ચોમાસુ-૨૦૨૨ નાં અનુસંધાને સંભવિત આફતો સામેની તૈયારી તથા રાહત બચાવની કામગીરી અંતર્ગત ૨૪ કલાક કંટ્રોલરૂમ કાર્યરત

હિન્દ ન્યુઝ, ભાવનગર ચોમાસુ-૨૦૨૨ નાં અનુસંધાને અતિવૃષ્ટી, પુર, ભારે વરસાદ, વાવાઝોડુ તથા અન્ય સંભવિત આફતો સામેની તૈયારી તથા રાહત બચાવની કામગીરી અંતર્ગત પ્રજાજનોની ફરીયાદ/માર્ગદર્શન મેળવવા તેમજ માહિતીની આપ-લે માટે ભાવનગર મહાનગરપાલિકા ખાતે તેમજ તાલુકામાં મામલતદાર કચેરી ખાતે આપત્તિ વ્યવસ્થાપનનાં ભાગરૂપે ૨૪ કલાક કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવેલ છે. જેમાં ભાવનગર મહાનગરપાલિકા કંટ્રોલ રૂમ નં.૦૨૭૮-૨૪૩૦૨૪૫, ૦૨૭૮-૨૪૨૪૮૧૬, ઘોઘા કંટ્રોલ રૂમ નં.૦૨૭૮-૨૮૮૨૩૨૩, ઘોઘા કંટ્રોલ રૂમ નં.૦૨૮૪૬-૨૨૨૦૦૯, ઉમરાળા કંટ્રોલ રૂમ નં.૦૨૮૪૩-૨૩૫૨૩૦, વલ્લભીપુર કંટ્રોલ રૂમ નં.૦૨૮૪૧-૨૨૨૪૩૫, પાલીતાણા કંટ્રોલ રૂમ નં.૦૨૮૪૮-૨૪૩૩૨૬, ગારીયાધાર કંટ્રોલ રૂમ નં.૦૨૮૪૩-૨૫૨૯૨૨, મહુવા કંટ્રોલ રૂમ નં.૦૨૮૪૪-૨૨૩૦૪૨, જેસર કંટ્રોલ રૂમ નં.૦૨૮૪૫-૨૮૧૪૦૦ તથા તળાજા કંટ્રોલ રૂમ…

Read More

સુજલામ સુફલામ યોજના અંતર્ગત ભાવનગર જિલ્લાના પરવડી ખાતે વિશાળ જળાશયનો લોકાર્પણ સમારોહ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાનાં પરવડી ગામે સુજલામ સુફલામ યોજના અંતર્ગત પરવડી જળક્રાંતિ અભિયાન દ્વારા નવનિર્મિત વિશાળ જળાશયનો સાંસદ અને પ્રદેશ ભા.જ.પા. ના અધ્યક્ષ સી.આર. પાટીલ ની ઉપસ્થિતિમાં લોકાર્પણ સમારોહ યોજાયો હતો. પાલીતાણામાં દિવંગત શહીદ સ્વ.જયદત્તસિંહ સરવૈયાના બેસણામાં સાંત્વના પાઠવ્યાં બાદ ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાનાં પરવડી ગામે વિશાળ જળાશયના લોકાર્પણ સમારોહમાં સી. આર. પાટીલ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યાં હતાં. પરબડી ખાતે તેમને માધવ ગૌધામની મુલાકાત લીધી હતી ત્યાર બાદ વૃક્ષારોપણ કરી જળાશયની લોકાર્પણ વિધિ કરી હતી. પાટીલે જળાશયની ફરતે થયેલ કામગીરીની બારીકાઈ થી માહિતી મેળવી હતી. અત્રે ઉલ્લેખનીય છે…

Read More

ભાવનગર ખાતે ૮ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

હિન્દ ન્યુઝ, ભાવનગર શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘણીએ આજે વહેલી સવારે મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી, ભાવનગરના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ૮ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની શરૂઆત કરાવી હતી. શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, યોગ એ ભારતની પુરાતન સંસ્કૃતિ એ વિશ્વને આપેલી અણમોલ ભેટ છે. યોગ એ ઋષિ પરંપરા છે. જેને આજે સમગ્ર વિશ્વે સ્વિકારી છે. તેમણે જણાવ્યું કે, “યોગ ભગાવે રોગ” ના ન્યાયે યોગ એ માત્ર એક દિવસની ક્રિયા ન રહેતાં, નિયમિત જીવન શૈલીનો ભાગ બનાવવો જોઈએ. વડાપ્રધાનએ સંયુક્ત રાષ્ટ્રસંઘમાં યોગ દિવસની ઉજવણી માટે મુકેલા પ્રસ્તાવને સમગ્ર વિશ્વે સ્વિકારી પ્રતિ વર્ષ ૨૧મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય…

Read More

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ, કાળીયાબીડ ખાતે વિદ્યાર્થીઓ સાથે યોગાભ્યાસ કરતાં શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી

હિન્દ ન્યુઝ, ભાવનગર શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત કાળીયાબીડ ખાતે આવેલ સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલાં વિદ્યાર્થીઓ સાથે યોગાભ્યાસમાં જોડાયાં હતાં. તેમણે આ અવસરે જણાવ્યું કે, યોગ એ ભારતીય સંસ્કૃતિની પુરાતન છે અને પુરાતન વારસો છે. યોગના સંસ્કાર, વૈભવ અને વારસો વિશ્વને આપવાનું કાર્ય ભારતે કર્યું છે. ભારત વર્ષમાં સર્વાધિક લોકપ્રિય નેતા એવાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ યુનોમાં ભારત તરફથી યોગની ઉજવણી કરવા માટેનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેને યુનોએ સ્વીકારી તેના ઉપલક્ષમાં છેલ્લા આઠ વર્ષથી સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી…

Read More

ભાવનગર જિલ્લા કક્ષાની ૮ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સીદસર સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે કરાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી આર. સી. મકવાણાએ આજે વહેલી સવારે સીદસર ખાતે આવેલાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે જિલ્લા કક્ષાના ૮ મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની શરૂઆત કરાવી હતી. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી જણાવ્યું કે, યોગ એ ધર્મ, શ્રદ્ધા અને આસ્થા નથી, પરંતુ સરળ વિજ્ઞાન છે અને જીવન જીવવાની કળા છે. નિયમિત યોગ થી શરીરની બધી ઇન્દ્રીઓને નિયંત્રિત કરી શકાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, યોગ એ જીવન જીવવાની પદ્ધતિ છે. યોગમાં એટલી તાકાત છે કે જો સવારે દસ મિનિટ યોગ કરવામાં આવે તો આખો દિવસ…

Read More

ભાવનગરના સ્વિમિંગ પુલમાં વિશ્વ યોગ દિનની એક્વા યોગ કરી અનોખી ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, ભાવનગર સમગ્ર વિશ્વમાં તા. ૨૧મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ભાવનગર ખાતે સરદારનગરના સ્વિમિંગ પુલમાં અંદાજે ૪૦ જેટલાં યોગસાધકોએ એક્વા યોગ કરીને વિશ્વ યોગ દિવસની અનોખી ઉજવણી કરી હતી. યોગ એ ભારતીય સંસ્કૃતિએ વિશ્વને આપેલી અણમોલ વિરાસત છે. ત્યારે આખા વિશ્વમાં ૨૧ મી જૂનના દિવસે વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે ભાવનગરમાં નિલમબાગ પેલેસ, હસ્તગીરી પર્વત, વેળાવદર નેશનલ પાર્ક, બોર તળાવ, તખ્તેશ્વર મંદિર સહિતના અનેક સ્થળો પર યોગ કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત સરદાર પટેલ સ્વીમીંગ પૂલ ખાતે આશરે ૪૦ જેટલા…

Read More

ભાવનગર જિલ્લામાં ૧૦૮ સેવા, મહિલા હેલ્પલાઇન અભિયમ અને ખિલખિલાટ સેવાના કર્મચારીઓ દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, ભાવનગર ધ વર્ગના લોકો વિવિધ રીતે યોગની ઉજવણી કરીને યોગ દિવસને સાર્થકતા સાબિત કરી રહ્યાં છે ત્યારે આજે સંજિવની સમાન સેવા આપનાર ૧૦૮ સેવા, મહિલા હેલ્પલાઇન અભિયમ અને ખિલખિલાટ સેવાના કર્મચારીઓ દ્વારા પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજે સવારે સર ટી. હોસ્પિટલ ખાતે ૧૦૮ ની સેવામાં જોડાયેલાં કર્મયોગીઓએ સર ટી. હોસ્પિટલની અગાસી પર યોગ કર્યાં હતાં. શારિરીક સાથે માનસિક શાંતિ માટે વિવિધ યોગાસનો, આસનો કર્યા હતાં. બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Read More

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે ભાવનગરની આઇકોનિક જગ્યાઓએ યોગ કરવામાં આવ્યાં

હિન્દ ન્યુઝ, ભાવનગર આજે સમગ્ર વિશ્વમાં જ્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે તેવાં અવસરે ગુજરાત રાજ્યમાં પણ આઝાદીના ૭૫ વર્ષને ધ્યાનમાં રાખીને ૭૫ આઇકોનિક જગ્યાઓ ખાતે યોગ કરવામાં આવ્યાં હતાં. ભાવનગરમાં પણ હાથબ બંગલો, નિલમબાગ પેલેસ અને વેળાવદર નેશનલ પાર્ક ખાતે યોગના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ સાથે ભાવનગરમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના ક્રિકેટ મેદાન ખાતે શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી અને સીદસર ખાતે આવેલાં સ્પોર્સ્હ ગ્રાઉન્ડ ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી આર.સી. મકવાણા અને સાંસદ શ્રીમતી ડો. ભારતીબેન શિયાળની ઉપસ્થિતિમાં યોગદિવસની…

Read More

સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં યોજાયો આઠમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

હિન્દ ન્યુઝ, રાજપીપલા આજે દેશભરમાં આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઇ રહી છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વિશ્વ યોગ દિવસના કાર્યક્રમોમાં મૈસુરથી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ વર્ચુઅલી ઉપસ્થિત રહ્યા હતા.“આઝાદી કા અમૃત” મહોત્સવ અંતર્ગત દેશભરમાં વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે ૮ માં વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે દેશભરના ૭૫ આઇકોનિક સ્થળોની પસંદગી કરવામાં આવી છે જેમાં ગુજરાતમાં પસંદ પામેલા ચાર આઇકોનિક સ્થળોમાં નર્મદા જિલ્લાના SOU-એકતાનગરનો પણ સમાવેશ કરાયો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખભાઇ માંડવીયા,…

Read More

આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર અને રાણા સમાજ દ્વારા સુરતમાં સાત દિવસીય યોગ શિબિર યોજાઈ

હિન્દ ન્યુઝ, સુરત           સુરત રાણા સમાજ, રાણા સમાજ મહિલા ફોરમ, યુવા રાણા સમાજ-સુરતના સંયુક્ત ઉપક્રમે આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દ્વારા સિકોત્રા માતાની વાડી, કોટસફીલ રોડ ખાતે ૮ દિવસીય યોગ શિબિર યોજાઈ હતી. યોગ સાથે આયુર્વેદના પ્રચાર-પ્રસાર વિશે ડો.હેમાલીબેન રાણાએ ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધે તેમજ વધુને વધુ લોકો યોગાભ્યાસ કરે એવા આ શિબિર દરમિયાન પ્રયાસો કરવામાં આવ્યાં હતા. આ પ્રસંગે ધારાસભ્ય અરવિંદભાઈ રાણા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અગ્રણી સુરેશભાઈ માસ્તર, જિલ્લા આયુર્વેદ અધિકારી મિલનભાઈ દસોંદી, સુરત રાણા સમાજના પ્રમુખ…

Read More