હિન્દ ન્યૂઝ, ઉત્તરસંડા આઝાદીના ૭૫માં વર્ષે ભારતના માન.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના અધ્યક્ષસ્થાને સાબરમતી આશ્રમ, અમદાવાદ ખાતેથી દાંડીયાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આઝાદીના ૭૫મા વર્ષની ઉજવણીના ભાગરૂપે તા.૧૨-૦૩-૨૦૨૧ના રોજ ખેડા જિલ્લામાં પાંચ સ્થળોએ આઝાદીનો અમૃત મહોત્સવ ઇન્ડીયા @ 75 મહાનુભાવોની ઉપસ્થિતિમા યોજાયો હતો જેમાં મુખ્ય કાર્યક્રમ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇની અધ્યક્ષતામાં ભારત હાઇસ્કૂલ, ઉત્ત્રસંડા ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત ખેડા જિલ્લામાંથી ખેડા, માતર અને નડિયાદ તાલુકામાંથી દાંડીયાત્રા પસાર થનાર છે. મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇએ જણાવ્યું હતુ કે, રાષ્ટ્રપિતા પૂજય મહાત્મા ગાંધીજીએ સવિનય કાનૂન…
Read MoreMonth: March 2021
લોન્ડ્રીના કપડા સાથે આવેલા દોઢ લાખ ગ્રાહકને પરત કર્યા
પ્રમાણીકતાનો ઉત્કૃષ્ટ દાખલો હિન્દ ન્યૂઝ, ધારી ધારીમાં આવેલી એક લોન્ડ્રીમાં ઇસ્ત્રી માટે આવેલા કપડાની થેલીમાંથી બે-હજારના દરની ૭૬ નોટ મળી આવતા પ્રમાણિક લોન્ડ્રી સંચાલકે પૈસા પરત કરી ખૂબ જ ઉમદા પ્રમાણિક ઉદાહરણ પૂરું પાડ્યું હતું ધારીના અમરેલી રોડ પર આવેલા ક્રિષ્ના કોમ્પ્લેક્ષ માં ચામુંડા લોન્ડ્રી નામની ધોબીની દુકાન ચલાવતા શામજીભાઈ સિમરીયાને ત્યાં એક યુવાને ઇસ્ત્રી માટે કપડાની થેલી આપેલ. જેમાં પ્લાસ્ટિક કોથળીમાં પેક રૂ. બે-હજારના દરની ૭૬ નોટ ભરેલી પોલીથીન બેગ મળી આવેલ. એટલે કુલ ૧-લાખ ૫૨-હજાર રોકડા મળી આવ્યા હતા,…
Read Moreઅમરેલી જિલ્લા ના ધારી તાલુકા હોમ ગાર્ડ યુનિટ ના જવાન ને પુત્રીના લગ્નપ્રસંગે સહાય ચેક અર્પણ
હિન્દ ન્યૂઝ, અમરેલી હોમગાર્ડઝ સભ્યો પોલીસની મદદ માં કાયદો અને વ્યવસ્થા તેમજ ધાર્મિક તેમજ વી.વી.આઇ.પી. બંદોબસ્ત તેમજ ચૂટંણી જેવી અગત્ય ની ફરજો ઉપરાંત કુદરતી અને માનવ સર્જિત આપત્તિ વેળાએ ખભે ખભા મેળવી નિષ્કામ સેવા કરી રહ્યા છે. અમરેલી જિલ્લા ના ધારી હોમ ગાર્ડઝ યુનિટના હોમગાર્ડ જવાન પરેશ વરમોરા નાં પુત્રીના લગ્નપ્રસંગે કલ્યાણ નિધિ માથી હોમ ગાર્ડ જવાન ને સહાય ચેક અર્પણ કરાયો. મે. ડાયરેક્ટર જનરલ ગુજરાત રાજ્ય હોમગાર્ડઝ અમદાવાદ દ્વારા મંજૂર કરાતાં માન.ધારાસભ્ય જે.વી.કાકડિયા સા. નાઓના વરદ હસ્તે…
Read Moreભાભર જલારામ ગૌશાળા ખાતે 14 તારીખ ના રોજ ગુજરાતના રાજ્યપાલ પધારાવાના હોવાથી ભાભર ગૌશાળા ટ્રસ્ટીઓ દ્વારા ભાભર પત્રકારોની મીટીંગ
હિન્દ ન્યૂઝ, ભાભર ભાભર ગૌશાળા માં ભાભરની પ્રખ્યાત જલારામ ગૌશાળા અને હરિધામ ગૌશાળા ના ટ્રસ્ટી ગણો દ્વારા ભાભર પત્રકારોની મીટીંગ કરવામાં આવી હતી. જેમાં તારીખ 14/03/2021 ને રવિવારના દિવસે ગુજરાત ના મહા માહિમ રાજયપાલ આચાર્ય દેવવ્રતજી ના વરદ હસ્તે ભાભર હરીંધામ ગૌશાળા માં 30 એકર જમીન માં ગૌ ગોચર અને નંદી ગોચર નો શુભારંભ કરવા પધારાવાના હોવાથી ભાભર પત્રકારોને અને તમામ બનાસકાંઠા ના પત્રકાર મિત્રો ને ભાભર જલારામ ગૌશાળા પધારવા ગૌશાળા ના ટ્રસ્ટીઓ દ્વારા ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. અહેવાલ : બાબુ ચૌધરી, ભાભર
Read Moreમાંગરોળ તાલુકાની વાંકલ કોલેજ નજીક ટ્રેકટર-ટ્રેલર પલ્ટી ખાઈ ગયું છે.જો કે આ બનાવમાં કોઈ જાનહાની થવા પામી નથી
હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત) માંગરોળ તાલુકાની વાંકલ સરકારી કોલેજ નજીક આજે તારીખ 11 માર્ચના સાંજે એક ટ્રેકટર-ટ્રેલર પલ્ટી ખાઈ ગયું હતું. જો કે આ બનાવમાં કોઈ જાનહાની થવા પામી નથી. ટ્રેકટરનાં ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા આ બનાવ બન્યો હતો. ટ્રેકટર અને ટ્રેલર માર્ગની બાજુમાં પલ્ટી ખાઈ, ગટરમાં ખાબકયું હતું. ટ્રેક્ટરમાં 15 શ્રમજીવીઓ બેઠેલા હતા. જેમાંથી એક શ્રમજીવી નો પગ ફેક્ચર થઈ જતાં એને સારવાર માટે નજીકની હોસ્પિટલ માં લઈ જવામાં આવ્યો છે. માર્ગ પરથી પસાર થતાં લોકોએ ટ્રેલરમાં સવાર લોકોને બચાવ્યા હતા. રિપોર્ટર :…
Read Moreઉમરપાડા તાલુકા કોંગ્રેસ ની ચૂંટણીનાં પરિણામ પ્રશ્ને ચર્ચા કરવા તારીખ 13 નાં શનિવારે, ઉમરપાડા ખાતે મળનારી સમીક્ષા બેઠક
હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત) ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિની જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીનાં પરિણામ પ્રશ્ને ચર્ચા કરવા તારીખ 13 નાં શનિવારે, ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિનાં કાર્યાલય ખાતે એક સમીક્ષા બેઠક સવારે 10.30 કલાકે, રાખવામાં આવી છે. જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકો ઉમરપાડા તાલુકામાં કોંગ્રેસ ગુમાવતાં સમીક્ષા બેઠક બોલાવવામાં આવી છે. ઉમરપાડા તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ હરેશભાઈ વસાવાએ આ બેઠકમાં ઉમરપાડા તાલુકા કોંગ્રેસનાં તમામ હોદ્દેદારો, કાર્યકરો અને ઉમેદવારોને હાજર રહેવા જણાવાયું છે. રિપોર્ટર : નઝીર પાંડોર, માંગરોળ (સુરત)
Read Moreમહાશિવરાત્રી નિમિત્તે ત્રંબકેશ્વર મહાદેવ મંદિરમાં હર હર મહાદેવના નાદ સાથે ભક્તોએ કર્યા શિવજીના દર્શન
હિન્દ ન્યૂઝ, માણાવદર માણાવદરમાં મહાદેવિયા વિસ્તારમાં આવેલ ત્રંબકેશ્વર મહાદેવ મંદિરે સવારથી જ ભક્ટોની હાજરી જોવા મળી રહી હતી. ત્રંબકેશ્વર મહાદેવ મંદિરની તેમજ શિવલિંગના અનેરા શણગારથી સમગ્ર મંદિર અદભુત જોવા મળી રહ્યું હતું. ભક્તોએ સવારની આરતીનો લાભ લીધો હતો.સવારથી જ મહાદેવના નાદ સાથે મંદિર ગુંજી ઉઠ્યું હતું. સમગ્ર માણાવદરમાં આવેલ મહાદેવના મંદિરોમાં મહાશિવરાત્રિની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન શિવ ને બીલીપત્ર પંચામૃત, શેરડીનો રસ, દહી, ગંગાજળ સહિતનું અભિષેક કરવામાં આવ્યું હતું. આજ ભક્તો દ્વારા વ્રત-ઉપાસના ની દ્રષ્ટિ દેવાધી દેવ મહાદેવને રીઝવવા માટે…
Read Moreલુવાણા કળશ ગામે કલેશહર માતાજીના સાનિધ્યમાં શિવભક્તો દ્વારા મહાશિવરાત્રીને ઉજવણી કરવામાં આવી
હિન્દ ન્યુઝ, લાખણી લુવાણા કળશ ગામે કલેશહર માતાજીના સાનિધ્યમાં દેવોના દેવ મહાદેવ ભગવાન ના મહાશિવરાત્રી પર્વ પર મહાકાલેશ્વર મહાદેવ ઉપર જલાધિસ અભિષેક કરવામાં આવ્યો. તેમાં ગામના બ્રાહ્મણો દ્વારા પૂજા-પાઠ કરવામાં આવ્યા અને શાસ્ત્રી નરસીભાઇ એચ. દવે અને વિષ્ણુભાઈ એમ. દવે શિવપુરાણ વાંચીને શંકર ભગવાનને પૂજાપાઠ અર્ચના આરતી કરવામાં આવી હતી અને આ માહ્ શિવરાત્રી પર રાત્રે ભવ્ય જાગરણ રાખવામાં પણ આવે છે અને તમામ ગ્રામજનો સનાતન ધર્મ પ્રેમી ઓ શિવભક્તો દ્વારા મહાશિવરાત્રીને ઉજવણી કરવામાં આવે છે. રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી
Read Moreરાજકોટમાં માનનીય નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં ‘સેલિબ્રેટિંગ ઇન્ડિયા @ 75 આઝાદીકા અમૃત મહોત્સવ’ કાર્યક્રમ યોજાયો
મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થી ભાઈબહેન દ્વારા પૂ. ગાંધી બાપુની ઐતિહાસિક દાંડી યાત્રાની નાટીકા રજુ કરી આઝાદીની લડત વખતનો માહોલ રીક્રીએટ કર્યો હિન્દ ન્યૂઝ, રાજકોટ અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે આજે તા. ૧૨/૦૩/૦૨૦૨૧ ના રોજ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ‘સેલિબ્રેટિંગ ઇન્ડિયા @75 આઝાદી કા અમૃત મહોત્સવ‘ ના પ્રારંભના ઉપલક્ષ્યમાં રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ જિલ્લા વહિવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ‘સેલિબ્રેટિંગ ઇન્ડિયા @75 આઝાદી કા અમૃત મહોત્સવ‘ કાર્યક્રમનું રાજકોટના મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે કાલે સવારે ૦૯:૦૦ વાગ્યે માનનીય નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે ૯૧ વર્ષ બાદ પૂન: જીવંત થઈ ઉઠેલી ઐતિહાસિક દાંડીયાત્રા આઝાદીની લડત વખતના માહોલના સાક્ષી બન્યા હતા. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, અંગ્રેજી હુકુમત સામે આઝાદીના લડવૈયાઓએ અભૂતપૂર્વ સ્વાતંત્ર્ય સંગ્રામ લડી જે બલિદાનો આપ્યા છે તેના પરિણામે દેશને મળેલી આઝાદી અત્યંત અમૂલ્ય છે…
Read Moreમહાશિવરાત્રી ના દિવસે દેવાધિદેવ સોમનાથ મહાદેવ મંદિર જય સોમનાથ અને હરહર મહાદેવ ના નાદ થી ગુંજયું
હિન્દ ન્યૂઝ, સોમનાથ સોમનાથ મહાદેવનું મંદિર ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું ભવ્ય મંદિર છે. ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિગમાંનું પ્રથમ જ્યોતિર્લિગ સોમનાથમાં છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે. મંદિરની ખ્યાતિથી લલચાઈને લુંટ તથા ધર્માંતરણ કરવાના ઈરાદાથી અનેક વિદેશીઓએ વિનાશકારી આક્રમણો કર્યા હતા પરંતુ સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે. મંદિરનો જ્યારે જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે, ત્યારે ત્યારે તેને ફરીને બાંધવામાં આવ્યું છે. મહાશિવરાત્રીના પર્વ પર સોમનાથ મહાદેવ મંદિર 42 કલાક ખુલ્લું રાખવામાં આવશે. સવારે 4 કલાકે…
Read More