શિહોરના કનાડ ગામે ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી અંગે જિલ્લા કલેકટર આર.કે. મહેતા એ પરિસંવાદ યોજ્યો

હિન્દ ન્યુઝ, ભાવનગર 

    શિહોરના કનાડ ગામે ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી અંગે જિલ્લા કલેકટર આર.કે. મહેતા એ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતના ફાર્મની મુલાકાત લઈને પરિસંવાદ યોજ્યો હતો.

જિલ્લા કલેકટર આર.કે. મહેતા એ કનાડ ગામે રહેતા રઘુભા ગોહિલના ફાર્મની મુલાકાત લીધી હતી અને પ્રાકૃતિક ખેતી અંગે તેમની સફળતા માટેની અથાગ મહેનતને બિરદાવી હતી.

આ તકે ઉપસ્થિત આસપાસના ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે સમજ આપી હતી અને જરૂરી માર્ગદર્શન પૂરું પડ્યું હતું. આ ઉપરાંત ઉપસ્થિત ખેડૂતોને ફાર્મની મુલાકાત લઈને પ્રાકૃતિક ખેતી કરવા અંગે પ્રોત્સાહિત કર્યા હતા.

આ તકે શિહોર મામલતદાર જોગસિંહ દરબાર, પ્રોજેક્ટ ડાયરેક્ટર (આત્મા) જે. એન. પરમાર, નાયબ ખેતી નિયામક(વી) એસ. બી. વાઘમશી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment