ઉમરપાડા તાલુકાના બિલવણ ગામના મહિલા ખેડૂતે પ્રાકૃતિક ખેતી અપનાવીને રાસાયણિક ખેતીને આપી તિલાંજલિ  

હિન્દ ન્યુઝ, ઉમરપાડા  રાજ્યનો પ્રત્યેક ખેડૂત રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવે તેવા લક્ષ્ય સાથે સરકાર આગળ વધી રહી છે. આજે પ્રાકૃતિક ખેતીના અદભુત પરિણામો મળી રહ્યા છે. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના બિલવણ ગામના પ્રગતિશીલ મહિલા ખેડૂત સંધ્યાબેન સંજયભાઈ ચૌધરીએ રાસાયણિક ખેતીને તિલાંજલિ આપીને પ્રાકૃતિક ખેતી અપનાવી છે.                   વાત કરતા સંધ્યાબેન કહે છે કે, મેં ગયા વર્ષે આત્મા પ્રોજેકટની તાલીમ મેળવી હતી, જેમાં પ્રાકૃતિક ખેતીના વધી રહેલા વ્યાપ વિષે જાણકારી મળતા તેમાંથી પ્રેરણા લઈને ગત વર્ષ તલમાં જીવામૃત તથા અગ્નિઅસ્ત્રનો…

Read More

ઓલપાડ ખાતે કુલ રૂ.૭૩.૨૬ લાખના ખર્ચે આરોગ્ય મંદિર અને સિથાણ ગામના પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરતા વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, ઓલપાડ   રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ઓલપાડ તાલુકામાં કુલ રૂ.૭૩.૨૬ લાખના ખર્ચે ‘આરોગ્ય મંદિર’ અને સિથાણ ગામે પેટા આરોગ્ય કેન્દ્રનું વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત અને તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.                   ઓલપાડ-૨ માં અંદાજિત રૂ.૩૬.૬૩ લાખના ખર્ચે આરોગ્ય મંદિર અને સિથાણ ખાતે રૂ.૩૬.૬૩ લાખના ખર્ચે નવું પેટા આરોગ્ય કેન્દ્ર નિર્માણ પામશે. જેમાં પ્રત્યેકમાં ગ્રાઉન્ડ+૧ માળના મકાનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ક્લિનીક, લેબરરૂમ તથા ટોઇલેટ-બાથરૂમ તથા પહેલા માળે સ્ટાફ ક્વાટર્સ સહિતની અત્યાધુનિક સુવિધા ઉભી થશે. જેનાથી ગ્રામજનોને ઘરઆંગણે…

Read More

મોરબી જિલ્લાના દિવ્યાંગોને એસ.ટી.બસમાં મફત મુસાફરી માટેની સહાયનો લાભ મળવાપાત્ર

હિન્દ ન્યુઝ, મોરબી આ યોજનાનો લાભ કોને- કોને મળી શકે ?? (૧) દિવ્યાંગ વ્યકિત કે જેઓ ૪૦ % કે તેથી વધુ વિકલાંગતા ધરાવતા હોય. (૨) ૮૦ % થી વધુ મુકબધિરપણું ધરાવતી વ્યક્તિ. (૩) ૮૦ % થી વધુ દ્રષ્ટિવિષયક વિકલાંગતા ધરાવતી વ્યકિત. (૪) ૭૦ % કે તેથી ઓછો બુદ્ધિઆંક ધરાવતી મંદબુધ્ધિવાળી વ્યક્તિ. (૫) એવા દિવ્યાંગ નાગરિકો કે જેઓ ગુજરાત રાજયમાં કાયમી વસવાટ કરતા હોય. આ યોજના હેઠળ કયા- કયા પ્રકારના લાભ મળી શકે ??         દિવ્યાંગ વ્યક્તિને રાજ્ય સરકારના એસ.ટી.નિગમની ગુર્જર નગરી, લકઝરી અને વોલ્વો સહિત તમામ પ્રકારની…

Read More

મોરબીમાં બાગાયતદાર ખેડુતો વિવિધ સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકશે

હિન્દ ન્યુઝ, મોરબી         રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ બાગાયત વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૪- ૨૫ અંતર્ગત વિવિધ સહાયલક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જેમ કે અર્ધ પાકા, કાચા મંડપ, શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન, સરગવાની ખેતીમાં સહાય, પ્લાસ્ટીક મલ્ચીંગ મશીન, પાવર નેપસેક સ્પ્રેયર, ખેતર પરના ગ્રેડીંગ, શોર્ટિંગ, પેકીંગ, વિવિધ એકમ ઉભા કરવા સહાય, કાપણીના સાધનો, પ્રોસેસીંગના સાધનો, બાગાયતી પાકોના પ્રોસેસીંગના નવા યુનીટ, ઔષધીય સુગંધિત પાકોના નવા ડીસ્ટીલેશન યુનિટ, મિશન મધમાખી સહાય, ટ્રેક્ટર ૨૦ પી.ટી.ઓ. એચ.પી. સુધી સહાય, ટ્રેક્ટર માઉંટેડ સ્પ્રેયર ૩૫ બી.એચ.પી. થી વધુ, ટ્રેક્ટર માઉંટેડ સ્પ્રેયર ૨૦…

Read More

મોરબી જિલ્લાના ખેડૂતો માટે દશપર્ણી અર્ક બનાવવાની પદ્ધતિ જાહેર કરાઈ

હિન્દ ન્યુઝ, મોરબી           મોરબી જિલ્લા માહિતી કચેરી દ્વારા પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે અને ખેડૂતોને સતત માર્ગદર્શન મળી રહે તે માટે ખાસ લેખ સિરીઝ શરૂ કરવામાં આવી છે. આજે આપણે દશપર્ણી અર્ક બનાવવાની રીત અને તેના ઉપયોગ વિશે જાણીશું. આ મિશ્રણ બધા જ પ્રકારની જીવાત અને ફૂગના કુદરતી, હાનિરહિત નિયંત્રણ માટે સર્વોત્તમ રહે છે. આ પ્રકારના કુદરતી જંતુનાશક દવાના ઉપયોગથી ખેડૂતોનો ખર્ચો ઘટે છે, રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટે છે, જમીનનું સ્તર સુધરે છે અને આરોગ્યની જાળવણી થાય છે. અર્ક બનાવવાની રીત :        ૨૦…

Read More

ત્રણ શિબિરમાં ત્રણસો સાધકોએ ડાયાબિટીસ થી દૂર રાખતી યોગ સાધનાનું મેળવ્યું પ્રશિક્ષણ, રાજ્ય યોગ બોર્ડ દ્વારા કરવામાં આવ્યું હતું આયોજન

હિન્દ ન્યુઝ, વડોદરા           ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.તેનો આશય યોગસાધના દ્વારા ડાયાબિટીસના રોગનું નિયમન અને વ્યાપ અટકાવવાનો છે.તેના ભાગરૂપે વડોદરા શહેરી વિસ્તારમાં બે અને પાદરામાં એક એમ ફૂલ ત્રણ યોગ શિબિરો યોજવામાં આવી હતી જેમાં ત્રણસો જેટલા સાધકોએ યોગાભ્યાસ દ્વારા રોગ નિયંત્રણ ની તાલીમ લીધી હતી.આ યોગ શિબિરની આજે પુર્ણાહુતી થઈ હતી. યોગ બોર્ડના વડોદરા સ્થિત કો ઓર્ડીનેટર મીનાક્ષી પરમાર અને સુનિલ પટેલની અધ્યક્ષતામાં યોગ શિબિર યોજાઈ હતી. ત્રણે સ્થળોએ રાજ્ય યીગ બોર્ડના યોગ કો ઓર્ડીનેટર અને…

Read More

જિલ્લા કલેકટર બી. એ. શાહની અધ્યક્ષતામાં જિલ્લા સૈનિક કલ્યાણ સમિતિ અને સમસ્યા નિવારણ સમિતિની બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, વડોદરા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર બી. એ. શાહની અધ્યક્ષતામાં જિલ્લા સૈનિક કલ્યાણ સમિતિ અને સમસ્યા નિવારણ સમિતિ, વડોદરાની ત્રિમાસિક બેઠક મળી હતી. આ બેઠકમાં વિવિધ ક્ષેત્રના દાતાશ્રી ઓનાં સન્માન કાર્યક્ર્મ તથા કાર્યક્ષેત્ર હેઠળના જિલ્લાઓના સેવારત સૈનિકો, પૂર્વ સૈનિકો અને તેના આશ્રિતોના મુદ્દાઓ અને પ્રશ્નો પર ફળદાયી ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર બીજલ શાહે દેશની સુરક્ષા કાજે સતત દિવસ રાત ફરજ બજાવતા સૈનિકો અને તેઓના પરિવારજનોના કલ્યાણ માટે વડોદરા જિલ્લા શહેરના સરકારી વિભાગો, શૈક્ષણિક સંસ્થાઓ, ઔધોગિક સંસ્થાઓ તથા નાગરિકોને ઉદાર હાથે ફાળો આપવા માટે આભાર પ્રગટ કર્યો…

Read More

સાવલી તાલુકાના મેવલીમાં સી.આર.સી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

હિન્દ ન્યુઝ, સાવલી  ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન કારેલીબાગ વડોદરા આયોજિત બીઆરસી સાવલીના સી.આર.સી મેવલી ખાતે ક્લસ્ટર કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું.જેમાં મુખ્ય વિષય ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી અંતર્ગત ક્લસ્ટરની ૧૧ શાળાઓ દ્વારા વિવિધ ૧૭ શૈક્ષણિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. શાળા કક્ષાએ આચાર્ય નાનુભાઈ માલીવાડ અને સીઆરસી કોઓર્ડીનેટર મુકેશભાઈ શર્મા દ્વારા આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનને ખૂબ સુંદર રીતે સૌ વિદ્યાર્થી અને માર્ગદર્શક શિક્ષકોને આવકારવામાં આવ્યા હતા. ટેકનોલોજીના સમયમાં સાયન્સ એન્ડ મેથ્સની ખૂબ જરૂરિયાત છે તે મુજબની વિષય અનુબંધિત…

Read More

બોટાદકરની 154મી જન્મ જયંતીએ સાહિત્ય, સર્જન અને સર્જનકારનો ત્રિવેણી સંગમ સર્જતો કાર્યક્રમ “સર્જક સાથે સંવાદ”

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લા માહિતી કચેરી અને ગુજરાત પ્રેસ અકાદમીના સંયુક્ત ઉપક્રમે કવિશ્રી બોટાદકરની જન્મજયંતી નિમિત્તે “સર્જક સાથે સંવાદ” કાર્યક્રમ સંપન્ન પ્રબંધકાવ્ય ‘સૈરન્ધ્રી’ માટે વર્ષ 2023માં રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત થનારા કવિશ્રી વિનોદ જોશી સાથે “સર્જક સાથે સંવાદ” માહિતી ખાતું એ રાજ્ય સરકારનું ખૂબ જ મહત્વપૂર્ણ ખાતું છે. માહિતી, મનોરંજન અને શિક્ષણ એમ ત્રણેય ક્ષેત્રોને માહિતી ખાતું આવરી લે છે “સર્જક સાથે સંવાદ” કાર્યક્રમ થકી મને ફરી જૂના દિવસો યાદ કરવાનો અવસર મળ્યો : કવિશ્રી વિનોદ જોશી કાર્યક્રમમાં પિનાકીભાઈ મેઘાણી અને અભેસિંહ રાઠોડ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા

Read More

વલસાડ શહેરના વિકાસ માટે મંત્રી કનુભાઈ દેસાઈ નાં હસ્તે વિવિધ જગ્યા એ કરવામાં આવ્યું ખાતમુહૂર્ત

હિન્દ ન્યુઝ, વલસાડ  નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ જિલ્લા પંચાલત પ્રમુખ મનહરભાઈ પટેલ અને વલસાડ ધારાસભ્ય ભરતભાઈ પટેલની ઉપસ્થતિમાં વલસાડ ગુંદલાવ ખેરગામ રોડ પર આવેલી ઔરંગા નદી ઉપર હયાત બ્રિજની જગ્યાએ રૂ.૪૩.૪૨ કરોડના ખર્ચે નવા બનનારા હાઇ લેવલ ફોરલેન બ્રિજનું ખાતમુહૂર્ત કર્યુ હતુ. આ બ્રિજ ૨૪ મીટરના કુલ ૧૦ ગાળા સાથે એકંદરે ૨૪૦ મીટર લંબાઈ અને ૧૫ મીટર કેરેજ-વે પહોળાઈનો બનશે. સાથે સાથે વલસાડ શહેર તરફ ૨૨૫ મીટર તેમજ નેશનલ હાઇવે તરફ ૨૦૬ મીટરના એપ્રોચ રોડનો સમાવેશ થશે.   આ સાથે મંત્રીના હસ્તે રૂ. ૨૧.૩૫ કરોડના ખર્ચે નવા…

Read More