હિન્દ ન્યુઝ, અંબાજી શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે. હાલમાં અંબાજી મંદિર 2 મહીના બાદ ખોલવામાં આવ્યું છે ત્યારે અંબાજી ના સોશીયલ મીડિયામાં એક પ્રસાદનું બીલ વાઈરલ થતા વહીવટીતંત્ર અને પોલીસતંત્ર દ્વારા તેની ગંભીર નોંધ લેવામાં આવી છે અને મંગળવારે પાલનપુરમાં કલેકટર કચેરી ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મિટિંગમાં પોલીસતંત્ર, વહીવટી તંત્ર હાજર રહ્યા હતા. આ મીટિંગ મા દાંતા અંબાજી ગ્રાહક સુરક્ષા કેન્દ્ર ના વિપુલ ગુર્જર હાજર રહ્યા હતા અને તેમણે પણ રજુઆત…
Read MoreDay: June 24, 2021
માળિયા તાલુકાના વવાણીયા ગામમાં આવેલ ગૌચર જમીનમાં વાવેતર કરવામાં આવતું હોય જેથી ગૌચર જમીન બચાવવા માલધારી સેના દ્વારા મામલતદારને આવેદન પાઠવ્યું
હિન્દ ન્યુઝ, મોરબી ગુજરાત માલધારી સેના આઈટી ઉપપ્રમુખ નવઘણભાઈ વકાતરની રાહબરી હેઠળ ગુજરાત માલધારી સેનાએ માળિયા મામલતદારને આવેદન પાઠવ્યું છે. જેમાં જણાવ્યું છે કે માળિયા તાલુકાના વવાણીયા ગામમાં ગૌચર જમીન ખેડીને વાવેતર કરેલ છે. ગત વર્ષે પણ તે લોકોને જાણ કરવા છતાં આ વર્ષે વાવેતર માટે તૈયાર કરેલ છે. જો આમ જ ગૌચર જમીન ખેડાતી જશે તો બધી જ ગાયો રસ્તા પર રઝળતી થઇ જશે. જેથી જલ્દીથી પ્રશ્નનો નિરાકરણ લાવવા માલધારી સમાજએ માંગ કરી છે. ક્રાઈમ રિપોર્ટર : કાળુભાઈ પાચિયા, મોરબી
Read Moreલાખણી નાં કોટડા ગામે ગ્રામજનો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
હિન્દ ન્યુઝ, લાખણી રક્તદાતાઓ દ્વાર 50 બોટલ રક્તદાન કરવામાં આવ્યું હતું. લાખણી તાલુકા નાં કોટડા ગામે આજ રોજ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં ગ્રામજનો સહિત લોકો દ્વારા 50 બોટલ રક્તદાન રક્તદાતાઓ દ્વારા એકત્રિત કરવામાં આવ્યું હતું. જે બ્લડ ધાનેરા વ્હાઈટ ક્રોસ વોલન્ટરી બ્લડ બેંક માં જમાં કરાવવામાં આવ્યું હતું આ પ્રસંગે ડો.દિનેશભાઈ ચૌધરી, દીપકભાઈ ચૌધરી, શંકરભાઈ ચૌધરી એલ.વી.ચૌધરી, રઘુભાઈ સોલંકી રાષ્ટ્રીય કિસાન સંગઠન નાં જીલ્લા પ્રમુખ દોલાભાઈ ખાગડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી
Read Moreલાખણી ના કુંડા થી કોટડા ગામે જોડતો રસ્તા પર ટ્રેક્ટર નું ટાયર ફુટતા ટ્રેકટર રોડ થી નીચે ધરસાયુ
હિન્દ ન્યુઝ, લાખણી કુંડા થી કોટડા જોડતો રસ્તા પર ટ્રેક્ટર નું ટાયર ફુટતા રોડની સાઈડમાં નિચાણવાળા ભાગમાં દિવાલ કામ ન હોવાથી ટ્રેક્ટર પલ્ટી ગયુ.સ્થાનિક લોકો ના જામ્યા ટોળેટોળા સ્થાનિક લોકો નું કહેવુ છે, કે જો હવેથી વાહનો પલ્ટી મારવાનું ચાલું થઈ ગયું તો હજુ તો રોડનું કામ પુરું થયું નથીં નિચાણવાળા ભાગ માં દિવાલ કામ થાય તેવી સ્થાનિક લોકો ની માંગ ઉઠી છે. જો રોડ ની સાઈડ બાંધ કામ અથવા દિવાલ નું બાંધકામ નહીં થાય તો આવાં અકસ્માત થશે તો કોણ જવાબદાર ? તંત્ર ની આળસ, કૌભાંડ, બેદરકારી…
Read Moreજાણીતા કથાકાર વક્તા શ્રી વિશ્વાનંદમયી માતાજીએ કોરોનાની બીજા તબક્કાની રસી મૂકાવી
હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્ય સરકાર દ્વારા ‘સ્થળ પર પહોંચો અને રસીકરણ કરાવો’ ની શરૂઆત કરવામાં આવી છે અને તેના દ્વારા રાજ્યના તમામ નાગરિકોને રસીકરણ થાય તે માટે વ્યાપક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. કોરોના રસીકરણના આરોગ્ય તંત્રના આ વ્યાપક અભિયાનમાં ઉમરાળા તાલુકાના જાળિયાના શિવકુંજ આશ્રમના શ્રી વિશ્વાનંદમયીજી પણ જોડાયા છે. જાણીતા કથાકાર વક્તા શ્રી વિશ્વાનંદમયી માતાજીએ જાળિયા ગામમાં આજે બીજા તબક્કાની રસી મૂકાવી હતી. રસીકરણ બાદ તેમણે જણાવ્યું કે,વ્યક્તિ તંદુરસ્ત હશે તો જ રાષ્ટ્ર તંદુરસ્ત બનશે. તેથી રાજ્યના દરેક નાગરિકો સત્વરે રસી મુકાવીને પોતાની જાત સાથે રાષ્ટ્ર અને…
Read Moreનાબાર્ડના સહયોગથી સિહોર તાલુકાના અમરગઢ ખાતે ખેડૂતો માટેની શિબિર યોજાઈ
હિન્દ ન્યુઝ, ભાવનગર ખેડૂતો પોતે જ પાછો આવે અને પોતે વાવેલાં પાકના પોષણક્ષમ ભાવ મળે તે માટે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અનુસાર પોતાની ઉત્પાદક પેટી બનાવી પોતાનું ક્ષમતાવર્ધન કરશે. નાબાર્ડના સહયોગથી ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના અમરગઢ ખાતે યોજાયેલ ખેડૂત શિબિરમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં અમરગઢ, આંબલા, ઈશ્વરિયા, સોનગઢ અને તેની આસપાસના ૧૦ ગામોના ખેડૂતો ભેગા મળી પોતાની ઉત્પાદક પેટી બનાવશે અને પોતાના વાવેલાં માલનો યોગ્ય ભાવ મળે તે માટે પ્રયત્ન કરશે. કેન્દ્ર સરકારના ખેડૂતલક્ષી અભિયાન મુજબ દેશભરમાં ખેતીના પોષણક્ષમ ભાવ હેતુ સંસ્થા, પેઢીઓની રચના થઈ રહી…
Read Moreદિયોદર ના ધરમપુરા (લુદ્રા )ખાતે વેકસીન આપવા માં આવી
હિન્દ ન્યુઝ, દિયોદર દેશ અને વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે તયારે કોરોના થી બચવા માટે સરકાર દ્વારા રસીકરણ અભિયાન હાથ ધરવા માં આવ્યું છે. લોકો વધુ માં વધુ વેકસીન લે અને કોરો ના થી બચે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા 18 થી 44 વર્ષ ના લોકો ને વેકસીન આપવા માં આવી રહી છે. આજ રોજ દિયોદર ના ધરમપુરા (લુદ્રા) ખાતે રવેલ પી એચ સી ના નેજા હેઠળ સાબલા સબ સેન્ટર ના આરોગ્ય કર્મચારીઓ દ્વારા લોકો ને વેકસીન આપવા નું આયોજન ધરમપુરા(લુદ્રા) પ્રાથમિક શાળા ખાતે કરવા માં આવ્યું…
Read Moreઆઇએએસ સુજલકુમાર મયાત્રાએ કચ્છ કલેકટર તરીકે વિધિવત્ કમાન્ડ સંભાળ્યું
હિન્દ ન્યુઝ, કચ્છ કચ્છ જિલ્લામાં 2011 ની બેચના ભારતીય પ્રશાસનિક સેવાના અધિકારી સુજલકુમાર મયાત્રાએ આજરોજ જિલ્લા કલેકટરનો પદભાર સંભાળ્યો છે. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના વાંસાવડ ગામના વતની એવા સુજલકુમાર મયાત્રાએ ૨૫ વર્ષની યુવા ઉંમરે કેન્દ્રીય જાહેર સેવા આયોગની પરીક્ષા પાસ કરી આઈ.એ.એસ. બન્યા હતા. ૨૦૧૧ ની બેચના આ ગુજરાતી અધિકારીએ અત્યાર સુધીમાં અમરેલીમાં રાજુલાના સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ તરીકે ફરજ બજાવી ચુકયા છે તેમજ જીલ્લા વિકાસ અધિકારી તરીકે નર્મદા અને દાહોદ ખાતે ફરજ બજાવી છે. છોટાઉદેપુર જિલ્લામાં કલેકટર તરીકે પ્રસંશનિય સેવાઓ આપી છે. કલેકટર મયાત્રા નિરમા યુનિવર્સિટીમાંથી બી.ફાર્મ થયા…
Read More