ડભોઇ તાલુકા ના બાલાજી કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી ના મેનેજરે કરી લાખોની ઠગાઈ

હિન્દ ન્યૂઝ, ડભોઇ,                 બરોડા જીલ્લા ના ડભોઇ તાલુકા ના ડભોઇ દર્ભાવતિ નગરી નગરપાલિકા શોપિંગ સેન્ટર ખાતે આવેલી બાલાજી કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી ના મેનેજર ઘણા વર્ષો પહેલા મંજૂરી વગર પોતાના હોદ્દાનો દૂર ઉપયોગ કરી પોતાના અને પોતાની પત્નીના નામે રૂપિયા પાંચ લાખ ઉપરાંત ખોટા દસ્તાવેજો ઉભા કરી લોન મેળવ્યા બાદ આજ દિન સુધી નહિ ભરતા બાલાજી કો ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી સાથે વિશ્વાસઘાત થી ઊંચાપત કરી ઠગાઈ અને છેતરપિંડી કરવા અંગે ની મેનેજર સામે પોલીસમાં ફરીયાદ નોંધાવા સહકારી ક્ષેત્રમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. ડભોઇ…

Read More

કોડીનાર ખાતે આલીદરના સરપંચ અને ગામ લોકો દ્વારા પશુઓ માટે ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ , કોડીનાર, કોડીનાર તાલુકાના આલીદર ગામે તાલુકા વિકાસ અધિકારી આર.વી. ઓડેદરા આલીદરના સરપંચ પ્રતાપભાઈ પઢીયાર અને ગામ લોકો દ્વારા કદાચ કહી શકાય કે ગુજરાત રાજ્યમાં આવું કાર્ય પહેલી વાર નઝર માં આવ્યું છે કે તમામ ના સહયોગથી અંદાજીત 700 વિધા ઉપરનું ગૌચર ખાલી થવા જય રહ્યું છે. જે એક ભગીરથ કાર્ય પણ અહીંયા કહેવામાં આવે તો કાય ખોટું નથી. તંત્રની હાજરીમાં 500 વિઘાની આસપાસ ગૌચરની જમીન પશુઓ માટે ખુલ્લી મુકાય એક બાજુ ચારેય તરફ જમીન માટે પડાપડી થાય છે અને ગુજરાતભરમાં પશુઓના ચરણ માટેની ગૌચરની જમીન પચાવી લેવાય…

Read More

વેરાવળ પટની સમાજ અને સમસ્ત મુસ્લિમ સમાજ નું ગૌરવ

હિન્દ ન્યૂઝ, વેરાવળ,              શિક્ષણ થી જ વ્યક્તિ ના જીવન મા પ્રકાશ થાય છે. આ વાત ને સાબિત કરી છે વેરાવળ ના પટની સમાજ ના એક મધ્યમ વર્ગના વિદ્યાર્થી પંજા નોમાન ગુલામ હુસેન કે જેણે ‘ડિપ્લોમા ઇન કમ્પ્યુટર એનજીનીયર’ ના છઠ્ઠા સેમેસ્ટર મા ગુજરાત મા પ્રથમ નમ્બર પ્રાપ્ત કરેલ છે અને પોતાના પરિવાર તેમજ પટની સમાજનું અને મુસ્લિમ સમાજનું નામ ઊંચું કરેલ છે. આ તકે શિક્ષણ પ્રેમી અફઝલ સર વિદ્યાર્થી ના ઘરે રૂબરૂ જઇ તેમના પરિવાર ને અભિનંદન પાઠવેલ છે અને મોટીવેટ કરેમહિડાલ છે કે…

Read More

રાજકોટમાં પી.ડી.યુ મેડિકલ કોલેજના E.N.T વિભાગ દ્વારા કોવિડના દર્દીઓનું સેમ્પલિંગ લેવાની ૧૦૦૦થી વધુ લોકોને તાલીમ

રાજકોટ, રાજકોટ શહેરના કાન,નાક,ગળાની સારવારનાં વિભાગ દ્વારા રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકો અંદાજીત ૧૦૦૦ થી વધુ લોકોને સુયોગ્ય રીતે તાલીમબધ્ધ કરવામાં આવ્યા છે. રાજકોટ પી.ડી.યુ. મેડીકલ કોલેજના E.N.T વિભાગના એસોસિએટ પ્રોફેસર સેજલબેન નરેશભાઈ મિસ્ત્રી જણાવે છે કે, મને રાજકોટ જીલ્લામાં ડિસ્ટ્રિક્ટ નોડલ ઓફિસર સેમ્પલ કલેક્શનની જવાબદારી સોંપવામાં આવી છે. કોવિડના દર્દીઓનું ટેસ્ટીંગ સક્ષમ રીતે થાય તે માટે E.N.T વિભાગ દ્વારા તાલુકા તથા મહાનગરપાલીકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર થી માંડીને લેબ ટેક્નિશ્યન અને હેલ્થવર્કર્સ સુવ્યવસ્થિત રીતે કામગીરી કરી શકે તે માટે તાલીમબધ્ધ કરવામાં આવ્યા છે. આ…

Read More

જોડિયાના લગત ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઉકાળા કાર્યક્રમ ની શરૂઆત

હિન્દ ન્યૂઝ, હડિયાણા, હાલમાં ચાલતા કોરોના મહામારીમાં લોકોની રોગપ્રતિકાર શક્તિમાં વધારવા માટે પ્રાંત અધિકારી ધ્રોલના માર્ગદર્શન હેઠળ જોડીયા તાલુકાના દરેક ગામે તા, 11-9-20 થી તા. 15-9-20સુધી દરરોજ લગત ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફીસર ડો.અલ્તાફભાઈ ની આગેવાની હેઠળ ઉકાળા ની કાર્યક્રમ ની શુભ શરૂઆત કરવામાં આવ્યું છે અને હડિયાણા ગામ ના માજી સરપંચ અને સેવા સહકારી મંડળી ના પ્રમુખ મગનભાઈ કાનાણી પણ ખાસ હાજર રહ્યા હતા. આંગણવાડી વર્કર, આશા બેહનો, શિક્ષકો, તલાટી કમ મંત્રી દ્વારા આંગણવાડી કેન્દ્ર પર ઉકાળાનું વિતરણ કરવામાં આવશે. આ અંગે આશાબેન દ્વારા ગામમાં ઘરે ઘરે…

Read More

લોધીકા તાલુકાના નગરપીપળીયાના ખેડૂતોના અતિશય પડેલ વરસાદથી થયુ પાકને નુકશાન, ખેડૂતોએ નુકશાની વર્તર આપવાની કરી માંગ

લોધીકા, લોધીકા તાલુકાના નગરપીપળીયા ગામના ખેડૂતોની લાચારી સાથે વ્યથા જોવા મળી હતી. ચોમાસાની સીઝનનો વરસાદ રેગ્યુલર કરતા અતિ વરસાદ પડેલ હોવાના કારણે ખેડૂતોના ઉભા પાકને પારાવાર નુકસાનની થયેલ છે. ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે તેમજ મગફળી, કઠોળ સહીતમા ઉભી અડદી બળી જતા ખેડૂત દ્વારા ઉપાડી લેવામાં આવેલ છે. તેમજ ઉપાડેલ મગફળીના પાથરા બળી જતા મગફળીનો પાક નિષ્ફળ જવાની ભીતી નગરપીપળીયાના ખેડૂતોએ હૈયાવરાળ ઠાલવીને જણાવે છે તેમજ પાકને થયેલ નુકસાનીનું સર્વ કરવા માટે આજદિન સુધી કોઈ અધીકારીઓ આવેલ નથી માટે જ તાત્કાલિક અસરથી સર્વે કરવામાં આવે અને વહેલી તકે ખેડૂતોને થયેલ…

Read More

એ. ટી. એમ. થી નાણાં ની ચોરી કરતા શખ્સને સત્વરે પકડી પાડતી વેરાવળ પોલીસને અભિનંદન પાઠવતા ઉષાબેન કુસકીયા

વેરાવળ, વેરાવળ શહેરના પ્રતિષ્ઠિત મહિલા એડવોકેટ અને ભારત સરકારના નોટરી તેમજ પ્રદેશ કોંગ્રેસ મહિલા અગ્રણી એવા ઉષાબેન કુસકીયા વેરાવળ શહેરની મધ્યમાં “માધવ લેન્ડ-રેવન્યુ સર્વિસીસ” નામે મોટી ઓફિસ ધરાવતા હોય તેમના મોટા કારોબાર ને લઈને મોટા સ્ટાફ ધરાવતા હોય તમામ પ્રકારના દસ્તાવેજો અને રેવન્યુનું કામ કરતા હોય ઈ-સ્ટેમ્પિગ નું લાયસન્સ ધરાવતા હોય રોજ બરોજના નાણાંકીય વ્યવહારો સાચવવાના કામે તેમના સ્ટાફગણને અવાર-નવાર એ.ટી.એમ. થી નાણાં ઉપાડવા તેમજ જમા કરાવવા મોકલતા હોય. જેમાં એક દિવસમાં રૂપિયા દશ હજાર તથા રૂપિયા પાંચ હજાર ઉપરા ઉપરી બે વાર નાણાંની ઉપાડ થઈ આવ્યા નું મોબાઈલ મેસેઝથી…

Read More

 હળવદ શહેરના જુદા જુદા વિસ્તારની અંદર આવેલ સરકારી જમીન તેમજ પાલિકાની જમીન ઉપર દુકાનો બનાવવામાં આવી રહી છે

હિન્દ ન્યૂઝ, મોરબી હળવદ શહેરના જુદા જુદા વિસ્તારની અંદર આવેલ સરકારી જમીન તેમજ પાલિકાની જમીન ઉપર દુકાનો બનાવવામાં આવી રહી છે. આ અંગેની નગરપાલિકાના પૂર્વ સભ્ય દ્વારા લેખિતમાં પાલિકાના ચીફ ઓફિસરથી લઈને કલેકટર સુધી રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ કોઇ પણ અધિકારી દબાણ દૂર કરવા માટે થઈને અથવા તો દબાઈને રોકવા માટે થઇને કોઈ પણ કામગીરી કરતા નથી. જેથી કરીને હાલમાં અધિકારીઓની કામગીરી સામે પણ સવાલો ઉઠવા લાગ્યા છે અને ૪૦ થી ૫૦ દુકાનોનું ગેરકાયદેસર બાંધકામ ચાલી રહ્યું છે. તેમ છતાં પણ પાલિકાના ચીફ ઓફિસર શા માટે મૌન બેઠા…

Read More

મોરબીના મચ્છુ-૨ ડેમ માં યુવાનનું મોત થયું

મોરબી, હાલમાં સ્થાનિક જળાશયોમાં નવા નીરની આવક થઈ હોવાથી લોકો પાણી જોવા માટે કે પછી નહાવા માટે જતાં હોય છે, ત્યારે અકસ્માતે ડૂબી જવાના બનાવો બનતા હોય છે. આવી જ રીતે મોરબીના મચ્છુ-૨ ડેમ પાસે ગયેલ યુવાનનો પગ લપસી જતા યુવાન ડેમમાં પડ્યો હતો અને પાણીમાં ડૂબી જતા યુવાનનું મોત થયું હતું. બનાવની મળતી માહિતી મુજબ મોરબીના મચ્છુ-૨ ડેમ પાસે ગયેલ યુવાનનો પગ લપસી જતા યુવાન ડેમમાં પડ્યો હતો. જેની ફાયરને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ સ્થળ ઉપર દોડી ગઈ હતી અને યુવાનની શોધખોળ ચલાવી હતી અને પાણીમાં ડૂબી ગયેલા…

Read More

જોડિયા ખાતે સ્વ. રાજીવનયન મનુભાઈ રાવલ નું ટેલિફોનિક બેસણું

હિન્દ ન્યુઝ, જોડિયા અવસાન નોંધ :  સ્વ.મનુભાઈ માવજીભાઈ રાવલ (વૈદરાજ) જામનગરવાળા ના પુત્ર સ્વ. રાજીવનયન મનુભાઈ રાવલ (રાજીવભાઈ) ઉ.વ.66 હાલ જોડિયા તે વિશ્વેશભાઈ તથા વ્યોમેશભાઈ ના નાનાભાઈ અને હર્ષાબેન ના પતિ તથા સ્વ.પ્રવીણભાઈ ઠાકર જોડિયા ના જમાઈ તેમજ જીતુભાઇ (રાજુભાઇ), ભરતભાઇ, બીપીનભાઈ, ગૌતમભાઈ તથા મીરાબેન ના બનેવી નું તા.13.9.2020 ને રવિવાર ના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલિફોનિક બેસણું તા.20.9.20 ના રોજ તેમના નિવાસ સ્થાને જલારામ સોસાયટી જોડિયા ખાતે સાંજે 4 થી 6 રાખેલ છે.  મો.9825434537 મો.9879818081  

Read More