હિન્દ ન્યુઝ, ભાવનગર રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ, નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ, અમદાવાદનાં આદેશ પ્રમાણે કાનૂની સેવા સત્તામંડળ, ભાવનગર દ્વારા ભાવનગરની તમામ અપીલ અદાલતો અને સિનિયર અને જુનિયર દિવાની અદાલતો સાથે તાલુકા ખાતે કાર્યરત વિવિધ અદાલતોમાં તા.૧૦ જુલાઇના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોક અદાલતમાં સમાધાનપાત્ર તમામ દિવાની તથા ફોજદારી કેસોનો સમાધાનથી નિકાલ કરવામાં આવશે. આ લોક અદાલતમાં પી.જી.વી.સી.એલ., નેગોશીએબલ એક્ટ(ચેક રીટર્ન), બેંકને લગતા કેસ, મોટર અકસ્માત, વળતરના કેસ, લગ્ન વિષયક કેસ, રેવન્યુ કેસ, સર્વિસ મેટર, જમીન સંપાદનના વળતરના કેસ તેમજ લેબર કોર્ટના…
Read MoreDay: June 22, 2021
RTE Act-2009 અંતર્ગત શરૂ થનાર RTE પ્રવેશ પ્રકિયા ૨૦૨૧-૨૨ માટે જરૂરી માર્ગદર્શિકા બહાર પડાઇ
હિન્દ ન્યુઝ, ભાવનગર રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ-૨૦૦૯ અંતર્ગત બાળકને શૈક્ષણિક વર્ષ:૨૦ર૧-૨૨માં તા.૨૫/૦૬/૨૦૨૧ થી તા.૦૫/૦૭/૨૦૨૧ સુધી http://rte.orpgujarat.com પર ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થનાર છે. ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ વાલીઓએ આ ફોર્મની પ્રિન્ટ કે અન્ય આધારો હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ કોઈ જગ્યાએ રૂબરૂ જમા કરાવવાના થતા નથી. વધુમાં ફોર્મ ભરતી વખતે ડોક્યુમેન્ટ સ્વચ્છ અને સ્પષ્ટ જોઈ શકાય તે રીતે સ્કેન કરી અપલોડ કરવા, તથા ફોર્મ ભરતી વખતે ભાવનગર ગ્રામ્યની શાળાઓ પસંદ કરવા જિલ્લા તરીકે ભાવનગર ગ્રામ્ય પસંદ કરવાનું રહેશે. વધુમાં સમગ્ર પ્રવેશ પ્રકિયા દરમિયાન કોઈ પણ મુશ્કેલી ઉભી થાય અથવા અનાધિકૃત પ્રવૃત્તિ…
Read Moreસમગ્ર ભાવનગર જિલ્લામાં તહેવારોને અનુલક્ષીને તિક્ષ્ણ હથિયારો સાથે રાખવા પર પ્રતિબંઘ ફરમાવતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ
હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી જુન/૨૦૨૧ – જુલાઇ/૨૦૨૧ના માસ દરમિયાન તા.૨૪/૦૬/૨૦૨૧ના રોજ વડસાવિત્રી પૂર્ણીમાં, તા.૦૨/૦૭/૨૦૨૧ના રોજ કાલભૈરવાષ્મી, તા.૧૨/૦૭/૨૦૨૧ના રોજ અષાઢી બીજ(ભગવાન જગન્નાથજી રથયાત્રા) તથા તા.૧૭/૦૭/૨૦૨૧ના રોજ દુર્ગાષ્ટમી વગેરે તહેવારો/ઉત્સવો ઉજવનારા હોય, આ દિવસોમા કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા આ તહેવારો દરમ્યાન સુલેહ શાંતિ જળવાય રહે તેમજ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અગમચેતીના પગલા લેવા અનિવાર્ય જણાતા સમગ્ર ભાવનગર જિલ્લામાં લોકો જાહેરમાં તિક્ષ્ણ હથીયાર જેવા કે છરી, કુંહાડી, ઘારીયા, તલવાર, ગુપ્તી, કુંડેલીવાળી લાકડીઓ, લોખંડના પાઇપ, ભાલા વગેરે જેવા પ્રાણઘાતક હથિયાર લઇને હરે ફરે નહિ તે માટે પ્રતીબંઘિત ફરમાવતુ જાહેરનામુ જાહેર શાંતિ અને…
Read Moreમુખ્યમંત્રી વિજયભાઈ ની વિજયભાઈ રૂપાણીની સુચના મુજબ રાજ્ય સરકાર માસ્ક નહીં પહેરવા બદલના દંડની રકમ રૂપિયા 1,000 થી ઘટાડીને રૂપિયા 500 કરવા નામદાર હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરશે
હિન્દ ન્યુઝ, નડિયાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાહેર જનતાના હિતને ધ્યાનમાં રાખીને માસ્ક નહિ પહેરવા બદલનો દંડ રૂ. 1,000 થી ઘટાડીને રૂ 500 કરવા નામદાર ગુજરાત હાઈકોર્ટને અનુરોધ કરવા રાજ્ય સરકારના સંબંધિત વિભાગોને સૂચના આપી છે. તદ્દ અન્વયે ગુજરાત હાઇકોર્ટમાં માસ્ક નહિં પહેરવા બદલના દંડની રકમ રૂપિયા 1,000 થી ઘટાડીને રૂપિયા 500 કરવા માટે રાજ્ય સરકાર રજૂઆત કરશે. રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ
Read More