હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીરસોમનાથ જિલ્લામાં ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે બાગાયત ખાતાની “કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યકમ યોજના” (એચ.આર.ટી.-૨,૩,૪) ઘટકમાં ઓનલાઇન અરજી કરવા માટે આઈ-ખેડુતપોર્ટલ (https://ikhedut.gujarat.gov.in) તા.૩૧/૧૨/૨૦૨૨ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે. આ કાર્યક્રમ હેઠળ વ્યકતિગત ખેડુત તથા ખેતી લાયક જમીન ધારણ કરેલ રજીસ્ટર્ડ ટ્રસ્ટ માટે ઓછામાં ઓછા ૨.૦૦ હેક્ટર અને મહત્તમ ૪.૦૦ હેકટરની મર્યાદામાં તેમજ એફપીઓ, એફપીસી, સહકારી મંડળી ના સભાસદોના કિસ્સામાં ઓછામાં ઓછા ૨.૦૦ હેક્ટર તથા મહત્તમ ૫૦.૦૦ હેક્ટર. સુધીના વાવેતર માટે સહાય આપવામાં આવશે. તેમજ બહુવર્ષાયુ ફળઝાડના વાવેતર ઘટક સાથે પિયતના સાધનો, બાગાયત યાંત્રીકરણ, બાગાયતી માળખાકીય સુવિધાઓ, વર્મી કંમ્પોસ્ટ યુનિટ, ગેપ સર્ટિફિકેશન ,પ્લાસ્ટીક આવરણ પૈકીના ઓછામાં…
Read MoreMonth: September 2022
કેફી પદાર્થની લતથી પતિએ પત્ની અને દીકરીને ઘરની બહાર કાઢી મૂક્યા, વેરાવળ અભયમની ટીમે મદદ કરતા પરિવાર વિંખાતા અટક્યો
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ કેફી પદાર્થની લતમાં વ્યક્તિને સારા અને ખરાબની ભાન જ રહેતી નથી. આવો જ કિસ્સો વેરાવળમાં બન્યો હતો જ્યાં કેફી પદાર્થનાં સેવન બાદ પતિ નશાની હાલતમાં રોજ પત્નીને મારઝૂડ કરતો છતાં પીડિત મહિલા મૂંગા મોઢે સહન કરતી. હદ તો ત્યારે આવી જ્યારે નશામાં ચકચૂર પતિએ પત્ની તેમજ દીકરીઓને અપશબ્દો બોલી ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી. આ ઘટનાની પાડોશીઓને જાણ થતાં તેમણે ૧૮૧ અભયમ હેલ્પલાઈનમાં ફોન કરીને મદદ કરવા માટે વિનંતી કરી. જેથી કોલ મળતાની સાથે જ અભયમમાં હાજર રહેલ કાઉન્સેલર મનીષાબહેન ધોળિયા, કોન્સ્ટેબલ અલ્પાબહેન અને પાઇલોટ રમેશભાઈ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં અને મહિલા…
Read Moreનેશનલ ગેમ્સ-૨૦૨૨ અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “સ્પોર્ટ્સ કાર્નિવલ”માં વિવિધ ગેમ્સ અને એક્ટિવિટીઝ યોજાઈ
હિન્દ ન્યુઝ, રાજકોટ તા. ૨૯-સપ્ટેમ્બર થી તા. ૧૨ ઓક્ટોબર દરમ્યાન ગુજરાતમાં યોજાનાર ૩૬મી નેશનલ ગેઇમ્સ ગુજરાત-૨૦૨૨ની હોકી અને સ્વિમિંગની સ્પર્ધાઓ રાજકોટનાં યજમાન પદ હેઠળ યોજાનાર છે એ પૂર્વે રાજકોટમાં લોકોમાં સ્પોર્ટસ અને ફિટનેસ પ્રત્યે જાગૃતિ કેળવવા અને નેશનલ ગેમ્સ માટે અનેરો માહોલ અને લોકઉત્સાહ સર્જવા તા.૧૫ થી ૧૮ સપ્ટેમ્બર દરમ્યાન સ્પોર્ટસ કાર્નિવલનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે, આ અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે ગુરૂવારે તા. ૧૫-૦૯-૨૦૨૨નાં રોજ સાંજે ૫.૦૦ વાગ્યે રેસકોર્સ ખાતે મેજર ધ્યાનચંદ હોકી મેદાન ખાતે ગુજરાત-એ અને ગુજરાત-બી ટીમ વચ્ચે હોકી મેચ રમાયો હતો. જેમાં માન. મેયર પ્રદિપ…
Read Moreસરદાર સરોવર ડેમ ૧૩૮.૬૮ મીટરની ઐતિહાસિક સપાટીએ ભરાઇ ગયો ૪.૭૩ મિલીયન એકર ફૂટ એટલે કે પ.૭૬ લાખ કરોડ લીટર પાણીનો ડેમમાં સંગ્રહ
હિન્દ ન્યુઝ, બોટાદ ગુજરાતની જિવાદોરી નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળસપાટી પૂર્ણ કક્ષાએ એટલે કે ૧૩૮.૬૮ મીટરે પહોંચી છે. આના પરિણામે જળાશયમાં ૪.૭૩ મિલીયન એકર ફૂટ એટલે કે પ.૭૬ લાખ કરોડ લીટર પાણીનો સંગ્રહ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર સરોવર ડેમ ૧૩૮.૬૮ મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચવાની ગૌરવ ઘટનામાં સહભાગી થઇ મા નર્મદાના નીરના વધામણા ગુરૂવારે સવારે એકતાનગર પહોંચીને કર્યા હતા અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે સરદાર સરોવર નર્મદા ડેમ ર૦૧૯ અને ર૦ર૦ પછી આ વર્ષે ત્રીજીવાર પૂર્ણ જળાશય સપાટીએ છલકાયો છે. એકતાનગર ખાતે નમામી દેવી નર્મદે ના…
Read More16 સપ્ટેમ્બર- વિશ્વ ઓઝોન દિવસ : વિશ્વ ઓઝોન દિવસ નિમિત્તે ચાલો જાણીયે સૂર્યનાં પારજાંબલી કિરણોથી જીવસૃષ્ટિને બચાવતાં ઓઝોન લેયર વિશે
હિન્દ ન્યુઝ, બોટાદ પૃથ્વીનાં વાતાવરણના બહારનાં પડમાં ઓઝોન વાયુનું એક લેયર-સ્તર આવેલું છે. આ ઓઝોન વાયુનું લેયર સૂર્યનાં ઘાતક પારજાંબલી કિરણોથી પૃથ્વી પરની જીવસૃષ્ટિની રક્ષા કરે છે. જો આ પારજાંબલી કિરણો પૃથ્વી સુધી પહોંચે તો તેના સંપર્કમાં આવવાથી ચામડીનું કેન્સર, શ્વસનમાં તકલીફ, મોતિયો, વનસ્પતિનો વિકાસ રૂંધાવો જેવી હાનિકારક અસરો થાય છે. એસી, ફ્રિજ, કોલ્ડ સ્ટોરેજ, અમુક રાસાયણિક સ્પ્રે વગેરેમાંથી ઉદભવતા ક્લોરોફ્લોરો કાર્બન જેવાં હાનિકારક વાયુઓને કારણે ઓઝોનના આ અતિ ઉપયોગી પડમાં ગાબડું પડી રહ્યું છે, આ પડ પાતળું થઇ રહ્યું છે. આ બાબતે લોકોને જાગૃત કરવા વર્ષ ૧૮૮૭માં વિશ્વ સંઘ દ્વારા…
Read Moreબાળકના પોષણનો આધાર,માતાનું દૂધ જ સર્વોત્તમ આહાર
હિન્દ ન્યુઝ, બોટાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ ૨૦૧૮થી પોષણ અભિયાનનો રાષ્ટ્રવ્યાપી આરંભ કરાવવામાં આવ્યો હતો. જે અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર માસમાં જન જાગૃતિ માટે ‘રાષ્ટ્રીય પોષણ માહ’ની ઉજવણી કરવામાં આવે છે.મા અને બાળક વચ્ચેનો સેતુ બાળકનાં જન્મ પહેલાં જ બંધાયેલો હોય છે. જીવનના પ્રથમ વર્ષમાં પ્રેમ, હૂંફ, સુરક્ષા અને આરામ આ બધું જ બાળક માની ગોદમાં મેળવે છે. નવજાત બાળક માટે માતાનું દૂધ અનેક રીતે ફાયદાકારક છે. ત્યારે આજે આપણે વાત કરીશું શીશુ માટે માતાના દૂધનું શું મહત્વ છે ? જે રીતે એક છોડના…
Read Moreબોટાદ પીજીવીસીએલ : તા.૧૮ મી સપ્ટેમ્બરના રોજ જરૂરી સમારકામ કામગીરી અર્થે બોટાદ શહેરના કેટલાક વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ પીજીવીસીએલ,પેટાવિભાગીય કચેરીના નાયબ ઈજનેરશ્રી તરફથી અખબારી યાદીમાં જણાવાયું છે કે, તા. ૧૮/૦૯/૨૦૨૨ ને રવિવારના રોજ જરૂરી સમારકામ કામગીરી અર્થે બોટાદ શહેર પેટા વિભાગીય કચેરી ૧ અંતર્ગત આવતા તથા ૬૬ કેવી બોટાદ સબ સ્ટેશન ૨ (કપલીધાર સબ સ્ટેશન) થી નીકળતા ૧૧ કેવી ગાયત્રીનગર અર્બન તથા ૧૧ કેવી સોનાવાલા અર્બન હેઠળ આવતા સારંગપુર રોડ, ખસ રોડ, ટાઢાંની વાડી, સોનાવાલા હોસ્પિટલ આજુબાજુનો વિસ્તાર, ભરવાડ વાસ, અળવ રોડ, ખોડિયાર નગર ૧, ખોડિયાર નગર ૨, રેલવે સ્ટેશન પાસેનો વિસ્તાર, મિલેટ્રી રોડ વિસ્તારમા સવારે ૮.૦૦ વાગ્યેથી બપોરે ૨.૦૦ વાગ્યે સુધી પાવર કાપ…
Read Moreમહેસાણા દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી ની મધરાત્રે ધરપકડ
હિન્દ ન્યુઝ, રાધનપુર રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને મહેસાણા ની દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી ની ગાંધીનગર સ્થિત તેમના બંગલે થી ધરપકડ કરવામાં આવી છે . પ્રાથમિક વિગતો અનુશાર દૂધસાગર ડેરીમાં રૂપિયા ૩૨૦ કરોડના બોગસ વ્યવહાર મામલે વિપુલ ચૌધરી ની મધરાત્રે ધરપકડ કરવામાં આવી હતી.વિગતો મુજબ તપાસ દરમ્યાન અનેક ગોટાળાઓ સામે આવ્યા છે. મહેસાણા દૂધ સાગર ડેરીના ચેરમેન અને રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી ના મુશ્કેલી મા ફરી એકવાર વધારો થયો છે.ગઈકાલે મોડી રાત્રે તેમના નિવાસ સ્થાને થી તેમની ધરપકડ કરવામાં આવી હતી. વિગતો મુજબ વિપુલ ચૌધરી સામે સહકારી…
Read Moreરાધનપુર માર્કેટયાર્ડ ખાતે ભારતીય જનતા પાર્ટી કિશાન મોરચા ની બેઠક યોજાઇ
હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લાના રાધનપુર ખાતે માર્કેટ યાર્ડ ખાતે ભારતીય જનતા પાર્ટી કિશાન મોરચા ની મીટીંગ યોજાઇ હતી.જેમાં રાધનપુર વિધાનસભા ના કિશાન મોરચા ના કાર્યકરો અને હોદ્દેદારો ની ઉપસ્થિતિ માં 2022 ની ચુંટણી ને ધ્યાનમાં રાખીને દરેક ગામમાં કિશાન મોરચા દ્વારા કિશાન પંચાયત ની બેઠકો કરવા માટે આયોજન માટે મીટીંગ યોજાઇ જેમાં રાધનપુર વિધાનસભા ના કિશાન મોરચા ના હોદ્દેદારો ની ઉપસ્થિતિ માં મીટીંગ યોજાઇ હતી.જેમાં મુખ્ય મહેમાન તરીકે કિશાન મોરચા ના પાટણ જિલ્લાના પ્રભારી શામજીભાઈ પટેલ પાટણ જિલ્લાના કિશાન મોરચા પ્રમુખ ભીખાભાઇ ખૈર મહામંત્રી ભીખુભા શોઢા રાધનપુર વિધાનસભા ના…
Read Moreરાધનપુર TRB જવાન ની પ્રશંસનીય કામગીરી
હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા ખાતે ટી.આર.બી જવાન ની પ્રશંસનીય કામગીરી સામે આવી. રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા TRB જવાન ભૂરાભાઈ મકવાણા ની પ્રશંસનીય કામગીરી જોવા મળી હતી. રાધનપુર બજાર માં અજાણ વ્યક્તિ નો મોબાઇલ પડી ગયો હતો જે મોબાઇલ ફૉન TRB જવાન ભૂરાભાઈ ને મળ્યો હતો.જેથી જેતે વ્યક્તિ નો મોબાઇલ ફોન ગુમ થયો હતો તે વ્યક્તિ ની રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે બોલાવીને મોબાઇલ ફોન પરત કરવામાં આવ્યો હતો.આમ,રાધનપુર ખાતે TRB જવાન ની પ્રશંસનીય કામગીરી જોઈને લોકોમાં તેમજ પોલીસ સ્ટેશન સ્ટાફ માં TRB જવાન ની કામગીરી ને…
Read More