રાજકોટ,
ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી સરહદી તણાવ ચાલી રહ્યો છે. તેની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે અચાનક ચીન સરહદે લેહ પહોંચ્યા હતા.
એમણે કરેલું ઉદબોધન તો સૈનિકો માટે ઉત્સાહ વધારનાર હતું જ પરંતુ તેની સાથે ઘણા બધા સંકેત પણ સ્પષ્ટ થાય છે. ચીન આપણી સરહદમાં ઘૂસણખોરી કરે છે. તેનો સ્પષ્ટ નિર્દેશ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે કેટલાક લોકો વિસ્તારવાદી માનસિકતા ધરાવે છે.
પરંતુ વિસ્તાર વાદનો યુગ હવે રહ્યો નથી. હવે વિકાસવાદ નો યુગ છે. વિસ્તાર વારની વાત કરનારાઓએ ભૂતકાળમાં પણ માઠા પરિણામો ભોગવ્યા છે.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ