ઉના તાલુકાની હેલ્થ ઓફિસ દ્વારા આજે વિશ્વ જન સ્થિરતા પખવાડિયા ની ઉજવણી

હિન્દ ન્યુઝ, ઉના

                                 વિશ્વ જન સ્થિરતા પખવાડિયાની ઉજવણી ના ભાગરૂપે આજરોજ 11 જુલાઈ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી નિમિત્તે તાલુકા હેલ્થ ઓફિસ થી પ્રજાજનો ની જનજાગૃતિ માટે માનનીય પ્રધાનમંત્રી તથા માનનીય મુખ્યમંત્રી દ્વારા પ્રજાને સંબોધતા બેનરો બાઇક રેલી ના માધ્યમથી ઉના શહેરી વિસ્તારમાં પ્રદર્શિત કરવામાં આવ્યા. સાથે સાથે વસ્તી નિયંત્રણ માટેના યોજનાકીય માહિતીના પેમ્પલેટ લોકોને આપવામાં આવ્યા, સાથે કોરોના ની મહામારી ના આવનાર ફેજ ત્રણથી બચવા માટે લોકોમાં વેક્સિનેશન નું પ્રમાણ વધારવા શહેરીજનોના ગ્રુપમાં લોકો વેક્સિન લે તે માટે અનુરોધ કરવામાં આવ્યો. આમ શહેરી આરોગ્ય કેન્દ્ર અને તાલુકા હેલ્થ ઓફિસ ની આરોગ્ય ટીમ દ્વારા આ અભિયાનને સફળ બનાવવામાં આવ્યો.

રિપોર્ટર : હર્ષદ વાઢેર, ઉના

Related posts

Leave a Comment