ચક્ષુદાન – અંધકારમાંથી ઉજાસ ફેલાવવા માટેનું મહાદાન

હિન્દ ન્યુઝ, રાજકોટ અંગદાન અને ચક્ષુદાન માત્ર દાન નથી… આ છે માનવતાની સર્વોચ્ચ સેવા    રાજકોટના લોકોએ આ પવિત્ર કાર્યને હૃદયથી સ્વીકાર્યું છે. છેલ્લા બે વર્ષમાં જ 1,464 આંખોનું દાન થતા 300થી વધુ દર્દીઓએ ફરી પ્રકાશ જોયો છે. કોઈની આંખોથી વિશ્વ જોવું એટલે મૃત્યુ પછી પણ જીવંત રહી સમાજને પ્રકાશ આપવો.  જી.ટી.શેઠ આંખ હોસ્પિટલ અને પી.ડી.યુ. મેડિકલ કોલેજના વિભાગીય વડા ડૉ. કમલસિંહ ડોડીયા, પ્રોગ્રામ ઓફિસર ડો. હરેશ ગઢીયા, ડો. નીતિબેન શેઠ, ડો. ફાલ્ગુની ત્રિવેદી, ડો.ચેતના, ડો. અંજલી પડાયા સહિતના સ્ટાફની જહેમતથી અનેક પરિવારોના જીવનમાં ખુશીઓ ફરી ખીલી છે. ચાલો, આપણે…

Read More

વસુંધરા રેસીડેન્સીનો અનોખો ઈકો-ફ્રેન્ડલી ગણેશોત્સવ

હિન્દ ન્યુઝ, રાજકોટ     ૧૭ વર્ષથી રાજકોટના એરપોર્ટ રોડ સ્થિત વસુંધરા રેસીડેન્સીમાં ગણેશોત્સવ માત્ર ભક્તિનો જ નહીં, પરંતુ પર્યાવરણપ્રેમ અને સામાજિક સમરસતાનો સંદેશ આપી ઉજવવામાં આવે છે. આ વર્ષે સાડા-છ ફૂટની માટીની ગણેશજીની મૂર્તિ, પરંપરાગત શણગાર, ફાનસ અને ગ્રામ્ય સંસ્કૃતિની ઝલક લોકોના હૃદય જીતી રહી છે. શોભાયાત્રા અને શણગાર, પ્રકૃતિને નુકસાન પહોંચાડ્યા વગરની વિસર્જન પરંપરા, અને દરરોજ વૈદિક મંત્રોચ્ચારથી આરતી – આ પંડાલ ભક્તોને એક અનોખો આધ્યાત્મિક અનુભવ કરાવે છે. ✨ વિશેષતા ✨ ✅ વડીલ વય વંદના અંતર્ગત વરિષ્ઠ નાગરિકોનું સન્માન ✅ વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ, સત્યનારાયણ કથા, યમુનાષ્ટક, છપ્પન…

Read More

શાળામાં હાજર થયો ત્યારથી મેં નક્કી કર્યું હતું કે, શાળાને આગળ ધપાવવા માટે શક્ય તેટલા તમામ પ્રયત્નો કરીશ – પરેશભાઈ સોરઠીયા

હિન્દ ન્યુઝ, જામનગર     જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ શ્રી ખારવા પ્રાથમિક શાળામાં છેલ્લા ૧૦ વર્ષથી પરેશભાઈ સોરઠીયા અભ્યાસ કરાવે છે. તેઓ પોતાની શિક્ષક તરીકેની જવાબદારી પૂરી કરવાની સાથે સાથે બાળકોને રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ પણ કરાવે છે. જેવી કે, CET, NMMS (નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ), જ્ઞાન સાધના, નવોદયના એક્સ્ટ્રા ક્લાસ લઇ બાળકોને અભ્યાસ કરાવે છે. ચાલુ વર્ષે ધો.૫ અને ધો.૮ના અંદાજે ૪૫ જેટલા બાળકોને તેઓ શાળાના સમય સિવાયના સમયમાં પરીક્ષાઓની તૈયારી કરાવે છે.     પરેશભાઈ સોરઠીયા જણાવે છે કે, હું શાળામાં હાજર…

Read More

તાલુકા અને જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ, ચિત્રકૂટ એવોર્ડ મેળવ્યા બાદ “શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક” થી સન્માનિત કરાયા પીએમશ્રી હડીયાણા કન્યા શાળાના શિક્ષિકા દેવાંગીબેન બારૈયા

હિન્દ ન્યુઝ, અમદાવાદ      શિક્ષકોની કામગીરીને બિરદાવવા માટે દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા “શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક” આપીને તેઓનું સન્માન કરવામાં આવે છે. આ વર્ષે પણ રાજ્યના કુલ ૩૦ શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી. જે પૈકી જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના શિક્ષિકા દેવાંગીબેન બારૈયાને “શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક” થી અમદાવાદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. દેવાંગીબેનને અગાઉ તાલુકા અને જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું સન્માન તેમજ કથાકારશ્રી મોરારીબાપુના હસ્તે ચિત્રકૂટ એવોર્ડ મળ્યા છે. પુરસ્કારની તમામ રકમનો ઉપયોગ તેઓએ શાળાકીય પ્રવૃતિઓમાં જ કર્યો છે. જેમાં તેઓએ…

Read More

પાનવાડીમાં વિરમાંધાતા ગ્રુપ દ્વારા આયોજીત ગણેશ પંડાલમાં દેવ દર્શન સાથે વ્યસન મુક્તિનો સંદેશ

હિન્દ ન્યુઝ, ભાવનગર        વિઘ્નહર્તા દુંદાળા દેવ ગણેશજીની આરાધનાના અનેરા પર્વ ગણેશ ઉત્સવની ગોહિલવાડમાં હર્ષોલ્લાસભેર ઉજવણી થઇ રહી છે.ભાવનગર શહેર પાનવાડી વિસ્તારમાં વિરમાંધાતા ગ્રુપ દ્વારા આયોજીત ગણેશ પંડાલમાં ગણપતિબાપાની મૂર્તિની સાથે વ્યસન મુક્તિનો સંદેશ આપવામાં આવ્યો છે. જેમાં એક ગણપતિ મૂર્તિ ઉપર સુખી પરિવાર વ્યસન વગરનો બતાવવામાં આવ્યો છે. જ્યારે બીજી મુર્તિની સાથે વ્યસન વાળો દુ:ખી પરિવાર દર્શાવવામાં આવ્યો છે. આમ વ્યસન મુક્તિના થીમ પર બનાવવામાં આવેલા આ પંડાલ લોકોનું આકર્ષણ જમાવ્યુ છે. આ પંડાલમાં “વ્યસનોથી દૂર રહો, પરિવારને ખુશ રાખો”, “તમારા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે વ્યસન છોડો”, “દારૂ…

Read More

ભાવનગરમાં ‘ઓપરેશન સિંદૂર’ની થીમ પરનો સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળનો ગણેશ પંડાલ ધાર્મિકતા અને રાષ્ટ્રભક્તિના રંગે રંગાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર શહેરમાં ક્રેસન્ટ સર્કલે સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ દ્વારા ગણપતિ મહોત્સવ-૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે ખાસ ઓપરેશન સિંદૂર થીમ પર ગણેશ પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે. આ પંડાલમાં  ભારત દેશની સૈન્ય શક્તિ અને મિસાઈલો થકી પડોશી મુલ્ક પાકિસ્તાની આકાઓના વિવિધ આતંકી ઠેકાણાનો નાશ કરવામાં આવ્યો હતો તે અંગેની જાણકારી તેમજ ભારતીય સૈનિકોએ દર્શાવેલા અદમ્ય સાહસ અને શોર્યની ઝાંખી દર્શાવવામાં આવી છે. સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળે પંડાલ બહાર ઓપરેશન સિંદૂરમાં ભારતને કોઇ નુકસાન નહીં, યે જીત‌ સિર્ફ સૈના કી નહીં હૈ, બલકી પૂરે દેશવાસીઓ કી હૈ,…

Read More

ગાંધીનગર કલેક્ટરશ્રી મેહુલ દવેની‌ આગેવાનીમાં ગાંધીનગર ભૂસ્તર તંત્રની ભૂમાફિયાઓ સામે લાલ આંખ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગાંધીનગર મેહુલ દવે ના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહ ની સુચના હેઠળ ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી  દ્વારા સરકારશ્રીની મહેસુલી આવક વધે તથા બિનઅધિકૃત ખનીજ ખનન, વહન અને સંગ્રહ કરતા ઈસમો સામે દંડકીય રકમની વસુલાત કરવા અંગે ક્ષેત્રિય ટીમ દ્વારા રોડ ચેકિંગ અંગેની કામગીરી દરમ્યાન અત્રેની કચેરીના માઈન્સ સુપરવાઈઝરશ્રીઓ દ્વારા તા.૩૦/૦૮/૨૦૨૫ ના રોજ અન્ય જીલ્લામાંથી ખનિજ ભરી આવતા ડમ્પર વાહનોને રોડ ચેકિંગ દરમ્યાન વહેલી સવારે આશરે ૦૨:૦૦ કલાકે કલોલ રોડ ખાતે ૦૨ ડમ્પર તથા ૦૧ ડમ્પર આશરે ૦૨:૩૦ કલાકે મોજે. અડાલજ…

Read More

મોટા વરાછામાં સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની થીમ પર ગજાનન ગણેશજીની સ્થાપના

હિન્દ ન્યુઝ, સુરત સુરતના સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મોટા વરાછા ખાતે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની થીમ પર ગજાનન ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. ઓપરેશન સિંદૂર અને ‘સુદામા કા રાજા’ ગણેશ પંડાલે લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે. ૬જી – ગૌ, ગંગા, ગાયત્રી, ગૌરી, ગીતા અને ગણપતિ આધારિત અનોખો ગણેશ પંડાલ માત્ર દર્શન નહીં, પણ રાષ્ટ્રપ્રેમ અને સંસ્કૃતિનો જીવંત અનુભવ કરાવે છે. અહીં વિઘ્નહર્તા ગણેશજીની પ્રતિમાની એક બાજુ સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધીજી, સ્વામી વિવેકાનંદ, શહીદ ભગતસિંહ તથા બીજી બાજુ મહારાજા કૃષ્ણકુમારસિંહજી, મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી, રાણી લક્ષ્મીબાઈ જેવા રાષ્ટ્રનાયકોની તસવીરો પ્રદર્શિત…

Read More

વડોદરાના પંડાલોમાં યોગ મુદ્રામાં ગણેશજી બન્યા આકર્ષણનું કેન્દ્ર

હિન્દ ન્યુઝ, વડોદરા સંસ્કારી નગરી તથા ઉત્સવનગરી વડોદરા શહેર ગણેશ મહોત્સવની ભવ્યતા અને નવીનતાને લઈને જાણીતું છે. દર વર્ષે હજારો પંડાલો અનોખા થીમ સાથે શણગારાય છે અને ભક્તો સુધી નવા સંદેશાઓ પહોંચાડે છે. આ વર્ષનું મુખ્ય આકર્ષણ – યોગ અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ છે. યોગ થીમ બાજવાડા યુવક મંડળે ખત્રીવાડ સ્થિત રોકડનાથ મંદિર પાછળ બનાવેલા પંડાલમાં ભગવાન ગણેશને વિવિધ યોગ મુદ્રાઓમાં પ્રતિષ્ઠિત કર્યા છે. દિવાલો પર વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને યોગ ગુરુ બાબા રામદેવના યોગ કરતી તસ્વીરો, સાથે સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ આપતી પ્રેરક છબીઓ સુશોભિત કરી છે. મંડળના આયોજકો…

Read More

પોરબંદરમાં ૭૬મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ઉત્સાહભેર ઉજવાયો

હિન્દ ન્યુઝ, પોરબંદર પોરબંદરમાં સરકારી વિનયન કોલેજ, રાણાવાવ ખાતે 76માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ વડાપ્રધાન “એક પેડ માં કે નામ” પહેલ હેઠળ મહાવિદ્યાલય પરિસરમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સુરક્ષા અને હરિયાળું ગુજરાત રચવાના સંકલ્પ સાથે સૌને પ્રેરણા આપી હતી. આ પ્રસંગે પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમારે જણાવાયું હતું કે, માનવ જીવનમાં વૃક્ષનો અગત્યનો ફાળો છે. આ માટે ઔદ્યોગીકરણ અને વિકાસની સાથે સાથે પર્યાવરણ સંતુલન કરવું પણ એટલું જ જરૂરી છે. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પર્યાવરણના…

Read More