પીવાનાં પાણી પ્રશ્ને આવેદન પત્ર પાઠવતા ઉષાબેન કુસકીયા….

વેરાવળ,

તા. ૦૮/૦૯/૨૦૨૦ નાં વેરાવળ શહેરમાં આવેલ વોર્ડ નં.૫ આવેલ ગોદરશા તળાવ વિસ્તારમાં અતિ ભારે વરસાદને કારણે રસ્તાઓનું ભારે ધોવાણ થઈ આવતા ઊંડા ખાડા પડી જવાને કારણે ગોઠણ ડૂબ પાણી ભરાય આવતા અને પાણી નિકાલ ની કોઈ વ્યવસ્થા આવેલ ન હોય જેના કારણે આ ગરીબ વિસ્તારના આશરે સૌ થી પણ વધારે પરિવારોને ટેન્કર દ્વારા પુરૂ પડાતું પીવાનું પાણી છેલ્લા વિશ દિવસ થઈ બંધ હોવાથી આ ગરીબ પરિવારો પીવાનાં પાણીથી વંચિત રહેવા પામેલ હોવા છતાં તંત્ર દ્વારા કોઈજ નક્કર પગલા લેવામાં ન આવતા આ વિસ્તારનાં લોકો ને પારાવાર મુશ્કેલીઓ ભોગવી રહેલ છે. ત્યારે આ પ્રશ્ને પ્રદેશ કોંગ્રેસ મહિલા અગ્રણી ઉષાબેન કુસકીયા દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત સાથે નાયબ કલેક્ટર વેરાવળ તેમજ નગરપાલિકાનાં સત્તાધીશોને આવેદન પત્ર પાઠવી આ વિસ્તારનાં બિસ્માર રસ્તાને સત્વરે રીપેર કરી કરાવી તાકીદે પીવાનું પાણી પુરૂ પાડવા લેખીત માં માંગણી કરેલ છે.
આ કાર્યક્રમ માં મહિલા કોંગ્રેસ અગ્રણીઓ કાજલબેન ભજગોતર, યાસ્મીનબેન ચૌહાણ, નજમાબેન પંજા સહીતની મહિલા અગ્રણીઓ સહીત આ વિસ્તારની મહિલાઓ હાજર રહ્યા હતા.

રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment