હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત) માંગરોળ પોલીસ મથકનાં PSI પરેશ એચ.નાયી અને અન્ય જવાનો પ્રવિણસિંહ શાતુભા, શેલેષભાઈ, મુળજીભાઈ, મિતેષભાઈ, છકાભાઈ વગેરેઓ હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય, પેટ્રોલીંગમાં હતા ત્યારે મોસાલી બજારમાં એક બિનવારસી બાળક નજરે પડતાં પોલીસે બાળકનો કબ્જો લઈ પોલીસ મથકે લાવી, એનું નામ પૂછતાં આ 7 વર્ષીય બાળકે પોતાનું નામ સાગર જણાવ્યું હતું. PSI પરેશ નાયી અને જવાનોની ટીમે વાલીની શોધ કરતાં કાલુસિંગ બાલુસિંગ પાડવી, હાલ રહેવાસી બોઈદરા, તાલુકા માંગરોળ, મૂળ રહેવાસી એગાવ, રાપાપુર,તાલુકા તલોદા હોવાનું જણાય આવતાં પોલીસે એને માંગરોળ પોલીસ મથકે બોલાવી બાળકનો કબ્જો સુપરત કર્યો હતો.…
Read MoreDay: February 22, 2021
રાજકોટ મહાનગરપાલિકા અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ખાતે ફાયર સેફટી ઓફિસર ટ્રેનિંગ પ્રોગ્રામનો શુભારંભ કરાવતા મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ
“સૌરાષ્ટ્રનું રિજિયોનલ સેન્ટર છે રાજકોટ, ઘણા ફાયર સેફ્ટી ઓફિસરોની જરૂર છે, ફાયર સેફ્ટી ઓફિસરની કામગીરી એ માનવતાની સેવાનું ઉત્તમ કામ છે, તાલીમમાં ગુરુ પાસેથી મહતમ વિદ્યા નીચોવી લ્યે તે શ્રેષ્ઠ શિષ્ય” : ઉદિત અગ્રવાલ (રાજકોટ મ્યુનિ. કમિશનર) હિન્દ ન્યૂઝ, રાજકોટ રાજ્ય સરકાર અને રાજકોટ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે તા. ૨૨-૦૨-૨૦૨૧ ના રોજ સવારે ૧૧:૩૦ વાગ્યે ફાયર સેફ્ટી ઓફિસર અંગેની ટ્રેનિંગ ની શરૂઆત મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી. સમગ્ર ભારતમાં સૌપ્રથમ ગુજરાતમાં અને ગુજરાતમાં પ્રથમવાર ચાર મહાનગરો જેમાં રાજકોટ, ગાંધીનગર, અમદાવાદ અને સુરતમાં પ્રથમ તબક્કાની…
Read Moreટવેરા ગાડી એ પુરઝડપે ઓવર સ્પીડ મા ગાડી ચલાવીને બાઇક ચાલાક ને ટક્કર મારી ટવેરા ગાડી ચાલાક ફરાર
હિન્દ ન્યૂઝ, ઉત્તરસંડા ગઈ કાલ તારીખ ૨૦/૨/૨૧ ના રોજ રાત્રિના અગિયારેક વાગ્યાના સુમારે મનોજભાઈ પ્રભાતભાઈ પરમાર રહે. પુનમપુરા તાબે ઉતરસંડા તાલુકો. નડિયાદ જિલ્લો.ખેડા રાત્રિના અગિયારેક વાગ્યાના સુમારે તેમનું બાઈક નંબર GJ-07-CR-8557 નુ HF ડીલક્ષ બાઈક લઈને તેમના મિત્ર જગદીશભાઈ ઈશ્વરભાઈ પરમાર રહે પુનમપુરા નાવ ના ઘરે તેને લેવા માટે ગયેલા અને તેને લઈને બંને જણા જાદવપુરા ભજન માં જવા માટે નીકળેલા અને જાદવપુરા જતાં પહેલાં બંને જણા ઉત્તરસંડા પાછલી ભાગોળ સમળા ના ઝાડ નજીક ગલ્લા એ મસાલો તથા પાન બીડી લેવા માટે ઉભા રહેલા અને જગદીશભાઈ મસાલો લેવા માટે ગયેલ…
Read Moreનડિયાદ નગરપાલિકા ચૂંટણી ના વોર્ડ નંબર ૧૩ મા નડિયાદ ના ધારાસભ્ય દ્વારા મીટિંગ નુ આયોજન
હિન્દ ન્યૂઝ, નડિયાદ નડિયાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ૨૦૨૧ ના પ્રચારાર્થે વોર્ડ નંબર ૧૩માં આજે નડિયાદ શહેર ના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા રામજી મંદિર સામે તથા ફતેપુરા રોડ, ચકલાસી ભાગોળ ખાતે દેવીપૂજક સમાજની બેઠક યોજવામાં આવી હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીની પેનલના ઉમેદવારો (૧) કિંતુભાઈ દેસાઈ(વાનગી હોટલવાળા) (૨) કિન્નરીબેન શાહ (મોન્ટુ-પાયલ બ્યુટીક) (૩) ગીતાબેન તળપદા(ભોલો) (૪) મનન રાવને વગેરે ઉમેદવારો ને જંગી બહુમતીથી વિજયી બનાવવા અપીલ કરી હતી અને મતદાન ના દિવસે અચુક મતદાન કરવા અપીલ કરી હતી અને આ પ્રસંગે પૂર્વ નગરપાલિકા ઉપપ્રમુખ પરિનભાઈ, પૂર્વ કારોબારી ચેરમેન તથા કાઉન્સિલર મનીષભાઈ…
Read Moreનડિયાદ નગરપાલિકા ની ચૂંટણી ના ભાજપ ના વોર્ડ નંબર ૯ ના કાર્યાલય નો શુભારંભ
હિન્દ ન્યૂઝ, નડિયાદ નડિયાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ૨૦૨૧ ના પ્રચારાર્થે નડીઆદ શહેર ના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા વોર્ડ નંબર ૯માં ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરવામા આવ્યું. જેમાં ભારતીય જનતા પાર્ટીની પેનલના ઉમેદવારો ૧). કલ્પેશભાઈ રાવળ (અજયભાઈ), ૨). કાજલબેન સુનિલભાઈ પટેલ, ૬). પારુલબેન મયુરભાઈ પટેલ, ૮). રમેશભાઈ પરમાર (ભગાભાઈ) ને જંગી બહુમતીથી વિજયી બનાવવા અપીલ કરી હતી અને મતદાન ના દિવસે અચુક મતદાન કરવા પણ અપીલ કરી હતી. આ પ્રસંગે પ્રદેશ મંત્રી જહાનવીબેન વ્યાસ , જિલ્લા મંત્રીશ્રી તથા પૂર્વ કાઉન્સિલર અજયભાઈ, શહેર મહામંત્રી તેજસભાઈ તથા વોર્ડના અગ્રણીઓ, વડીલો,…
Read Moreનડિયાદ નગરપાલિકા ચૂંટણી ના ભાજપ ના વોર્ડ નંબર ૭ ના ધારાસભ્ય હસ્તે શુભારંભ
હિન્દ ન્યૂઝ, નડિયાદ નડિયાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ૨૦૨૧ ના પ્રચારાર્થે નડીઆદ શહેર ના લોકલાડીલા ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા વોર્ડ નંબર ૭ માં ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ભારતીય જનતા પાર્ટીની પેનલના ઉમેદવારો તથા કાર્યકર્તા ઓ તથા ચાહકો એ મોટી સંખ્યા મા હાજરી આપી હતી. અનુ.નંબર – ૩ મહર્ષિ બ્રહ્મભટ્ટ, અનુ.નંબર – ૫ રીપૂબેન પટેલ (રચુબેન), અનુ.નંબર – ૬ શિલ્પન પટેલ (દાસ), અનુ.નંબર – ૭ સપનાબેન શાહ (દાવડાવાળા) ને જંગી બહુમતીથી વિજયી બનાવવા અપીલ કરી હતી. આ પ્રસંગે પૂર્વ કાઉન્સિલર ધારીતભાઈ પટેલ તથા ટીકેન્દ્રભાઈ બારોટ શહેર મહામંત્રી તેજસભાઈ…
Read Moreદિયોદર મીની અંબાજી સણાદર ખાતે મૂર્તિપ્રતિષ્ઠા ના પ્રથમ પાટોત્સવ નિમિતે શોભાયાત્રા યોજાશે
હિન્દ ન્યૂઝ, દિયોદર બનાસકાંઠા જિલ્લા માં મીની અંબાજી ગણાતું દિયોદર તાલુકા ના સણાદર ધામ ખાતે પરમ પૂજ્ય સંતશિરોમણી શ્રી ક્રિષ્નાનંદગિરી બાપુ ની સાત મી પુણ્યતિથિ તથા મૂર્તિપ્રતિષ્ઠા ના પ્રથમ પાટોત્સવ નિમિતે હવન, ભવ્ય સંતવાણી તેમજ મહા આરતી તથા શોભાયાત્રા નું આયોજન કરાયું છે. જેમાં મહાસુદ 13 (તેરસ) ગુરુવાર તા.25-2-2021 ના ભવ્ય સંતવાણી કાર્યક્રમ મહા સુદ-14 (ચૌદસ) શુક્રવાર તા.26-2-2021 ના સવારે હવન, મહા આરતી તથા શોભાયાત્રા અને ભોજન પ્રસાદ કાર્યક્રમો યોજાશે. જેમાં સણાદર કરશન ભગત સેવા ટ્રસ્ટ દ્વારા દરેક ભક્તો ને ઉપસ્થિત રહેવા આહવાન કરવામાં આવ્યું છે. અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા,…
Read Moreમાંગરોળ તાલુકાનાં વડોલી ગામેથી ઘાયલ હાલતમાં કપીરાજ મળી આવ્યો, વનવિભાગની ટીમે આપી સારવાર
હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત) માંગરોળ તાલુકાનાં વડોલી ગામેથી ઘાયલ હાલતમાં કપીરાજ મળી આવ્યો છે. માંગરોળ વન વિભાગની કચેરીને વડોલી ગામેથી સંદેશો મળ્યો કે એક કપીરાજ ગાયલ હાલતમાં પડેલો છે. જેને પગલે વનવિભાગની ટીમ વડોલી ગામે પોહચી હતી. ત્યાંથી કપીરાજનો કબ્જો લઈ, માંગરોળ પશુચિકિત્સા કેન્દ્ર ખાતે લાવી સારવાર અપવામાં આવી છે. કપીરાજનાં પગની ચામડી ઉપર ભારે ઇન્ફેકશન થયું હોય જેને લીધે પડવાથી ઘાયલ થયો છે. માંગરોળ વન વિભાગની ટીમે સારવાર અપાવ્યું. હાલમાં એનાં ઉપર વનવિભાગની ટીમ દેખ રેખ રાખી રહી છે. રિપોર્ટર : નઝીર પાંડોર, માંગરોળ (સુરત)
Read Moreદિયોદર ગૌ શાળા અને પાંજરાપોળ માં કાયમી ધોરણે સહાય આપવા સ્થાનિક ધારાસભ્ય ની રજુઆત
હિન્દ ન્યૂઝ, દિયોદર બનાસકાંઠા જિલ્લા માં તેમજ દિયોદર તાલુકા ની તમામ ગૌ શાળા અને પાંજરાપોળ માં પશુઓ ના નિભાવ માટે કાયમી ધોરણે સહાય માટે દિયોદર ના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા એ મુખ્યમંત્રી ને પત્ર લખી રજુઆત કરી છે. જાણવા મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લા માં ગૌ શાળા તથા પાંજરાપોળ માં અંદાજીત 75 હજાર જેટલા ગૌ વંશ તથા અન્ય અબોલ જીવો ની સેવાઓ થઈ રહી છે. જેમાં દિયોદર વિધાનસભા ના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા એ તમામ ગૌ શાળા ની રૂબરૂ મુલાકાત લીધી હતી. જેમાં રાજ્યો માં સરકાર દ્વારા ગૌ શાળા તેમજ પાંજરાપોળ ને…
Read Moreદિયોદર ના નવા ગામ ની સિમ માં ગૌચર ની જમીન પર દબાણ દૂર કરવા કવાયત
હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર તાલુકા ના નવા ગામે મોટાભાગ ની ગૌચર ની જમીન પર અમુક લોકો એ ગેરકાયદેસર રીતે દબાણો કરી ખેતી નું વાવેતર કરતા આખરે ગ્રામ પંચાયત ની રજુઆત બાદ દિયોદર વહીવટી તંત્ર દ્વારા પોલીસ ને સાથે રાખી દબાણ દૂર કરવા કવાયત હાથ ધરાઈ છે. જાણવા મળતી માહિતી મુજબ દિયોદર તાલુકા ના નવા ગામ ની સિમ માં આવેલ ગૌ ચર ની જમીન પર અમુક લોકો એ ખોટી રીતે ગૌચર ની જમીન પર ગેર કાયદેસર રીતે ગૌચર ની જમીન કબ્જે લઈ ખેતી નું વાવેતર કર્યું હતું. જેમાં ગામ ના જાગૃત…
Read More