હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ ગીર-સોમનાથ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત વિવિધ ગ્રામીણ વિસ્તારોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપવાની સાથે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય કિટસ વિતરણ કરવામાં આવી રહી છે.જે અંતર્ગત તાલાલા તાલુકાના હિરણવેલ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થી શ્રી પરષોતમભાઈ છગનભાઈ કાલાવડિયાને લાભ મળતા પ્રતિભાવ આપ્યા હતા. પરષોતમભાઈ કાલાવડીયાએ પ્રધાનમંત્રી આરોગ્ય યોજનાનો લાભ મળવાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યુ કે મારે દીકરીઓ છે તેને સાસરે વળાવી દીધી છે અને દીકરો પણ ધંધા અર્થ બહાર છે ત્યારે શરીરમાં માંદગી અને…
Read MoreDay: January 2, 2024
વેરાવળ અભયમ ટીમ દ્વારા સુત્રાપાડા તાલુકાની યુવતીનુ કરાયુ કુશળ કાઉન્સિલિંગ
હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં કાર્યરત ૧૮૧ મહિલા હેલપલાઇનમાં સુત્રાપાડા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાંથી એક મહિલાનો કોલ આવેલ અને જણાવેલ કે મારી નાની બહેન અભ્યાસ ચાલુ છે.અને એક યુવકના પ્રેમમાં પડતાં ઘરેથી મરવાની ઘમકી આપી અને તે યુવકના ઘરે અવાર-નવાર જતી રહે છે.વેરાવળ અભયમ ટીમે કુશળ કાઉન્સિલિંગ દ્વારા સમજાવટથી ઘરે પરત મોકલી હતી. જેમા ૧૮૧ મહિલા હેલપલાઇનમાં સુત્રાપાડા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાંથી એક મહિલાનો કોલ આવેલ અને જણાવેલ કે મારી નાની બહેન અભ્યાસ ચાલુ છે.અને એક યુવકના પ્રેમમાં પડતાં ઘરેથી મરવાની ઘમકી આપી અને તે યુવકના ઘરે અવાર-નવાર જતી…
Read Moreવેરાવળ ખાતે મહિલાઓ માટે જાગૃતિ શિબિર યોજાઈ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મહિલા સુરક્ષા અને મહિલા કલ્યાણકારી યોજનાઓ વિશેનાં જાગૃતિ શિબિર આયોજન સરદાર વલ્લભભાઈ પટેલ અધ્યાપન મંદિર વેરાવળ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં બેટી બચાવો, બેટી પઢાવો યોજના,સાયબર સેફ્ટી, મહિલા સુરક્ષા માટેની યોજનાઓ જેવી કે OSC, 181 અભયમ મહિલા હેલ્પલાઇન, 181 એપ્લિકેશન, સંકટ સખી એપ્લિકેશન, PBSC,નારી કેન્દ્ર વિશે, પ્રી એન્ડ પોસ્ટ મેરીજ કાઉન્સિલિંગ, મહિલાલક્ષી કાયદાઓ વિશે તેમજ મહિલા કલ્યાણકારી યોજનાઓ વિશેની માહિતી આપવામાં આવેલ આ શિબિર માં પી. ટી. સી કોલેજ ના પ્રિન્સીપાલ ચુડાસમા સાહેબ , વ્યાસભાઇ,તેમજ વિદ્યાર્થીનીઓ,…
Read Moreકેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી ભાગવત કરાડના અધ્યક્ષસ્થાને ગીર સોમનાથ જિલ્લામાં યોજાઈ વિકસિત ભારત સંકલ્પ યાત્રા
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગીર સોમનાથ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી કેન્દ્ર સરકાર ઉપરાંત રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીઓને આપવામાં આવી રહ્યો છે. જેના ઉપક્રમે કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી શ્રી ભાગવત કરાડે ગીર સોમનાથનાં ધ્રામણવા અને પીપળવાના ગ્રામજનો સાથે વિવિધ યોજનાકીય બાબતો અંગે સંવાદ સાધ્યો હતો અને વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી હતી. ગીર સોમનાથમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ગ્રામ્ય વિસ્તારમાં વ્યાપક આવકાર મળી રહ્યો છે. ધ્રામણવા ઉપરાંત પીપળવા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ગ્રામજનોએ હર્ષોલ્લાસપૂર્વક આવકાર આપ્યો હતો. કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી ભાગવત કરાડના હસ્તે…
Read Moreજિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાની ઉપસ્થિતિમાં ગીર સોમનાથમાં જિલ્લા કક્ષાનો સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘ફિટ ઇન્ડિયા’ના વિઝન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ‘સ્વસ્થ ગુજરાત’ના મિશન સાથે યોગાભ્યાસ થકી સ્વાસ્થ્ય અંગેની જાગૃતિ ફેલાવવાનો ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો નવતર અભિગમ એટલે ગુજરાતમાં પ્રથમ વખત આયોજિત રાજ્યવ્યાપી ‘સૂર્યનમસ્કાર મહાઅભિયાન’. મોઢેરા સહિત ૧૦૮ આઈકોનિક સ્થળોએ યોજાયેલા આ મહાઅભિયાનમાં ગીર સોમનાથની પણ સહભાગીદારી નોંધાઈ હતી અને સોમનાથ પથિકાશ્રમ ખાતે સૂર્યનમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો.આ તકે, ગીર સોમનાથ સહિત અન્ય જિલ્લાઓ વર્ચ્યુઅલ માધ્યમ વડે રાજ્ય કક્ષાના સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં જોડાયા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ,…
Read Moreભાવનગર જિલ્લાનાં વિવિધ ગામડાઓમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ તા.૨ જાન્યુઆરીનાં રોજ ભ્રમણ કરશે
હિન્દ ન્યુઝ, ભાવનગર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજન સુધી પહોચે તેવા આશયથી ભાવનગર જિલ્લાનાં તમામ તાલુકાઓમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નાં રથો ગામે ગામ ફરી રહ્યા છે. જેમાં આજરોજ તા.૦૨/૦૧/૨૦૨૪ નાં તળાજા તાલુકામાં ટીમાણા અને સેવાળીયા, મહુવા તાલુકામાં વાળાવાવ અને માળવાવ, શિહોર તાલુકામાં ખાંભા અને રબારીકા તેમજ પાલિતાણા તાલુકામાં આદપુર અને જાળીયા (મનજી) ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ના રથ ફરશે.
Read Moreકેબિનેટ મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને બોટાદ ખાતે ‘વિકસીત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમ તેમજ સેવા સેતુના નવમાં તબક્કાનો શુભારંભ કરાયો
હિન્દ ન્યુઝ, બોટાદ જનહિતલક્ષી યોજનાઓના લાભથી એકપણ વ્યક્તિ વંચિત ન રહે તે માટે જાગૃતિ કેળવવા સંકલ્પ યાત્રા એક મહત્વપૂર્ણ સોપાન બની રહી છે, ત્યારે સામાજિક ન્યાય અને અધિકારીતા અને મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી વ બોટાદ જિલ્લા પ્રભારી મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને બોટાદ ખાતે નગરપાલિકા કક્ષાના ‘વિકસીત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમ અને સેવા સેતુના નવમાં તબક્કાનો શુભારંભ કરાયો હતો. આ અવસરે લાભાર્થીઓને સ્થળ પરથી જ લાભનું વિતરણ કરવાની સાથેસાથે પ્રભારી મંત્રીશ્રીના વરદહસ્તે રૂ. 7.63 કરોડના ખર્ચે જિલ્લાકક્ષાના મોડેલ ફાયર સ્ટેશનના કામનું ઈ-ખાતમુહૂર્ત, રૂ. 1.85…
Read Moreભાવનગરમા ૨૦૨૪ના વર્ષના પ્રથમ દિવસે સામૂહિક સૂર્યનમસ્કારનો કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, ભાવનગર રોગ ને પડકાર સૂર્ય નમસ્કાર, 1 જાન્યુઆરીએ 108 સ્થળો પર સૂર્ય નમસ્કાર નો કાર્યક્રમ યોજાયો હતો જે અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા તથા રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના સંયુકત ઉપક્રમે ગુજરાત સરકારશ્રી ના રાજ્ય વ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત ઘોઘા સર્કલ અખાડો, ઘોઘા સર્કલ અને બોર તળાવ ખાતે સામૂહીક સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા રાજ્યભરમાં ૧૦૮ સ્થળોએ આ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્ય કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં સૂર્યમંદિર મોઢેરા…
Read More