાયા આજે ફેસલો
દિયોદર, દિયોદર તાલુકા પંચાયત કચેરી માં પ્રમુખ અને ઉપ પ્રમુખ ની અઢી વર્ષ ની મુદત પૂર્ણ થતા આજે ૯ સપ્ટેમ્બર ના રોજ સાધારણ સભા માં ચૂંટણી યોજાશે. જેમાં આજે મંગળવાર ના રોજ ભાજપ પક્ષ માંથી પૂર્વ પ્રમુખ ઉતમસિંહ વાઘેલા પ્રમુખ પદ માટે તેમજ ઉપ પ્રમુખ પદ માટે અમરબેન હરસંગજી ચૌહાણે ફોર્મ રજૂ કર્યું હતું. ત્યારે બીજી તરફ કોંગ્રેસ પક્ષ માંથી ભાવનાબેન સેવતીલાલ ઠક્કર પ્રમુખ પદ માટે અને ઉપ પ્રમુખ માટે રાણીબેન કરશનજી પઢીયાર એ કાર્યકર્તા સાથે આવી ફોર્મ રજૂ કર્યું હતું. જેમાં હાલ વર્તમાન સમય ભાજપ પાસે 11 અને કોંગ્રેસ…
Read More