માળિયા તાલુકાના વવાણીયા ગામમાં આવેલ ગૌચર જમીનમાં વાવેતર કરવામાં આવતું હોય જેથી ગૌચર જમીન બચાવવા માલધારી સેના દ્વારા મામલતદારને આવેદન પાઠવ્યું

હિન્દ ન્યુઝ, મોરબી

   ગુજરાત માલધારી સેના આઈટી ઉપપ્રમુખ નવઘણભાઈ વકાતરની રાહબરી હેઠળ ગુજરાત માલધારી સેનાએ માળિયા મામલતદારને આવેદન પાઠવ્યું છે. જેમાં જણાવ્યું છે કે માળિયા તાલુકાના વવાણીયા ગામમાં ગૌચર જમીન ખેડીને વાવેતર કરેલ છે. ગત વર્ષે પણ તે લોકોને જાણ કરવા છતાં આ વર્ષે વાવેતર માટે તૈયાર કરેલ છે. જો આમ જ ગૌચર જમીન ખેડાતી જશે તો બધી જ ગાયો રસ્તા પર રઝળતી થઇ જશે. જેથી જલ્દીથી પ્રશ્નનો નિરાકરણ લાવવા માલધારી સમાજએ માંગ કરી છે.

ક્રાઈમ રિપોર્ટર : કાળુભાઈ પાચિયા, મોરબી

Related posts

Leave a Comment