હિન્દ ન્યુઝ, તળાજા ભાવનગર તળાજાનાં ગઢુલા ગામ ખાતે સમસ્ત ઢાપા પરિવારનાં ખેતરપાળ દાદાનાં સાનધ્યમાં ચૈત્ર સુદ પૂનમ નિમિત્તે 51 કુંડી ગાયત્રી મહાયજ્ઞ પાટોત્સવ ઉજવાયો. જેમાં સમગ્ર ઢાપા પરિવાર ખૂબ મોટી સંખ્યામાં દર્શન કાજ પધાર્યા તેમજ મહા પ્રસાદી લઈ ધન્યતા અનુભવી. તા. 11/04/2025 ની રાત્રિ દરમિયાન તોરણીયા રામામંડળ દ્વારા આખ્યાન નું આયોજન કરવામાં આવેલું હતું. રિપોર્ટર : લાલજી ઢાપા, ભાવનગર
Read MoreMonth: April 2025
દેવભૂમિ દ્વારકામાં ભગવાનશ્રી કૃષ્ણ અને રાણી રુક્મણીજીના ભવ્ય વિવાહ સત્કાર સમારોહનું આયોજન કરાયું
હિન્દ ન્યુઝ, જામનગર માધવપુર ઘેડના મેળા પાંચમાં દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્મણીજી વિવાહને સત્કારવા માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્ર દેવભૂમિ દ્વારકાના સયુંકત ઉપક્રમે સર્કિટ હાઉસ પાછળના મેદાન ખાતે ભવ્ય સત્કાર સમારોહ યોજાયો હતો. આ સત્કાર સમારોહમાં પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય કક્ષાનું બહુમાન ધરાવતો માધવપુરનો મેળો આધુનિક યુગમાં પ્રાચીન પરંપરાઓને ઉજાગર કરે છે. માધવપુરથી નીકળેલી ભગવાનની જાનને સત્કારવા માટે ગાંધવી(હર્ષદ) થી રુક્મણીજી મંદિર સુધી બાળકોથી માંડી વયોવૃદ્ધ દ્વારા શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. માધવપુરમાં યોજાતી વર્ષો જૂની મેળાની પરંપરા…
Read Moreમુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ અંતર્ગત જાહેરનામું પ્રસિદ્ધ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ “મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ (CGMS)-૨૦૨૫”ની પરીક્ષા તા.૧૨/૦૪/૨૦૨૫ને શનિવારના રોજ સવારના ૧૧:૦૦ કલાકથી ૧૩:૩૦ કલાક દરમિયાન યોજાશે. જે પરીક્ષા કેન્દ્રો તથા તેની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં આવેલા વિસ્તારને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરી કેટલાંક કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ રાજેશ આલ દ્વારા પ્રસિદ્ધ કરાયું છે. જાહેરનામાં મુજબ ઉપરોક્ત પરીક્ષા કેન્દ્રો તથા તેની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં આવેલ વિસ્તારમાં પરીક્ષાર્થી ઉમેદવાર અને પરીક્ષા સંબંધિત કામગીરીમાં રોકાયેલા, ફરજ પરના અધિકૃત માણસો સિવાય અન્ય કોઈ બિન અધિકૃત માણસોએ ઉપરોક્ત પ્રતિબંધિત વિસ્તારમાં દાખલ…
Read Moreમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના ખેડૂતો ખરીફ પાકોનું વાવેતર અને ઉત્પાદન વધારી શકે તેવો ખેડૂત હિતકારી અભિગમ
હિન્દ ન્યુઝ, ભાવનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કપાસ અને અન્ય ખરીફ પાકોનું વાવેતર કરતા ખેડૂતોના વિશાળ હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતો આગોતરૂં આયોજન કરીને પાકનું વાવેતર અને ઉત્પાદન વધારી શકે તે માટે મુખ્યમંત્રીએ આ વર્ષે આ વિસ્તારમાં જરૂરિયાત મુજબ સિંચાઈનું પાણી એક મહિનો વહેલું એટલે કે તા.૧૫મી મે, ૨૦૨૫થી આપવાનો નિર્ણય કર્યો છે. સામાન્ય રીતે સરદાર સરોવર યોજનાના પિયત વિસ્તારમાં ખરીફ સિઝન માટે તા.૧૫મી જૂન પછી પાણી છોડવામાં આવતું હોય છે. ખેડૂતોને જો સિંચાઈ માટે વહેલું પાણી આપવામાં આવે તો તેઓ વધુ…
Read Moreજામનગર જિલ્લાના વિવિધ એસ.ટી.ડેપો ખાતે વિનામૂલ્યે છાસ વિતરણ કાર્યક્રમનું આયોજન
હિન્દ ન્યુઝ, જામનગર હાલ ગરમીના કારણે જિલ્લાના જામનગર એસ.ટી.ડેપો તથા અન્ય તાલુકા કક્ષાના બસ સ્ટેશન ખાતેથી આવાગમન કરતા મુસાફરોને રાહત મળે તેમજ કોઈ મુસાફરને લૂ ની અસર ન થાય તે હેતુથી એસ.ટી.વિભાગ જામનગરના વિભાગીય નિયામક બી.સી.જાડેજાના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લાના વિવિધ એસ.ટી. ડેપો ખાતે વિનામૂલ્યે છાસ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એસ.ટી.વિભાગના કર્મચારીઓ તથા એસ.ટી. કેન્ટીનનો સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે. અસહ્ય ગરમીમાં આ પ્રકારના આયોજન બદલ મુસાફરોએ પણ એસ.ટી. વિભાગની આ નવતર પહેલે આવકારી સંતોષ વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ…
Read Moreઆગામી તા.૨૩ એપ્રિલના રોજ કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
હિન્દ ન્યુઝ, જામનગર ‘સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ’ ની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ ‘તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ’ દર માસે યોજવાનું સૂચન કર્યું છે. જે અનુસાર જામનગર તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૩-૦૪-૨૦૨૫ ના રોજ સવારના ૧૧:૦૦ કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને મામલતદાર (શહેર) કચેરીના મીટિંગ હોલમાં યોજવામાં આવશે. તેથી આગામી તા.૧૮-૦૪-૨૦૨૫ સુધીમાં અરજદારોએ તાલુકા સ્વાગત…
Read Moreગેસ ગળતરથી મૃત્યુના કિસ્સામાં સફાઈ કામદારોના વારસદારોને રૂ.10 લાખના બદલે રૂ.30 લાખની સહાય ચૂકવાશે
હિન્દ ન્યુઝ, જામનગર કેન્દ્ર સરકાર દ્વારા “ધી પ્રોહીબીશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રીહેબીલીટેશન એકટ-2013” ની કલમ ૭ અને ૯ ની જોગવાઈ મુજબ કોઇપણ વ્યકિત કે સંસ્થા દ્વારા સીધી કે આડકતરી રીતે કોઇપણ વ્યકિતને કે સફાઇ કામદારને ગટર કે ખાળકૂવાની સફાઇ કરવા જોખમી કામે રાખવા પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. અને ગટર સફાઇની કામગીરી દરમ્યાન જરૂરી સુરક્ષાના યાંત્રિક સાધનોની મદદથી ગટર સફાઇ કામગીરી કરાવવાની થાય છે. જામનગર જિલ્લામાં શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં આવતા તમામ ખાનગી સોસાયટી, રેસ્ટોરન્ટ, હોસ્પિટલ, પેઢીઓ, કારખાનેદારો, હોટેલ, સિનેમાઘરો, લગ્નવાડી, મોલ વગેરે…
Read Moreહીટવેવથી શ્રમયોગીઓને રક્ષણ મળે તે હેતુથી બાંધકામ સાઇટ પર બપોરે ૧ થી ૪ દરમિયાન વિશ્રામ સમય મળશે
હિન્દ ન્યુઝ, જામનગર ધ બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ એક્ટ-૧૯૯૬ અન્વયે હિટવેવને અનુલક્ષીને જામનગર અને દેવભુમી દ્વારકા જિલ્લામાં આવેલ તમામ બાંધકામ સાઇટ પર જયાં બાંધકામ શ્રમીયોગીઓ દ્વારા કામ લેવામાં આવે છે તે તમામ બાંધકામ સાઇટ પર બપોરે ૧.૦૦ કલાકથી ૪.૦૦ કલાક સુધી કામગીરી ના લેવા તેમજ બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન શ્રમયોગીઓને આરામ/ વિશ્રામનો સમય આપવા તેવી વ્યવસ્થા કરવા ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યના નાયબ નિયામક જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે. જે મુજબ મકાન અને અન્ય બાંધકામની કામગીરીમાં રોકાયેલ બાંધકામ શ્રમયોગીઓને પ્રવર્તમાન ઉનાળા સિઝનમાં અવારનવાર પડતી અતિશય ગરમીના…
Read Moreતા.૧૭ એપ્રિલ સુધીમાં ઇ- શ્રમ પોર્ટલ પર આણંદ જિલ્લાના પ્લેટફોર્મ-ગીગ વર્કરની નોંધણી કરાવવા અનુરોધ
હિન્દ ન્યુઝ, આણંદ ભારત સરકાર દ્વારા સને ૨૦૨૫-૨૬ના કેન્દ્રીય બજેટમાં ઇ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલ પ્લેટફોર્મ-ગીગ વર્કરને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ આપવા અંગે જાહેરાત કરેલ છે. જે અન્વયે આણંદ જિલ્લા ખાતે વિવિધ પ્લેટફોર્મ એગિગ્રેટર્સ કંપનીઓ ઝોમેટો, સ્વીગી, ઝેપ્ટો, ઓલા, ઉબેર વગેરે ખાતે કામ કરતા પ્લેટફોર્મ-ગીગ વર્કરની નોંધણી માટે આગામી તારીખ ૧૭ એપ્રિલ સુધી મદદનીશ શ્રમ આયુક્તની કચેરી, આણંદ દ્વારા સ્પેશિયલ રજીસ્ટ્રેશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. આ નોંધણી માટે પ્લેટફોર્મ-ગીગ વર્કર મદદનીશ શ્રમ આયુક્તની કચેરી, ૩૦૩-૩૦૫, ત્રીજો માળ, જુના જિલા સેવા સદન, બોરસદ ચોકડી…
Read Moreવેરાવળમાં પૂર્ણા સખી/સહસખીને પૂર્ણા મોડ્યૂલની તાલીમ અપાઈ
હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૮ થી ૧૫ થી ૧૮ વર્ષની તમામ કિશોરીઓ માટે પૂર્ણા યોજના અમલ કરવામાં આવી છે. જે અન્વયે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના તમામ સેજાઓમાં પૂર્ણા મોડ્યુલની તાલીમ યોજાઈ હતી. આ તાલીમથી કિશોરીઓને સરકારની પૂર્ણા યોજના વિશે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વેરાવળ ઘટક-૧/૨ નાં તમામ-૧૩ સેજાઓમાં પૂર્ણા મોડ્યુલની તાલીમ યોજાઈ હતી. જેમાં વિવિધ તજજ્ઞો, સી.ડી.પી.ઓ., મુખ્ય સેવીકા તેમજ અન્ય વિભાગોમાંથી ઉપસ્થિત રહેલા અધિકારીઓ દ્વારા પૂર્ણા સખી સહસખી મોડ્યુલ અંગેની જાણકારી તેમજ સખી-સહસખીના માપદંડો, ભૂમિકા વગેરે જેવા…
Read More
