કોડીનાર ખાતે આલીદરના સરપંચ અને ગામ લોકો દ્વારા પશુઓ માટે ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ , કોડીનાર,

કોડીનાર તાલુકાના આલીદર ગામે તાલુકા વિકાસ અધિકારી આર.વી. ઓડેદરા આલીદરના સરપંચ પ્રતાપભાઈ પઢીયાર અને ગામ લોકો દ્વારા કદાચ કહી શકાય કે ગુજરાત રાજ્યમાં આવું કાર્ય પહેલી વાર નઝર માં આવ્યું છે કે તમામ ના સહયોગથી અંદાજીત 700 વિધા ઉપરનું ગૌચર ખાલી થવા જય રહ્યું છે. જે એક ભગીરથ કાર્ય પણ અહીંયા કહેવામાં આવે તો કાય ખોટું નથી. તંત્રની હાજરીમાં 500 વિઘાની આસપાસ ગૌચરની જમીન પશુઓ માટે ખુલ્લી મુકાય એક બાજુ ચારેય તરફ જમીન માટે પડાપડી થાય છે અને ગુજરાતભરમાં પશુઓના ચરણ માટેની ગૌચરની જમીન પચાવી લેવાય છે. થોડા દિવસ પહેલા જ માલધારી સમાજ દ્વારા ઠેરઠેર આવેદનપત્ર આપવામાં આવ્યા હતા કે ગામોગામ ગૌચર ખાલી કરાવવામાં આવે હાઇકોર્ટ પણ કહેશે કે ગૌચર ખાલી કરો ત્યારે આ અવાજ કોઈના કાન સુધી ના પહોંચ્યો એ અવાજ કોડીનાર તાલુકા વિકાસ અધિકારી આર.વી.ઓડેદરા તેમજ આલીદર ગામના યુવા સરપંચ પ્રતાપભાઈ પઢીયાર અને ગામ લોકો સુધી પહોંચ્યો આલીદર ગામે આ ભગીરથ કાર્ય પાર પાડવા શપથ લીધા અને કાર્ય શ્રી ગણેશ કરી આલીદર ગામના લોકોએ પશુઓના ચરણ માટે ગૌચરની જમીન ખુલ્લી મૂકી ઉમદા કામગીરી હાથ ધરાય છે.

રિપોર્ટર : અગ્રાવત ભગીરથ, કોડીનાર

Related posts

Leave a Comment