રાજકોટ શહેરનું નામાંકિત સેવાભાવી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી જયેશભાઇ ઉપાધ્યાય નો કોરોના રિપોર્ટ પોઝિટિવ

રાજકોટ,

રાજકોટ શહેરનું નામાંકિત સેવાભાવી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી જયેશભાઇ ઉપાધ્યાય નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા અનેક લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જયેશભાઇએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ભલે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. લોકોના આશીર્વાદ અને મહાદેવ ના આશીર્વાદ મારી સાથે છે. હું સ્કૂટર લઈ ને હોસ્પિટલમાં આવ્યો છું. ઘોડા જેવો થઈ ને અહીં થી બહાર નિકળીશ. લોકડાઉન દરમ્યાન બોલબાલા ટ્રસ્ટ દ્વારા દરરોજ ના ૩૭ હજાર લોકોને ટિફિન પોહચાડવાની સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી હતી. હંમેશા લોકોની મદદે જયેશભાઇ તત્પર રહ્યા છે. રાજકોટ અને સૌરાષ્ટ્રવાસીઓ તેઓ જલ્દીથી સાજા થાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે. જયેશભાઇ ઉપાધ્યાય હાલ સિનર્જી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment