હિન્દ ન્યૂઝ, ભાવનગર ગુજરાતની બીજા નંબરની મોટી રથયાત્રા એવી ભાવનગરની ૩૬ મી રથયાત્રાને શિક્ષણ રાજ્યમંત્રી સુ વિભાવરીબેન દવેએ પહિંદ વિધિ કરીને રથને પ્રસ્થાન કરાવ્યું હતું. આ વેળાએ તેમની સાથે ભાવનગરના નેક નામદાર મહારાજ વિજયરાજસિંહ ગોહિલ પણ જોડાયાં હતાં. ‘મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે’, હાથી, ઘોડા, પાલકી, ‘જય કનૈયા લાલ કી’ ના ભક્તોના નાદ વચ્ચે ભગવાન જગન્નાથ, ભ્રાતા બળદેવજી અને બહેન સુભદ્રાજી સાથે નગરની ૧૬ કિ.મી.ની પરંપરાગત નગરચર્યાએ સુભાષનગરના નીજ મંદિરેથી નિકળ્યાં હતાં.…
Read MoreMonth: July 2021
સર ટી. હોસ્પિટલ ખાતે રૂા. ૨.૫૩ કરોડના ખર્ચે સ્થાપિત ૨૦૦૦ લીટર પ્રતિ મિનિટ ક્ષમતા ધરાવતાં ૨ ઓક્સિજન જનરેશન પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરતાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવિયા
હિન્દ ન્યૂઝ, ભાવનગર કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવિયાએ આજે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે રૂા. ૨.૫૩ કરોડના ખર્ચે સ્થાપિત ૨૦૦૦ લીટર પ્રતિ મિનિટ ક્ષમતા ધરાવતાં ૨ ઓક્સિજન જનરેશન પ્લાન્ટનું દિલ્હીથી વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમમાં પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ અને આયુષ મંત્રી સર્વાનંદ સોનોવાલ, કેન્દ્રીય પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ અને પ્રવાસન રાજ્યમંત્રી શ્રીપદ યેસ્સો નાઇક, કેન્દ્રીય પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ રાજ્યમંત્રી શાન્તનુ ઠાકુર પણ વર્ચ્યુઅલ રીતે જોડાયાં હતાં. કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવિયાએ જણાવ્યું…
Read Moreર્ષ ૨૦૨૧-૨૨ માં મહિલાઓ માટે બાગાયત ખાતાની “મહિલા તાલીમાર્થીઓને વૃતિકા આપવા” ની યોજના માટેના આઈ ખેડૂત પોર્ટલ પર ફોર્મ ભરી શકાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર મદદનીશ બાગાયત નિયામક (કેનિંગ), નાયબ બાગાયત નિયામકની કચેરી, ભાવનગર દ્વારા મહિલાઓ માટે બાગાયત ખાતાની કેનીંગ અને કિચન ગાર્ડન યોજનામાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તારની મહિલાઓને ફળ અને શાકભાજી પરિરક્ષણ અંગેની બે તથા પાંચ દિવસીય તાલીમ આપવા અંગેનું આયોજન કરેલ છે. જે તાલીમ વર્ગમાં તાલીમાર્થીઓની સંખ્યા ૨૦ થી ૫૦ રહેશે તેમજ આ યોજના હેઠળ તાલીમનો સમય મિનિમમ સાત કલાક રહેશે તથા તાલીમમાં રેગ્યુલર ઉપસ્થિત રહેનાર મહિલા લાભાર્થીઓને દૈનિક રૂ.૨૫૦ વૃતિકા ચુકવવામાં આવશે. જેનો…
Read Moreછોટાઉદેપુર જિલ્લામાં જાસ્મિન ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા રક્ત શીબીર નું આયોજન કરવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, ડભોઈ જાસ્મિન ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા આયુષ બ્લડ બેંકના ઉપક્રમે અને લક્ષ્મીનારાયણ મિનરલ્સ ના સહયોગથી સિલ્વર પ્લાઝા કોમ્પ્લેક્સ, છોટાઉદેપુર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું અને સાથે જ સંસ્થામાં જોડાયેલા નવા સભ્યોનો સ્વાગત સંસ્થાના પ્રમુખ જાબીરહુસેન મલેક દ્વારા કરવામાં આવ્યું હતું. સભ્યોમાં સામેલ શ્રીમતી અશમા એમ. કાદરી, મોહમ્મદમુનાફ એસ. કાદરી ની નિમણૂક કરવામાં આવી હતી. જયારે સિરાજભાઈ પઠાણની…
Read More”પેટ્રોલ, ડીઝલ, વીજ બિલમાં તોતિંગ ભાવ વધારા ના વિરોધમાં દિયોદર, લાખાણી તાલુકા કોગ્રેસ દ્વારા જન ચેતના આંદોલન દિયોદર મામલતદાર ને આવેદન પત્ર આપ્યું
હિન્દ ન્યુઝ, દિયોદર આજ દિયોદર આદર્શ હાઇસ્કુલ કેમ્પસમાં દિયોદર અને લાખણી તાલુકાના કોંગ્રેસ દ્વારા જન ચેતના આંદોલન ની રેલી તેમજ સીબીર યોજાઈ. જેમાં મોંઘવારીની મહામારી થી ગરીબ અને મધ્યમ વર્ગની જનતા ત્રસ્ત થઈ છે. છેલ્લા અઢી દાયકા થી ભાજપ સરકાર મા મંદી, મોંઘવારીના કહેર થી ‘અચ્છે દિન ‘ બહોત હુઇ મહેગાઈ કી માર’જેવા સૂત્રો ની ભ્રામકતા સામે લોકો સુધી સાચી હકીકત પોહચાડવા કોંગ્રેસ દ્વારા નવતર પ્રયોગ ” જન ચેતના અભિયાન સેતુ” જન – જન સુધી ભાજપ ના જૂઠાણા, ની…
Read Moreઉના તાલુકાની હેલ્થ ઓફિસ દ્વારા આજે વિશ્વ જન સ્થિરતા પખવાડિયા ની ઉજવણી
હિન્દ ન્યુઝ, ઉના વિશ્વ જન સ્થિરતા પખવાડિયાની ઉજવણી ના ભાગરૂપે આજરોજ 11 જુલાઈ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી નિમિત્તે તાલુકા હેલ્થ ઓફિસ થી પ્રજાજનો ની જનજાગૃતિ માટે માનનીય પ્રધાનમંત્રી તથા માનનીય મુખ્યમંત્રી દ્વારા પ્રજાને સંબોધતા બેનરો બાઇક રેલી ના માધ્યમથી ઉના શહેરી વિસ્તારમાં પ્રદર્શિત કરવામાં આવ્યા. સાથે સાથે વસ્તી નિયંત્રણ માટેના યોજનાકીય માહિતીના પેમ્પલેટ લોકોને આપવામાં આવ્યા, સાથે કોરોના ની મહામારી ના આવનાર ફેજ ત્રણથી બચવા માટે લોકોમાં વેક્સિનેશન નું પ્રમાણ વધારવા શહેરીજનોના ગ્રુપમાં લોકો…
Read Moreજસદણમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
હિન્દ ન્યુઝ, જસદણ જસદણમાં પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે ખોડલધામ સમિતિના ચેરમેન નરેશભાઈ પટેલનો જન્મદિવસ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પ તેમજ વેક્શિન કેમ્પનું આયોજન કરાયું. બીજી તરફ રાજકોટ જિલ્લાના અને ગામો ની અંદર અલગ અલગ જગ્યાએ બ્લડ ડોનેટ કેમ્પ આયોજન કરાયું છે ત્યારે ઘણા લોકો બ્લડ ડોનેટ કેમ્પ તેમજ વેક્સિન નો લાભ લીધો. આ કાર્યક્રમ સવારમાં 9 વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવ્યા હતો. આ બ્લડ કેમ્પમાં દિનેશ બાંભણિયા ડોક્ટર કમલેશ હિરપરા તેમજ પાટીદાર શૈક્ષણિક ના કાર્યકર્તાઓ…
Read Moreજસદણ તાલુકા અને સહેર ભાજપની કારોબારી બેઠક
હિન્દ ન્યુઝ, જસદણ આજ રોજ જસદણ શહેર અને તાલુકા ભાજપની ની કારોબારી બેઠક કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયા શહેબની ની અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી રવિવારે બપોરે 2:3૦ વાગ્યે જેમાં જસદણ તાલુકા બક્ષીપંચ પ્રમુખ હરેશભાઇ હેરભા, મહામંત્રી વનરાજભાઈ, જિલ્લા કારોબારી સભ્ય પંકજભાઈ ચાંવ, અશોકભાઈ મહેતા, અશોકભાઈ ધાંધલ, નિમેશભાઈ તેમજ પાર્ટીના વિવિદ્ય મોરચાના આગેવાનો હાજર હતા. રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ
Read Moreવાવ તાલુકા ના અસારા ગામે લાગી આગ
હિન્દ ન્યુઝ, વાવ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા વાવ તાલુકા માં વારંવાર આગ લાગવાની ઘટના સામે આવી રહી છે ત્યારે આજરોજq વાવ તાલુકાના અસારા ગામે રાજપુત હિરજી ભાઈ પીરાજી ના જુવાર ના 7000 પુળા માં લાગી આગ. આકસ્મિત આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. ત્યારે થરાદ ફાયર ફાઈટર ને જાણ કરાતા થરાદ પાલિકાનાં ને ફાયરની ટીમ વિરમાભાઈ અને ધનજીભાઈ પ્રજાપતિ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો અને મોટી જાનહાનિ ટળી.…
Read Moreનર્મદા જિલ્લામાં તા. ૧૨ મી જુલાઇ, તા. ૧૭ મી ઓગષ્ટ અને તા.૧૩ મી સપ્ટેમ્બર, ૨૦૨૧ ના રોજ મિશન ઇન્દ્રધનુષ કાર્યક્રમ યોજાશે
હિન્દ ન્યુઝ, નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના અધ્યક્ષપદે તાજેતરમાં રાજપીપલા કલેક્ટરાલયના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલી મિશન ઇન્દ્રધનુષ અને IDCF ની બેઠકમાં જિલ્લામાં રસીકરણથી બાકી રહી ગયેલ માતાઓ અને ૦ થી ૫ વર્ષની વયના બાળકોને સ્પેશીયલ ડ્રાઇવ દ્વારા સંપુર્ણ રસીકરણ થાય અને કોઇપણ માતા અથવા બાળક રસીકરણથી વંચીત ન રહે તે રીતનું સૂચારૂં આયોજન ઘડી કાઢવા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે સુચના સાથે જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા, સિવીલ સર્જન ડૉ. જ્યોતિબેન ગુપ્તા, અધિક આરોગ્ય અધિકારી ડૉ. વિપુલ ગામીત, તાલુકા આરોગ્ય અધિકારીઓ, જિલ્લા ટી.બી ઓફિસર, આઇ.સી.ડી.…
Read More