જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા તા.૧૦ જુલાઇના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ, નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ, અમદાવાદનાં આદેશ પ્રમાણે કાનૂની સેવા સત્તામંડળ, ભાવનગર દ્વારા ભાવનગરની તમામ અપીલ અદાલતો અને સિનિયર અને જુનિયર દિવાની અદાલતો સાથે તાલુકા ખાતે કાર્યરત વિવિધ અદાલતોમાં તા.૧૦ જુલાઇના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.

આ લોક અદાલતમાં સમાધાનપાત્ર તમામ દિવાની તથા ફોજદારી કેસોનો સમાધાનથી નિકાલ કરવામાં આવશે. આ લોક અદાલતમાં પી.જી.વી.સી.એલ., નેગોશીએબલ એક્ટ(ચેક રીટર્ન), બેંકને લગતા કેસ, મોટર અકસ્માત, વળતરના કેસ, લગ્ન વિષયક કેસ, રેવન્યુ કેસ, સર્વિસ મેટર, જમીન સંપાદનના વળતરના કેસ તેમજ લેબર કોર્ટના કેસ સમાધાન માટે રાખવામાં આવનાર છે.

પક્ષકારોએ રાષ્ટ્રીય લોક અદાલતો દ્વારા વિવાદોનું ઝડપી અને સંતોષકારક રીતે સમાધાન કરવા માટેની વધુ જાણકારી મેળવવી હોય તો સંબંધિત અદાલત તથા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, જિલ્લા ન્યાયાલય, ભાવનગરનો અથવા તાલુકા કાનૂની સેવા સત્તા સમિતિનો સંપર્ક કરી શકાશે તેમ સચિવશ્રી, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, ભાવનગરની અખબારી યાદીમાં જણાવાયું છે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment