જિલ્લા કલેકટર આર. કે. મહેતાની અધ્યક્ષતામાં શિહોર તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો 

હિન્દ ન્યુઝ, ભાવનગર 

     લોકપ્રશ્નોના ઝડપી નિરાકરણ એટલે સ્વાગત કાર્યક્રમ. સ્વાગત કાર્યક્રમને રાજ્ય સરકાર દ્વારા ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’નું આયોજન દર મહીને સતત કરવામાં આવી રહ્યું આવ્યું છે.

 જે અંતર્ગત આજરોજ જિલ્લા કલેકટર આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને શિહોર તાલુકા સ્વાગત કાર્યક્રમ મામલતદાર કચેરી, શિહોર ખાતે યોજાયો હતો. 

 આ સ્વાગત કાર્યક્રમમાં કુલ ૧૧ અરજીઓ આવી હતી. જે પૈકી ઉપસ્થિત ફરિયાદીઓને જિલ્લા કલેકટર આર. કે. મહેતાએ સાંભળીને અરજીઓનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો. બાકીની અરજીઓનો ચોકકસ સમયમર્યાદામાં નિકાલ કરવામાં માટે કલેકટરશ્રીએ સબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. 

 આ પ્રસંગે પ્રાંત અધિકારી દિલીપસિંહ વાળા, મામલતદર જોગસિંહ દરબાર, ટી.ડી.ઓ. એન. વાય. દેસાઇ, ચીફ ઓફિસર જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ તથા અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.   

Related posts

Leave a Comment