હિન્દ ન્યુઝ, ભાવનગર
વિકસીત ભારત સંકલ્પ યાત્રા છેવાડાના લોકોને યોજનાઓથી લાભાન્વિત કરવા તેમજ લાયક લાભાર્થી વંચિત ના રહી જાય એ ઉદ્દેશ્ય થી ગામે ગામ ફરી રહી છે
રથ આજે ભાવનગરના બુધેલ ગામે આવી પહોંચતી અહીંના રહેવાસી પુષ્પાબેન રાવલે ‘મેરી કહાની, મેરી ઝુબાની’ અંતર્ગત પ્રતિભાવ આપ્યો હતો કે તેમની કેન્સરની બીમારીની સારવાર માટે પ્રધાનમંત્રી આયુષ્યમાન મદદરૂપ સાબિત થયું હતું.
પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડના લીધે એમને સારવાર નિશુલ્ક મળી એથી સરકારનો આભાર વ્યકત કર્યો હતો.