બુધેલના પુષ્પાબેન રાવલને કેન્સરની સારવારમાં પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ મદદરૂપ સાબિત થયું

હિન્દ ન્યુઝ, ભાવનગર  વિકસીત ભારત સંકલ્પ યાત્રા છેવાડાના લોકોને યોજનાઓથી લાભાન્વિત કરવા તેમજ લાયક લાભાર્થી વંચિત ના રહી જાય એ ઉદ્દેશ્ય થી ગામે ગામ ફરી રહી છે  રથ આજે ભાવનગરના બુધેલ ગામે આવી પહોંચતી અહીંના રહેવાસી પુષ્પાબેન રાવલે  ‘મેરી કહાની, મેરી ઝુબાની’ અંતર્ગત પ્રતિભાવ આપ્યો હતો કે તેમની કેન્સરની બીમારીની સારવાર માટે પ્રધાનમંત્રી આયુષ્યમાન મદદરૂપ સાબિત થયું હતું. પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડના લીધે એમને સારવાર નિશુલ્ક મળી એથી સરકારનો આભાર વ્યકત કર્યો હતો.

Read More

બુધેલના ખેડૂત કરમશીભાઈ જેતાણીને મળ્યો સોઇલ હેલ્થ કાર્ડનો લાભ

હિન્દ ન્યુઝ, ભાવનગર  ભાવનગર તાલુકાના બુધેલ ગામના કરમશીભાઈ જેતાણીને સોઇલ હેલ્થ કાર્ડનો લાભ મળ્યો છે. બુધેલમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ દરમિયાન યોજાયેલા કાર્યક્રમમાં તેમણે ‘મેરી કહાની, મેરી ઝુબાની’ અંતર્ગત સોઇલ હેલ્થ કાર્ડના લાભો અંગે લોકોને જણાવ્યું હતું  કરમશીભાઈ રાઘવ ભાઈ જેતાણીએ લોકોને જણાવ્યું હતું કે સોઇલ હેલ્થ કાર્ડ કઢાવ્યા બાદ તેમને જમીન અંગેનું યોગ્ય પરિક્ષણ કરવા અંગે માર્ગદર્શન મળતા તેમને ખેતીની જમીનને લેબોરેટરીમાં ટેસ્ટ કરાવતા કયા પ્રકારના ખાતરની ઉણપ છે તે અંગે એમને ખ્યાલ આવ્યો હતો આથી યોગ્ય દિશામાં ખાતરનો ઉપયોગ કરીને તેમને સારી ઉપજ પ્રાપ્ત થઈ હતી.   અન્ય…

Read More

બુધેલનાં ટ્રક ચાલક કિશોરભાઈ મકવાણાને પ્રધાનમંત્રી આવાસ યોજના થકી બન્યું પાકું ઘર

હિન્દ ન્યુઝ, ભાવનગર  ભાવનગર તાલુકાના બુધેલ ગામે રહેતા ટ્રક ડ્રાઇવર કિશોરભાઈ મકવાણાન્ પ્રધાનમંત્રી આવાસ યોજના થકી પાકું ઘર મળ્યું છે, જે બદલ તેઓ સરકારનો આભાર માની રહ્યા છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આજે બુધેલ ગામે આવી પહોંચતા કિશોરભાઈ નાગજીભાઈ મકવાણા જણાવે છે કે પહેલા કાચું મકાન હતું તે ખૂબ જ જર્જરીત હાલતમાં હતું. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 1,20,000 ની સહાય મળતા તેમને પાકું ઘરનું ઘર બની ગયું છે જેથી તેઓએ પોતાના પ્રતિભાવો રજૂ કરી અને સરકારનો આભાર માન્યો હતો.

Read More

ભાવનગર જિલ્લાના વિવિધ ગામડાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા તા.૧૨ ડિસેમ્બરનાં રોજ ફરશે

હિન્દ ન્યુઝ ભાવનગર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજન સુધી પહોચે તેવા આશયથી ભાવનગર જિલ્લાનાં તમામ તાલુકાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં રથો ફરનાર છે.  જેમાં આવતીકાલે તા.૧૨/૧૨/૨૦૨૩ નાં ભાવનગર તાલુકામાં કોબડી અને સરતાનાપર, ઘોઘા તાલુકામાં પીથલપુર અને વાવડી, તળાજા તાલુકામાં ગડેસરા અને બોડકી, વલ્લભીપુર તાલુકામાં મેઘવદર અને કલ્યાણપુર, મહુવા તાલુકામાં ભદ્રોડ, ગારીયાધાર તાલુકામાં સાંઢ ખાખરા અને નવાગામ, ઉમરાળા તાલુકામાં ધારૂકા અને દંભાલિયા, સિહોર તાલુકામાં ભૂતિયા અને પીપરડી તેમજ પાલીતાણા તાલુકામાં વાળુકડ અને બહાદુરપુર ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના રથ ફરશે.

Read More

ભાવનગર જિલ્લાનાં તાલુકાઓમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નું ઉમળકાભેર સ્વાગત કરાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર સરકાર દ્વારા પ્રજાકલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરીકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતી ફેલાવવા સમગ્ર રાજ્યમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નું આયોજન કરવામાં આવ્યુ છે.  આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ અંતર્ગત ભાવનગર તાલુકામાં બુધેલ, ઘોઘા તાલુકામાં નથુગઢ અને સાણોદર, તળાજા તાલુકામાં પસવી અને પડારી, વલ્લભીપુર તાલુકામાં વીરડી અને આનંદપુર, મહુવા તાલુકામાં કતપર, ગારીયાધાર તાલુકામાં પાલડી અને શિવેન્દ્રનગર, ઉમરાળા તાલુકામાં બજુડ અને ગોલરામા, સિહોર તાલુકામાં પાંચ તલાવડા અને ગઢુલા તેમજ પાલીતાણા તાલુકામાં આંકોલાળી અને જાળીયા ગામે આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું હતું.  આ ગામોમાં…

Read More

શિહોરના ગઢૂલા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં પ્રધાનમંત્રી અન્નપૂર્ણા યોજનાના પ્રમાણપત્ર અપાયા

હિન્દ ન્યુઝ, ભાવનગર  વિકસીત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત શિહોરના ગઢૂલા ગામે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રૈયાબેન મિયાણીના હસ્તે વિષ્ણુભાઈ પરમારને પ્રધાનમંત્રી અન્નપૂર્ણા યોજનાનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. આ તકે વિષ્ણુભાઈ પરમાર ને પ્રધાનમંત્રી અન્નપૂર્ણા યોજના અંતર્ગત આવરી લઇ અધિકારીઓ દ્વારા પ્રમાણપત્ર એનાયત કરાયા હવેથી એમને આ યોજના અંતર્ગત લાભો મળવાના શરૂ થશે એથી એમને સરકાર નો આભાર માન્યો હતો.

Read More

નાલ્સા (સુપ્રિમ કોર્ટ) અને સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરીટી (હાઈકોર્ટ) નાં આદેશ મુજબ ભાવનગર ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરાયુ

હિન્દ ન્યુઝ, ભાવનગર        જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ભાવનગર દ્વારા તા.૦૯/૧૨/૨૦૨૩ નાં રોજ નાલ્સા (સુપ્રિમ કોર્ટ) અને સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરીટી (હાઈકોર્ટ) નાં આદેશ મુજબ મેમ્બર સેક્રેટરી આર.એ.ત્રિવેદીની સુચના અનુસાર નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં કુલ રૂ.૩૪.૨૩ કરોડ સમાધાનની રકમ દ્વારા કુલ ૯૧૦૦ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. જિલ્લામાં એલ.એસ. પીરઝાદા જિલ્લા ન્યાયાધીશ અને અધ્યક્ષ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ભાવનગરનાં માર્ગદર્શન અનુસાર કોર્ટોમાં લોક અદાલત યોજાઈ હતી. જેમાં સમાધાન પાત્ર ફોજદારી કેસો, મોટર એકસીડન્ટ કલેઈમ પીટીશન, ચેક રીટર્ન કેસો, દેવા વસુલાતને લગતા દિવાની…

Read More

શિહોરના ગઢુલા ગામે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રૈયાબેન મિયાણીના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્યભરમાં ચાલી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે ભાવનગર જિલ્લામાં શિહોર તાલુકાના ગઢુલા ગામે રથનું આગમન થયું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રૈયાબેન મિયાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં ઉત્સાહભેર રથને આવકાર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોષણ યોજના, સોઈલ હેલ્થ કાર્ડ, પીએમ આવાસ યોજના (ગ્રામીણ),  આયુષ્માન કાર્ડ વગેરે યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત પોતાના અનુભવો વર્ણવ્યા હતા. કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. આ તકે વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત…

Read More

ભાવનગર તાલુકાના બુધેલ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉમંગભેર સ્વાગત

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર તાલુકાના બુધેલ ગામે ‘‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’નો રથ આવી પહોંચતા ઉમંગભેર સ્વાગત ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું. આ યાત્રા ગામમાં પ્રવેશતા ગામના આગેવાનો દ્વારા યાત્રાનું સ્વાગત કરાયુ હતું. આ યાત્રાના રથમાં સરકારની વિવિધ યોજનાઓનું પ્રદર્શન, પ્રધાનમંત્રીનો સંદેશ રજૂ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ માં  મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત લાભાર્થીઓએ પોતાને મળેલા લાભો વિશે જણાવ્યું હતું.  વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત સરકાર તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજય સરકારની વિવિધ યોજનાઓના પાત્રતા ધરાવતા લાભાર્થીઓને આ યોજનાઓનો લાભ મળી રહે તે માટે  યોજાયેલી  આ યાત્રાના રથમાં સરકારના…

Read More

ભાવનગર જિલ્લામાં તા.૧૦મી ડિસેમ્બર, ૨૦૨૩ નાં રોજ પોલિયો રસીકરણ કરાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર ભારત દેશ પોલિયો મુક્ત થઈ ગયેલ છે, પરંતુ હજુ પણ કેટલાક દેશોમાંથી પોલિયો નાબૂદ થયેલ ન હોવાથી તે પોલિયો ફરીથી ફેલાવાની શક્યતા રહેલી છે. જેથી આપણાં દેશમાંથી પોલિયો નાબૂદ કરવા માટે અભિયાન ચલાવવામાં આવે છે. જે બાબતે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં આયોજન હોલ, કલેકટર કચેરી, ભાવનગર ખાતે SNID પોલીયો રાઉન્ડ ૧૦મી ડિસેમ્બર ૨૦૨૩ અન્વયે સમીક્ષા બેઠક યોજાયેલ તેમજ SNID પોલીયો રાઉન્ડની કામગીરી ૧૦૦ ટકા સંપુર્ણ થાય તે માટે જરૂરી સુચનો આપવામાં આવ્યાં હતાં. જેમાં ચાલુ વર્ષે તા.૧૦મી ડિસેમ્બર, ૨૦૨૩ નાં રોજથી આપણાં ગુજરાત રાજ્યમાં પોલિયો અભિયાન ચલાવવામાં આવનાર…

Read More