હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગુજરાત ચાર અક્ષરનો આ શબ્દ આજે વિકાસનાં નકશામાં કંઈક અલગ ભાત પાડી રહ્યો છે. ગુજરાતની શ્રેષ્ઠતા, ગુજરાતનું ગૌરવ અને ગુજરાતનો વિકાસ આ ત્રિવેણી ગુજરાતની ગરિમાની આગવી પહેચાન છે. આપત્તિઓને અવસરમાં પલટાવી નાંખવાની ક્ષમતા ધરાવતું ગુજરાત છેલ્લા દશકાથી દુનિયાને સામર્થ્ય અને પુરૂષાર્થની અનુભૂતિ કરાવીને પોતાનાં અનોખા મિજાજનો પરિચય કરાવતું રહ્યું છે. ભારતવર્ષનાં વિકાસને હૃદયમાં રાખીને ૨૧મી સદીને અનુરૂપ આધુનિકત્તમ વિકાસનાં સીમાચિન્હો પ્રસ્થાપિત કરવા થનગનતા ગુજરાતે પુરુષાર્થપૂર્ણ, પરિણામલક્ષી રાજનીતિ અને વંચિતો અને ગરીબોના હિતને પ્રાથમિકતા આપી છે. મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં દ્રષ્ટીવંત અને સાતત્યપૂર્ણ નેતૃત્ત્વ હેઠળ ગુજરાતે…
Read MoreDay: October 7, 2023
ગીર સોમનાથ જિલ્લામાં વિવિધ સંસ્થાઓ માટે જિલ્લાકક્ષાનાં નવરાત્રી પ્રાચીન રાસ-ગરબા સ્પર્ધા યોજાઈ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગરના કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગીર સોમનાથ સંચાલિત ગીર સોમનાથ જિલ્લાની રસ ધરાવતી વિવિધ સંસ્થાઓ માટે પ્રાચીન અને અર્વાચીન જિલ્લાકક્ષાનાં નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધાનું ૨૦૨૩-૨૦૨૪નુ આયોજન સ્વામિનારાયણ ગુરુકુલ પ્રભાસ પાટણ ખાતે કરવામાં આવ્યુ હતુ. જેમાં પ્રાચિન ગરબા સ્પર્ધામાં મોડેલ સ્કુલ-ઈણાજના ખેલૈયા પ્રથમ અને દ્વિતીય ક્રમાંકે મ્યુનિસિપલ ગર્લ્સ હાઇસ્કુલ, કોડીનારના ખેલૈયા તેમજ રાસ સ્પર્ધામાં શ્રી દાંડીયા કલાસીસ, વેરાવળના ખેલૈયા પ્રથમ અને દ્વિતીય નંબર પર મોડેલ…
Read Moreપ્રભાસપાટણ ગુરૂકુળ ખાતે શાળાકીય રમતોત્સવ-૨૦૨૩ અંતર્ગત અન્ડર-૧૭ રાજયકક્ષા યોગાસન સ્પર્ધા યોજાઈ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગુજરાત સરકાર ના, રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજીત અને જિલ્લા રમતગમત અધિકારી, ગીર સોમનાથ દ્વારા સંચાલિત શાળાકીય રમતોત્સવ-૨૦૨૩ અંતર્ગત રાજયકક્ષા યોગાસન અન્ડર-૧૭ (ભાઇઓ/ બહેનો)ની સ્પર્ધા તા. ૩૦ સપ્ટેમ્બરથી તા.૦૨ ઓક્ટોબર સુધી સ્વામીનારાયણ ગુરૂકુળ હાઇસ્કુલ, શંખ સર્કલ, પ્રભાસ પાટણ, સોમનાથ ખાતે યોજાઈ હતી. જેમા ગુજરાત જિલ્લાઓમાંથી યોગાસન અન્ડર-૧૭ (ભાઇઓ/ બહેનો) ૩૦૦થી વધારે સ્પર્ધકો ભાગ લીધો હતો અને વિવિધ પ્રકારના યોગાસનો દર્શાવ્યા હતા. આ સ્પર્ધામાં એક્સપર્ટ્સે યોગ કરવાથી થતા વિવિધ ફાયદાઓ પણ વર્ણવ્યા હતાં.
Read Moreશ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં સત્તરમા યુવક મહોત્સવમાં વિવિધ રમતોમાં કૌવત બતાવતા વિદ્યાર્થીઓ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી પરિસરમાં ૧૭માં યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રોત્સાહન અને પ્રગતિ દ્વારા પ્રસિદ્ધિ મેળવવી તે આ યુવક મહોત્સવનું લક્ષ્ય છે ત્યારે યુવક મહોત્સવના બીજા દિવસે કુલ નવ (૯) સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું જેમાં ૩૦૦ થી વધુ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. યુવક મહોત્સવના બીજા દિવસે એકલ શાસ્ત્રીય વાદન, ચિત્ર સ્પર્ધા, કબડ્ડી, ગોળાફેંક, કૂદ, કાર્ટુન સ્પર્ધા, એકલ સંસ્કૃત ગીત, એકલ શાસ્ત્રીય ગાન, વોલીબોલ વગેરે જેવી સ્પર્ધાઓમાં પોતાનું કૌવત દર્શાવ્યું હતું. ત્રણ દિવસ ચાલનાર આ આ યુવક મહોત્સવમાં ગુજરાત રાજ્યની ૩૩…
Read Moreસુત્રાપાડાના પ્રાચી ખાતે યોજાયો તાલુકા કક્ષાનો મિલેટ મહોત્સવ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ મિલેટ્સ એટલે કે જાડા ધાન્યોમાં રહેલા પોષકતત્વો અને સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ અંગે લોકોમાં જાગૃતિ આવે તેવા શુભહેતુથી સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. જે અંતર્ગત સુત્રાપાડા તાલુકાના પ્રાચી ગામે કારડિયા રાજપૂત સમાજની વાડીમાં તાલુકા કક્ષાના મિલેટ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સૌ પ્રથમ મહેમાન તરીકે પધારેલ જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબહેન મૂછાર, ઉપપ્રમુખ રાજવીરસિંહ ઝાલા, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ અને અગ્રણી મહેન્દ્રભાઈ પીઠિયાએ તમામ સ્ટોલ્સની મુલાકાત લઈ અને ખેડૂતોનો ઉત્સાહ વધાર્યો હતો તેમજ આંગણવાડીના બહેનોએ બનાવેલ મિલેટ્સ વાનગીઓનો પણ આસ્વાદ માણ્યો હતો. આ…
Read Moreભાવનગરમાં તા.૮ થી ૧૪ ઓકટોબર નવરાત્રી મેળાનુ આયોજન
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને દીન દયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય ગ્રામીણ આજીવીકા મિશન (DAY- NRLM) ના ઉપક્રમે ગ્રામીણ મહિલા સ્વ સહાય જૂથો દ્વારા ઉત્પાદીત ચીજ વસ્તુઓના વેચાણ હેતુ નવરાત્રી મેળાનુ આગામી તા. ૦૮-૧૦-૨૦૨૩ થી તા. ૧૪-૧૦-૨૦૨૩ સુધી સરદાર સ્મૃતિ હોય કેસેટ સર્કલ, ભાવનગર ખાતે આયોજન કરવામાં આવશે. ભાવનગર જિલ્લામાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવીકા મિશન અંતર્ગત મહિલા સ્વ સહાય જૂથોની રચના કરવામાં આવેલ છે આ જૂથોમાં જોડાયેલ ગ્રામીણ મહિલાઓના સામાજીક અને આર્થીક વિકાસ હેતુ વિવિધ તાલીમો, નાણાકીય સહાય અને તેમના દ્વારા ઉત્પાદીત ચીજ વસ્તુઓના…
Read Moreએસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ અંતર્ગત કવાંટ અને નસવાડી તાલુકાના વિકાસ માટે ખાસ આયોજન હેઠળ કામ કરાશે
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર ભારત સરકારના નીતિ આયોગ દ્વારા નક્કી કરાયેલા એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ કાર્યક્રમ અંતર્ગત વિકસિત થનારા તાલુકાઓ તરીકે વેગવાન બનાવવા માટે વિશેષ ભાર મૂકાઈ રહ્યો છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના એસ્પિરેશનલ બ્લોક તરીકે નસવાડી અને કવાંટ તાલુકાઓને ગુજરાતના અન્ય ૧૩ તાલુકાઓ સાથે એબીપી કેટેગરીમાં લેવામાં આવ્યા છે. આવા તાલુકા ભારતમાં કૂલ ૫૦૦ જેટલા છે જેને અન્ય તાલુકાઓની સમાન કક્ષામાં લાવવા માટે ખાસ આયોજન પૂર્વક રણનીતિ બનાવવામાં આવી છે. એબીપી હેઠળ આજે જીલ્લા સેવા સદન ખાતે વીસી હોલમાં એક બેઠકનું આયોજન…
Read More