રાજકોટ શહેરમાં RMC સેનેટરી ઇન્સ્પેકટર સફાઈ કામદારની હાજરી પુરાવા અંગે રૂ.૬૦૦૦ ની લાંચ લેતા ઝડપાયા

રાજકોટ, રાજકોટ શહેર મહાનગરપાલિકાની હુડકો વોર્ડનં.૧૬ ની ઓફીસ ખાતે કાયમી સ્વીપર તરીકે ફરજ બજાવતા હોય, ફરીયાદીની હાજરી બાબતે આ કામના આક્ષેપિતે ફરીયાદીને ઓન ડયૂટી ગણવાના અવેજ પેટે ફરીયાદી પાસેથી બજરંગવાડી રાજીવનગર, જામનગર રોડ પર રહેતા અને હુડકો વોર્ડનં.૧૬ ઓફીસમાં વર્ગ-૩ ના સેનેટરી ઇન્સ્પેકટરએ ૭,૦૦૦ ની લાંચની માંગણી કરેલ અને રકઝકના અંતે રૂા.૬,૦૦૦ આપવાનો વાયદો થયેલ. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, જેથી રાજકોટ શહેર એ.સી.બી. પો.સ્ટે. ખાતે પોતાની ફરીયાદ જાહેર કરેલ જે ફરીયાદીની ફરીયાદ આધારે આજરોજ તા.૩/૭/૨૦૨૦ ના હુડકો વોર્ડ ઓફીસ, રાજકોટ ખાતે ગોઠવેલ લાંચના છટકાં દરમ્યાન આ…

Read More

ભારત-ચીન વચ્ચે લાંબા સમયથી સરહદી તણાવ ચાલી રહ્યો છે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે અચાનક ચીન સરહદે લેહ પહોંચ્યા હતા

રાજકોટ, ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી સરહદી તણાવ ચાલી રહ્યો છે. તેની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે અચાનક ચીન સરહદે લેહ પહોંચ્યા હતા. એમણે કરેલું ઉદબોધન તો સૈનિકો માટે ઉત્સાહ વધારનાર હતું જ પરંતુ તેની સાથે ઘણા બધા સંકેત પણ સ્પષ્ટ થાય છે. ચીન આપણી સરહદમાં ઘૂસણખોરી કરે છે. તેનો સ્પષ્ટ નિર્દેશ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે કેટલાક લોકો વિસ્તારવાદી માનસિકતા ધરાવે છે. પરંતુ વિસ્તાર વાદનો યુગ હવે રહ્યો નથી. હવે વિકાસવાદ નો યુગ છે. વિસ્તાર વારની વાત કરનારાઓએ ભૂતકાળમાં પણ માઠા પરિણામો ભોગવ્યા છે. રિપોર્ટર : દિલીપ…

Read More

ભારત બાયોટેક કોલાક્ષીન રસીનું ૭ જુલાઈથી માનવ પરીક્ષણ શરૂ કરાશે માનવ પરીક્ષણ સફળ થયા બાદ તેને બજારમાં મૂકવામાં આવશે

રાજકોટ, રાજકોટ શહેર તા.૩.૭.૨૦૨૦ ના રોજ ભારત સરકાર ૭ જુલાઈથી આ રસીના માનવ પરીક્ષણ માટે નોંધણી શરૂ કરાશે અને જો માનવ પરીક્ષણમાં આ રસી સફળ થશે તો ૧૫ ઓગષ્ટે આ રસી બજારમાં મળશે. અત્યારની સ્થિતિ જોતા ભારતમાં આ પહેલી સ્વદેશી રસી હશે કેટલાક દિવસો પહેલા હૈદ્રાબાદની ફાર્માકંપની ભારત બાયોટેકે દાવો કર્યો હતો કે તેને કોલેક્ષીન માટે પ્રથમ અને બીજા તબકકાના માનવ પરીક્ષણ માટે મંજૂરી આપી છે. ભારત બાયોટેક અગાઉ પોલીયો, હડકવા, રોટાવાયરસ, જાપાની ઈન્સેફેલાઈરસ, ચીકનગુનીયા અને ઝાડા વાયરસ માટે રસી બનાવી છે. માનવીય પરીક્ષણ ૭ જુલાઈથી શરૂ થશે. અને ત્યારબાદ…

Read More

ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પક્ષ ના આગેવાનોને ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પરીવાર તરફ થીઅભિનંદન પાઠવ્યા

ગીર સોમનાથ, ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પક્ષ ના યૂવા ભાવી ઉત્સાહી યૂવા નેતા પ્રવિણભાઈ, કાનાભાઈ ગઢીયા ની પ્રવૃત્તિ મહામંત્રી વેરાવળ પાટણ શહેર કોગ્રેસ સમિતી, ઉપપ્રમુખ સોશયલ મીડીયા ગીર સોમનાથ જીલ્લા કોંગ્રેસ, ઉપપ્રમુખ સોશયલ મીડીયા જૂનાગઢ લોકસભા યૂથ કોંગ્રેસ, પ્રમૂખ લોક સરકાર વેરાવળ પાટણ શહેર કોંગ્રેસ ની સેવા કરે છે અને છેલા પાંચ વર્ષ થી કોંગ્રેસ ના વિચારો અને સિધ્ધાંતો દેશ ના દરેક લોકો સૂધી પહોંચાડવાની કામગીરી ઉત્સાહ પૂર્વક નીભાવેલ છે તેના ફળ સ્વરૂપે રાજીવ ગાંધી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ વર્કિગ કમેટી દ્વારા ફારૂક મલિક પેરેડાઈજ ચેરમેન ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ માઇનોરીટી…

Read More

રાજકોટ શહેરની હુડકો ચોકડી પાસે ઇસમો ચોરીના ફોન સાથે હાજર છે. તેવી બાતમી મળતા જ પોલીસ તાત્કાલિક પહોંચી બન્ને આરોપીઓને પકડી પાડેલ છે

રાજકોટ, રાજકોટ શહેરની હુડકો ચોકડી પાસે ઇસમો ચોરીના ફોન સાથે હાજર છે. તેવી બાતમી મળતા જ પોલીસ તાત્કાલિક પહોંચી ગઇ હતી. મુનાફ નામના આરોપી પાસેથી મોબાઇલ મળી આવ્યો હતો. તેની પૂછપરછ કરતા મોબાઇલ અન્ય આરોપી કમલેશ પાસેથી લીધા હોવાનું જણાવ્યું હતું. મોબાઇલના બીલની પૂછપરછ કરતા કોઇપણ પ્રકારના કાગળ મળી આવ્યા ન હતા. આરોપી કમલેશની વધુ પૂછપરછ કરતા આ મોબાઇલ ૨૯ જૂનનાં રોજ બીગબઝાર પાછળ સાંઇનગર સોસાયટી પાસે ચાલીને જતી એક મહિલાના હાથમાંથી જૂટ મારીને લઇ લીધેલાની કબૂલાત કરી હતી. તેની સાથે એક્ટીવા પર તેનો મિત્ર સંતોષ ઉર્ફે ગોપાલ પણ હોવાનું…

Read More

રાજકોટ શહેર ડિસ્ટ્રીક કો-ઓપરેટિવ બેંકની ચૂંટણી ૨૬ જુલાઈએ યોજાવાની છે. બેંક ડિરેક્ટર જયેશભાઇ રાદડીયા

રાજકોટ, રાજકોટ શહેર તા.૨.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર જીલ્લા સહકારી બેંક ની આજે ચૂંટણી જાહેર થઈ છે. ૧૭ બેઠકો માટે ૨૬ જુલાઈના રોજ આ ચૂંટણી યોજાવાની છે. બેંકના ડિરેક્ટર જયેશભાઇ રાદડિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ચૂંટણીમાં ૧૭ બેઠક બિન હરીફ સાથે અમે જીતવાના છીએ. રાજકોટ જીલ્લા સહકારી બેન્કની અંદર ચૂંટણી થવાનો કોઈ પ્રશ્ન જ નથી. જીલ્લાનું સહકારી ક્ષેત્ર, વિઠલભાઈના નેતૃત્વ હેઠળ છેલ્લા ૨૨ વર્ષથી જીલ્લાના સહકારી ક્ષેત્રના માળખાનું આગેવાનોએ સાથે મળી ને સંચાલન કર્યું છે. રાજકોટ જીલ્લા સહકારી બેન્ક હોઈ, જીલ્લા સંઘ હોઈ, ખરીદ વેચાણ સંઘ, તાલુકા સંઘ…

Read More

રાજકોટ શહેરનું નામાંકિત સેવાભાવી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી જયેશભાઇ ઉપાધ્યાય નો કોરોના રિપોર્ટ પોઝિટિવ

રાજકોટ, રાજકોટ શહેરનું નામાંકિત સેવાભાવી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી જયેશભાઇ ઉપાધ્યાય નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા અનેક લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જયેશભાઇએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ભલે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. લોકોના આશીર્વાદ અને મહાદેવ ના આશીર્વાદ મારી સાથે છે. હું સ્કૂટર લઈ ને હોસ્પિટલમાં આવ્યો છું. ઘોડા જેવો થઈ ને અહીં થી બહાર નિકળીશ. લોકડાઉન દરમ્યાન બોલબાલા ટ્રસ્ટ દ્વારા દરરોજ ના ૩૭ હજાર લોકોને ટિફિન પોહચાડવાની સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી હતી. હંમેશા લોકોની મદદે જયેશભાઇ તત્પર રહ્યા છે. રાજકોટ અને સૌરાષ્ટ્રવાસીઓ તેઓ જલ્દીથી સાજા થાય તે…

Read More

રાજકોટ શહેરમાં કોરોના વાયરસના કારણે વધુ એક દર્દીનો ભોગ, છેલ્લા ૨૪ કલાકમાં ૩ ના મોત થતા છે

રાજકોટ, રાજકોટ શહેરમાં કોરોનાના કારણે ત્રીજા દર્દીએ જીવ ગુમાવ્યો છે. રાજકોટ શહેરના રૈયા ટેલીફોન એક્સચેન્જ વિસ્તારમાં આવેલ અનામિકા સોસાયટીમાં રહેતા રાજુભાઇ મેપાભાઇ સોલંકી ઉ.૬૩ નું આજે બપોરે મોત નિપજ્યુ છે. તેમને કોવિડ-૧૯ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા ૨૪ કલાકમાં ૩ લોકોના કોરોનાથી મોત નીપજ્યા છે. સવારે એક મહિલા અને પુરુષનું કોરોનાથી મૃત્યુ થયું હતું. આ સાથે આજના દિવસમાં ૩ લોકોના મોત નિપજતા આરોગ્ય વિભાગ ચિંતામાં પડયું છે. જ્યારે અત્યાર સુધીમાં કોરોનાથી ૯ લોકો મોતને ભેટયા છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

રાજકોટ શહેર માલિયાસણ ચોકડી પાસેથી કારમાં ૧૬ કિલો ગાંજો લઈને આવતા ગાયક કલાકારની ધરપકડ

રાજકોટ, રાજકોટ શહેરમાં માદક પદાર્થોના વેચાણ અને હેરાફેરી ઉપર વોચ રાખવા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, J.C.P ખુર્શીદ અહેમદ, D.C.P મનોહરસિંહ જાડેજા, D.C.P પ્રવિણકુમાર મીણાની સુચનાથી A.C.P ક્રાઇમ જયદીપસિંહ સરવૈયા અને S.O.G P.I આર.વાય.રાવલના માર્ગદર્શન હેઠળ P.S.I અસલમ અંસારી અને તેમની ટિમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન જીતુભા ઝાલા, ફિરોજભાઈ રાઠોડ, વિજેન્દ્રસિંહ ઝાલાને ખાનગીરાહે મળેલી હકીકત આધારે પ્રદીપસિંહ ગોહિલ, કૃષ્ણદેવસિંહ જાડેજા, અનિલસિંહ ગોહિલ અને ફર્લો સ્ક્વોડના ઝહીરભાઈ ખફીક સહિતનાને સાથે રાખીને માલિયાસણ સોખડા ચોકડી પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી વાળી I-૨૦ કાર પસાર થતા તેને અટકાવી જડતી લેતા સ્કૂલબેગ માંથી માદક પદાર્થ…

Read More

રાજકોટ શહેર કૉંગ્રેસના કાર્યકર્તાઓએ જીલ્લા પંચાયત ચોકથી પોલીસ કમિશનર કચેરી સુધી રેલી યોજી

રાજકોટ, રાજકોટ શહેરના કૉંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, ગાયત્રીબા વાઘેલા સહિતના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા. પોલીસ કમિશનરે વીડિયો કોન્ફરન્સ દ્વારા તેમની રજૂઆત સાંભળી હતી. જેમાં કૉંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. સમગ્ર મામલે રાજદીપસિંહ જાડેજાએ પોલીસ અધિકારીઓ સામે પોલીસે ફરિયાદ દાખલ કરવાની માંગ કરી છે. આ ઉપરાંત ગઇકાલે કરણી સેનાએ આ મામલે રેલી યોજી પોલીસ કમિશનર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું. રાજકોટ શહેરમાં કૉંગ્રેસ સમિતિ દ્વારા ૨૯ જૂનના રોજ પેટ્રોલ ડીઝલના ભાવવધારાને લઇને વિરોધ કરવામાં આવ્યો હતો. કૉંગ્રેસ નેતા રાજદીપસિંહ જાડેજાએ ઘોડા પર…

Read More