હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લામાં ગત દિવસો પડેલ ભારે વરસાદને કારણે જિલ્લામાં અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાતા જિલ્લામાં ઠેર ઠેર પાણી ભરાઇ ગયાં હતાં, જેના લીધે જિલ્લાના કેટલાંય ગામો સંપર્કવિહોણા થઈ ગયા હતાં. આવા સમયે પાણીમાં અંતરિયાળ વિસ્તારમાં ફસાયેલા ગ્રામજનો જીવનજરૂરિયાતની વસ્તુઓથી વંચીત ન રહે અને તેમને જરૂરી ખાદ્ય સામગ્રી મળી રહે તે માટે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ તમામ તાલુકાના લાયઝન અધિકારીઓ દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે. અતિવૃષ્ટિને કારણે ખંભાત તાલુકાના દેવપુરા ગામમાં અતિશય પાણી ભરાઇ જતાં સમગ્ર…
Read MoreMonth: August 2024
दीव (IIITV-ICD परिसर दीव) में “स्टील्थ अनुप्रयोगों के लिए AI की भूमिका” विषय पर केंद्रित माइक्रोवेव अवशोषण सामग्री (VAMMAM) पर 8वीं प्रो. विजया अग्रवाल मेमोरियल राष्ट्रीय कार्यशाला की मेजबानी
हिन्द न्यूज़, दीव भारतीय सूचना प्रौद्योगिकी संस्थान वडोदरा (IIITV) अपने अंतर्राष्ट्रीय परिसर दीव (IIITV-ICD परिसर दीव) में “स्टील्थ अनुप्रयोगों के लिए AI की भूमिका” विषय पर केंद्रित माइक्रोवेव अवशोषण सामग्री (VAMMAM) पर 8वीं प्रो. विजया अग्रवाल मेमोरियल राष्ट्रीय कार्यशाला की मेजबानी कर रहा है। मानसून की शुरुआत के साथ, उद्घाटन समारोह आयोजित किया गया। इस कार्यक्रम में मुख्य अतिथि डीआरडीओ मुख्यालय में ईआर और आईपीआर के निदेशक डॉ. नरेंद्र कुमार आर्य, विशिष्ट अतिथि आईआईटी बीएचयू के पूर्व निदेशक प्रो. के.पी. सिंह और दीव के डिप्टी कलेक्टर शिवम मिश्रा…
Read Moreમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર જિલ્લાના પદાધિકારીઓ તથા અધિકારીઓ સાથે બેઠક યોજીને અતિવૃષ્ટિની સમીક્ષા કરી
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લામાં એનડીઆરએફ, એસડીઆરએફ, મરીન ટાસ્ક ફોર્સની 1-1 ટીમ, આર્મીની 3 ટુકડીઓ રેસ્ક્યૂ માટે કાર્યરત, 12 લોકોને એરલિફ્ટ કરાયા, 450 લોકોનું સલામત રીતે રેસ્ક્યૂ તેમજ 2 લાખ જેટલા ફૂડપેકેટ્સનું વિતરણ કરાયું. જામનગર જિલ્લામાં પડેલ ભારે વરસાદના કારણે ઊભી થયેલ સ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જામનગર ખાતે આવી પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ એરપોર્ટ મિટિંગ હોલ ખાતે જિલ્લાના પદાધિકારીઓ તથા અધિકારીઓ સાથે બેઠક યોજી સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો. અતિવૃષ્ટિના પરિણામે જામનગર જિલ્લામાં સર્જાયેલી સ્થિતિ અંગે કલેકટર બી. કે. પંડ્યા અને કમિશનર ડી. એન. મોદીએ મુખ્યમંત્રીને વિગતો આપી…
Read Moreગીર સોમનાથ જિલ્લાના ત્રણ ડેમ ૧૦૦ ટકા ભરાયા
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ સમગ્ર રાજ્યની સાથે જ ગીર સોમનાથ જિલ્લામાં પણ ગત ત્રણ દિવસથી સર્વત્ર મેઘમહેર થઈ રહી છે. જિલ્લામાં પડેલા વરસાદને કારણે હિરણ-૧, અને હિરણ-૨ તેમજ મચ્છુન્દ્રી ડેમ ૧૦૦ ટકા ભરાયા છે. જિલ્લાના કુલ પાંચ ડેમમાંથી તાલાલા તાલુકાનો હિરણ-૧ અને હિરણ-૨ ડેમ ૧૦૦ ટકા ભરાયા છે. જ્યારે ગીર ગઢડા તાલુકાનો મચ્છુન્દ્રી ડેમ પણ ૧૦૦ ટકા છલોછલ થયો છે. જ્યારે ગીરગઢડા તાલુકાનો રાવલ ડેમ ૯૭ ટકા અને શિંગોડા ડેમ ૯૦ ટકા જેટલા ભરાયા છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં સાર્વત્રિક વરસાદને લઈને જો પાણીનો પ્રવાહ વધે તો ડેમના દરવાજા…
Read Moreસરકારી વિજ્ઞાન કોલેજ વેરાવળ દ્વારા “વિશ્વસ્તરે ભારતીય વિજ્ઞાન અને વૈજ્ઞાનિકોના યોગદાન” વિષય પર વિશેષ વ્યાખ્યાન યોજાયું
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ સરકારી વિજ્ઞાન કોલેજ, વેરાવળના આચાર્ય ડૉ. સ્મિતા.બી.છગના માર્ગદર્શન હેઠળ વિજ્ઞાન ગુર્જરીના સહયોગથી સરકારી વિજ્ઞાન કોલેજમાં “વિશ્વસ્તરે ભારતીય વિજ્ઞાન અને વૈજ્ઞાનિકોનું યોગદાન” વિષય પર વિશેષ વ્યાખ્યાન યોજાયું હતું. “સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટ ૨૦૨૪”ના ભાગરૂપે આયોજિત આ વ્યાખ્યાનમાં ૨૫૦થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દ્વારા ભારતીય વિજ્ઞાનના વૈશ્વિક યોગદાનને બીરદાવવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક શોધ અને અન્વેષણમાં ઉત્કૃષ્ટતા હાંસલ કરવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. આ સેમિનારમાં વૈશ્વિક વૈજ્ઞાનિક વિકાસમાં ભારતીય વિજ્ઞાન અને વૈજ્ઞાનિકોના યોગદાન પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. ડૉ. સુકાંતકુમાર સેનાપતિ…
Read Moreગીર સોમનાથ જિલ્લાના ૬ તાલુકામાં સરેરાશ ૩૭ ઇંચ જેટલો વરસાદ નોંધાયો
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમ તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ ૬ તાલુકામાં સિઝનનો અત્યાર સુધીનો સરેરાશ ૩૭ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાલાલા તાલુકામાં ૫૧.૫૨ ઇંચ વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની આગાહી વચ્ચે સિઝનના અત્યાર સુધીના વરસાદના આંકડા જોઇએ તો ગીરગઢડા તાલુકામાં ૨૭.૫૨ ઇંચ, તાલાલા તાલુકામાં ૫૧.૫૨ ઇંચ, વેરાવળ-પાટણ તાલુકામાં ૪૫.૯૨ ઇંચ, સુત્રાપાડા તાલુકામાં ૪૦.૮૪ ઇંચ, કોડિનાર તાલુકામાં ૩૪.૮૮ ઇંચ અને ઊના તાલુકામાં ૨૪.૧૬ ઇંચ વરસાદ નોંધાયો છે. આમ, જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટના કંટ્રોલ રૂમમાં તા.૨૯-૦૮-૨૦૨૪ના બપોરના ૨ વાગ્યા સુધીમાં જિલ્લામાં કુલ…
Read Moreવરસાદની સ્થિતિને અનુલક્ષી કંટ્રોલરૂમની તમામ ફરિયાદનો તાત્કાલિક નિકાલ કરતું વહીવટી તંત્ર
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ સમગ્ર રાજ્ય સહિત જિલ્લામાં ભારે વરસાદની આગાહીને લઈને ગીર સોમનાથ જિલ્લા વહિવટી તંત્ર સતત સતર્ક રહ્યું હતું. જિલ્લા, તાલુકા, નગરપાલિકા અને વિવિધ વિભાગોના કંટ્રોલરૂમને મળેલી ફરિયાદનો સંબંધિત વિભાગ દ્વારા તાત્કાલિક નિકાલ કરવામાં આવ્યો હતો. રાજ્યમાં ભારે વરસાદની આગાહીને લઈને ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર પણ સજાગ રહ્યું હતું. જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કટોકટીની પળોમાં રાહત-બચાવ અને અગમચેતીના ભાગરૂપે વહીવટી તંત્રએ સતર્ક રહી સરાહનીય કામગીરી કરી હતી. સાવચેતીના ભાગરૂપે શાળા-કોલેજોમાં બે દિવસની રજા જાહેર કરવામાં આવી હતી અને જિલ્લા, તાલુકા, નગરપાલિકા અને વિવિધ…
Read Moreજિલ્લાના સ્ટેટ હાઈવે પર વૃક્ષ ધરાશાયી થાય તો ત્વરિત કામગીરી માટે કંટ્રોલરૂમ કાર્યરત
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સાથે ગીર સોમનાથ જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. અવિરત વરસાદના કારણે અનેક જગ્યાઓએ જમીન પોચી પડવાથી રોડ પર વૃક્ષો જમીનદોસ્ત થવાની ઘટનાઓ બની હતી. માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી દાખવતાં જમીનદોસ્ત થયેલા વૃક્ષોને ખસેડી અને તમામ સ્થળો પર વાહન વ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો. સ્ટેટ હાઇવે પર ઉપર પડેલા વૃક્ષોને દૂર કરીને ટ્રાફિકને તાત્કાલિક ખુલ્લો કરી શકાય તે માટે માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા વેરાવળ અને કોડિનાર ડિવિઝન ખાતે કંટ્રોલરૂમ કાર્યરત કરી સંપર્ક…
Read Moreકોડિનાર નગરપાલિકા દ્વારા સાફ-સફાઈની કામગીરી
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહીના કારણે જિલ્લામાં વિવિધ જગ્યાઓએ વરસાદ પડ્યો હતો. વરસાદ બંધ થતાં જ કોડિનાર નગરપાલિકા દ્વારા જુદા-જુદા વિસ્તારમાં સાફ-સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે. વરસાદના કારણે શહેરના છારા ઝાપા, મુખ્ય બજાર, બસસ્ટેશન, દરગાહ દરવાજા સહિત જુદા જુદા વિસ્તારોમાં જેસીબી દ્વારા કાદવ-કિચડ સાફ કરવામાં આવી રહ્યો છે અને સફાઈ કામદારો દ્વારા સ્વચ્છતાની કામગીરી થઈ રહી છે. નાગરિકોનું આરોગ્ય જળવાઈ રહે અને મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે શહેરના જુદા જુદા ગામતળ તથા સોસાયટી વિસ્તારોમાં દવાનો છંટકાવ…
Read Moreછોટાઉદેપુર જિલ્લામાં વરસાદમાં ધોવાયેલા માર્ગોનું યુદ્ધના ધોરણે સમારકામ ચાલુ
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદના પરિણામે ધોવાયેલા માર્ગોનું સમારકામ કરી વાહન વ્યવહાર પૂર્વવત કરવા માટે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલીયાના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. જિલ્લામાં નેશનલ હાઈવે ઓથોરિટી, માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ અને પંચાયત દ્વારા નુકસાન થયેલા માર્ગોના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અન્વયે છોટાઉદેપુર-ઝોઝ-કેવડી રોડ, નસવાડી ટાઉન, કવાંટ-છોટાઉદેપુર રોડ અને કવાંટ-રેણધા રોડનું સમારકામ કરવામાં આવ્યું છે.
Read More