“ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) દ્વિતીય સુધારા વિધેયક -2025” સર્વાનુમતે ગુજરાત વિધાનસભા ગૃહમાં પસાર

હિન્દ ન્યુઝ, ગાંધીનગર – રજિસ્ટ્રેશન વિના ચાલતી ચિકિત્સા સંસ્થાને ₹25 હજારથી ₹5 લાખ સુધીના દંડની જોગવાઈ – અત્યાર સુધીમાં રાજ્યમાં 36 હજારથી વધુ પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન થયા – રાજ્યમાં નાના ક્લિનિકથી લઇ મોટી મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ, લેબોરેટરી અને ઇમેજીંગ સેન્ટર્સ સહિતની તમામ આરોગ્ય સંસ્થાઓની ડિજિટલી રજિસ્ટ્રી પ્રજાલક્ષી પોલિસી બનાવવા અને આપત્તિ સમયે કારગત સાબિત થશે : આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ – રાજ્યની આરોગ્ય સંસ્થાઓને કામચલાઉ રજિસ્ટ્રેશન માટેની અરજી કરવાનો સમય તા. 12.09.2025થી વધારીને તા. 30.04.2026 સુધી કરવામાં આવશે

Read More

વઘઈ-સાપુતારા માર્ગ ઉપરનો ‘નંદી ઉતારા’ બ્રિજ ભારે કોમર્શિયલ વાહનોની અવર જવર માટે પ્રતિબંધિત જાહેર કરાયો

હિન્દ ન્યુઝ, ડાંગ      ગિરિમથક સાપુતારા ને જોડતા આંતરરાજ્ય ધોરીમાર્ગ નંબર : SH 9 ઉપર અંબિકા નદી પર આવેલા સાકરપાતળ ગામ નજીકના ‘નંદી ઉતારા’ મેજર બ્રિજની સ્ટ્રેન્ધનીંગની કામગીરી પ્રગતિમાં છે. જેમાં ગનાઇટીંગ અને ગ્રાઉટીંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ બ્રીજ સરકાર દ્વારા નીમવામાં આવેલ બ્રીજ કન્સલ્ટન્ટ દ્વારા ચકાસણી કરી વધુમાં વધુ ૨૫ ટન સુધીની વજન ક્ષમતા ધરાવતા વાહનોને સ્ટ્રીક્ટ ટ્રાફિક કન્ટ્રોલ સાથે પસાર થવા અભિપ્રાય આપવામાં આવેલ છે. જેથી બ્રીજ પરથી ૨૫ ટન સુધીની વજન ક્ષમતા ધરાવતા વાહનોને સ્ટ્રટીક્ટ ટ્રાફિક કન્ટ્રોલ સાથે પસાર થવા દેવા અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ…

Read More

મુખ્યમંત્રી ની ઈઝરાયેલના નાણામંત્રી બેઝાલેલ સ્મોટ્રિચ અને પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, ગાંધીનગર    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઈઝરાયેલના નાણામંત્રી બેઝાલેલ સ્મોટ્રિચ અને પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત લીધી હતી તેમજ ભારત-ગુજરાત અને ઇઝરાયેલ વચ્ચે હેરિટેજ, ટ્રેડિશન, કલ્ચર અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં રહેલી સામ્યતાનો ઉલ્લેખ કરીને આ સંબંધનું ફલક ભવિષ્યમાં વધુ સંગીન બનાવવા અંગે ફળદાયી પરામર્શ કર્યો હતો.  ઇઝરાયેલના નાણામંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેવા પ્રતિભાશાળી રાષ્ટ્રપુરુષની જન્મભૂમિ નિહાળવાની ખેવના સાથે ગુજરાતમાં બિઝનેસ-ટુ-બિઝનેસ રિલેશન્સ વિકસાવવા અને ગિફ્ટ સિટી જેવા આંતરરાષ્ટ્રીય ફાયનાન્સિયલ સેન્ટરમાં ઇઝરાયેલની નાણાંકીય સંસ્થાઓના વ્યવસ્થાપનની સંભાવનાઓ સંદર્ભમાં તેઓ ખાસ ગુજરાત આવ્યા છે. મુખ્યમંત્રીએ ઇઝરાયેલે ડ્રીપ ઈરીગેશનમાં હાંસલ કરેલ મહારથ…

Read More

મેદસ્વિતાનું સરળ અને અસરકારક નિવારણ – તંદુરસ્ત જીવન તરફ એક પગલું!

હિન્દ ન્યુઝ, રાજકોટ     આધુનિક જીવનશૈલીને કારણે મેદસ્વિતા વૈશ્વિક ચિંતાનો વિષય બની રહી છે. આ સમસ્યા માટે અસંતુલિત આહાર, બેઠાડું જીવનશૈલી, આનુવંશિકતા અને હોર્મોનલ ફેરફારો જેવા અનેક પરિબળો જવાબદાર છે. મેદસ્વિતા માત્ર શારીરિક દેખાવને જ નહીં, પણ સ્વાસ્થ્યને ગંભીર રીતે અસર કરે છે. સ્થૂળતા ઓછી ન કરવામાં આવે તો તે શારીરિક અને માનસિક અનેક બીમારીઓનું કારણ બની શકે છે. આથી, ગુજરાત સરકાર ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન થકી ‘પહેલું સુખ તે જાતે નર્યા’ કહેવતને ચરિતાર્થ કરવા નાગરિકોને સ્વાસ્થ્યની જાગૃતિ તથા મેદસ્વિતાના નિયંત્રણ માટે પ્રેરિત કરી રહી છે. ત્યારે મેદસ્વિતાના…

Read More

રાજકોટ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અંતર્ગત ભારત સરકારની મિશન શક્તિ યોજના હેઠળ સ્પેશિયલ અવેરનેસ કેમ્પેઈનનું આયોજન

હિન્દ ન્યુઝ, રાજકોટ      રાજકોટ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અંતર્ગત ભારત સરકારની મિશન શક્તિ યોજના હેઠળ કાર્યરત સંકલ્પ ડીસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન દ્વારા તા. ૦૨ સપ્ટેમ્બરથી તા. ૧૨ સપ્ટેમ્બર સુધી સ્પેશિયલ અવેરનેસ કેમ્પેઈનનું આયોજન કરાયું છે.   જેના ભાગરૂપે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, મવડી અને રાજીવ ગાંધી પ્રાથમિક શાળાના સહયોગથી ગત તા. ૦૫ સપ્ટેમ્બરને શુક્રવારે સેક્સ્યુઅલ અને રીપ્રોડક્ટીવ હેલ્થ વિષય આધારિત કાર્યક્રમ યોજાયો હતો. જેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત કરાવી કેન્દ્રની કામગીરી સમજાવવી, વજન-ઊંચાઈનું માપન કરવું, સેનેટરી પેડ વિતરણ કરવા અને રીપ્રોડક્ટિવ હેલ્થ વિશે…

Read More

દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂત કુટુંબની એક ગાય નિભાવ ખર્ચમાં સહાય મળશે

હિન્દ ન્યુઝ, આણંદ     આણંદમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે પ્રાકૃતિક કૃષિ માટે જરૂરી એવી દેશી ગાયના નિભાવ ખર્ચમાં સહાય માટે ‘’દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂત કુટુંબની એક ગાય નિભાવ ખર્ચમાં સહાય” વાળી યોજના અમલમાં મૂકવામાં આવી છે.    જે અંતર્ગત ખેડૂતો ઓછામાં ઓછા ૪૦ ગુઠા વિસ્તારમાં પ્રાકૃતિક કૃષિ કરતા હોય કે કરનાર હોય, આઇડેન્ટિફિકેશન ટેગ વાળી દેશી ગાય ધરાવતા હોય અને પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધેલ હોય તેવા અગાઉના વર્ષોમાં જે ખેડૂતોએ અરજી કરેલ હોય અને ચાલુ વર્ષે લાભ મળનાર હોય તે લાભાર્થીઓ સિવાય ના…

Read More

દિવાળીના તહેવાર દરમ્યાન પેટલાદ તથા સોજીત્રા તાલુકામાં દારૂખાનું વેચવા હંગામી પરવાના મેળવવા તા. ૩૦ સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે

હિન્દ ન્યુઝ, આણંદ     પેટલાદના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આગામી દિવાળીના તહેવારોને ધ્યાને લઈ પેટલાદ અને સોજીત્રા તાલુકામાં દિવાળીના તહેવાર નિમિત્તે છુટક દારૂખાનું વેચવા ઈચ્છતા હોય તેવા લોકોને છુટક દારૂખાનું વેંચવા માટેનો હંગામી પરવાનો મેળવવા માટે નિયત નમૂનામાં દસ્તાવેજી પુરાવાઓ સાથે ચાર નકલમાં તા. ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીમાં પેટલાદ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરીને અરજી કરવાની રહેશે. દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાના હંગામી સંગ્રહ વેચાણના લાયસન્સ મેળવવા માટે નિયત નમૂનાની અરજી પર રૂપિયા ૩/- ની કોર્ટ ફી સ્ટેમ્પ, “૦૦૭૦” બીજી વહીવટી સેવાઓ (OAS) સદરે રૂપિયા ૩૦૦/- જમા…

Read More

પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આણંદ આત્મા પ્રોજેક્ટની પ્રાકૃતિક કૃષિ સંદર્ભે ઉમદા પહેલ

હિન્દ ન્યુઝ, આણંદ      આણંદ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીની મહિમા અને તેની અગત્યતા અંગે જાગૃતિ ફેલાવવા માટે પ્રાકૃતિક કૃષિ બોર્ડ અને આણંદ આત્મા પ્રોજેક્ટ દ્વારા ઉમદા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.    આણંદ જિલ્લામાં યોજાયેલ આ અભિયાન અંતર્ગત દરેક તાલુકાના દરેક ગામની ગ્રામ પંચાયત ખાતે “પ્રાકૃતિક ખેતી એટલે કે પોષણસભર ખેતી” વિષયક પ્રેરણાત્મક પોસ્ટરો લગાવવામાં આવ્યા છે.     આ પહેલનો હેતુ માત્ર એક પોસ્ટર લગાવવાનો નથી, પરંતુ સમગ્ર સમાજમાં એક વિચાર પ્રવાહ પ્રસરાવવાનો છે કે, આપણું ભવિષ્ય કુદરતી પદ્ધતિઓ પર આધારિત ખેતીમાં જ સુરક્ષિત છે.     પ્રાકૃતિક ખેતી…

Read More

તા.૧૬ સપ્ટેમ્બર ના રોજ આણંદ જિલ્લામાં તમામ તાલુકા મથકો ખાતે રકતદાન કેમ્પ યોજાશે

Lહિન્દ ન્યુઝ, આણંદ    સમગ્ર દેશમાં ઓપરેશન સિંદૂર ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાત રાજ્યમાં આગામી તારીખ ૧૬ મી સપ્ટેમ્બર, મંગળવારના રોજ ૩૩૦ થી વધુ કેન્દ્રો ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે આણંદ જિલ્લામાં પણ ૮ જગ્યાએ રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આણંદમાં સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના ચંચળબા ઓડિટોરિયમ હોલ તથા સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરની ભાઈ કાકા લાઇબ્રેરી ખાતે,ખંભાતમાં એસ.જી. વાઘેલા હાઇસ્કુલ ખાતે, પેટલાદમાં ન્યુ એજ્યુકેશન હાઈસ્કૂલ ખાતે, તારાપુરમાં એસ.જે. પટેલ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે, બોરસદમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે, આંકલાવના…

Read More

મહિલા અને બાળ અધિકારીની કચેરી જામનગર દ્વારા મિશન શક્તિ હેઠળ જાતીય સમાનતા પર વિશેષ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર     ભારત સરકારની “મિશન શક્તિ” યોજના હેઠળ, મહિલા અને બાળ અધિકારી કચેરી, જામનગર દ્વારા “સંકલ્પ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન”ના નેજા હેઠળ એક વિશેષ જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન 2 સપ્ટેમ્બરથી 12 સપ્ટેમ્બર, 2025 સુધી ચાલશે, જેનો મુખ્ય હેતુ મહિલાઓ અને કિશોરીઓને શિક્ષણ, પોષણ, કાનૂની અધિકારો અને સ્વાસ્થ્ય સંબંધિત બાબતો વિશે માહિતગાર કરવાનો છે. આ ઉજવણીના ભાગરૂપે જિલ્લા મહિલા અને બાળ અધિકારી, ડૉ. પૂજાબેન ડોડીયાના માર્ગદર્શન હેઠળ પાર્વતી દેવી શાળામાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં શાળાની વિદ્યાર્થીનીઓ અને શિક્ષકોને જાતીય સમાનતા વિશે જાગૃત…

Read More