ડભોઇ, વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા પ્રમુખ દિલુભા ચુડાસમા દ્વારા નવા હોદેદારોની નિયુક્તિ કરવામાં આવી જેમાં ડભોઇ શહેર ભાજપ પ્રમુખ તરીકે ડો.સદીપભાઈ શાહ ની વરણી કરવામાં આવી હતી. જેવોએ ડભોઈ પાલીકામાં કારોબારી ચેરમેન તરીકે સેવાઆપેલ સાથે રાજકીય તેમજ સામાજિક અને શૈક્ષણિક સંસ્થા, ધાર્મિક સંસ્થાઓ માં સેવાઓ આપવામાં તત્પર રહે છે. ડો.સદિપ શાહ ને શહેરતાલુકા ભાજપના કાર્યકરો ધારાસભ્યશૈલેષ ભાઈ મહેતા (સોટ્ટ) , ડો.બી.જે.બ્રહ્મભટ્ટ, અશ્વિનભાઈપટેલ (વકિલ), સુખદેવ પાટણવાડીયા, કાઉન્સિલરો એ શુભેચ્છા પાઠવી હતી. સાથે વિવિધ હોદેદારો ની વરણી કરવામાં આવી હતી. જેમાં મહામંત્રી તરીકે બિરેન શાંતિલાલ શાહ અને…
Read MoreMonth: July 2020
નર્મદા કેનાલમાં પૂરતા પ્રમાણમાં પાણી ન મળતાં ડભોઇ કિસાન સંઘ દ્વારા મામલતદાર ને આવેદનપત્ર સુપ્રત કર્યું
ડભોઈ, ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે તેમજ ચોમાસુ પાક લેવાની પણ પુરતી તૈયારીઓ થઇ રહી છે ત્યારે નર્મદા કેનાલમાં પાણી ન છોડતા ૨૦ ઉપરાંત ગામોના ખેડૂતોની સ્થિતિ કફોડી બની જવા પામી છે.આ નર્મદા કેનાલમાં પાણી છોડવા અંગે નર્મદા નિગમને વારંવાર રજૂઆત કરવા છતાં પણ સત્તાધીશો દ્વારા આંખ આડા કાન કરતા હોવાથી ખેડૂતોને આજદિન સુધી પાણી મળી શકતું નથી આપણો દેશ ખેતીપ્રધાન દેશ હોવા છતાં પણ ખેડૂતની આવી કફોડી હાલત દયનીય છે જેને ધ્યાનમાં લઇ પોર બ્રાન્ચ દ્વારા કેનાલમાં પાણી છોડવામાં આવે તે માટે ડભોઇ કિસાન સંઘ પ્રમુખ સુરેશભાઈ પટેલ…
Read Moreસોમનાથ માં સોશિયલ ડિસ્ટન્સ નાધજાગરા લીરા વિભાબેન દવે પરિવાર માં માસ્ક પણ ગાયબ
સોમનાથ, સરકાર સોશિયલ ડિસ્ટન્સ માસ્ક ન પહેરનારા આમ પબ્લિક સામે દંડ કરે છે ત્યારે સોમનાથ મહાદેવ નાં દર્શન કરવા માટે આવેલા વિભાબેન દવે તેમજ તેમની સાથે રહેલ સભ્યોએ કોઈએ માસ્ક પહર્યા નથી . ડિસ્ટન્સ રાખ્યુ કે નથી કોઈએ પણ માસ્ક પહેર્યું છતાં તંત્ર બે જવાબદાર સામે કેમ નથી બોલતા ?આમ પ્રજા જનો ને આકરા પ્રહારો કરે છે, આકરા દંડ વસુલવામાં આવ્યા હોય ત્યારે આ પરિવાર ને કેમ કોઈ નિયમો લાગુ પડતા નથી ? આવા ચિત્રો સામે તંત્ર આંખો બંધ કરી લેતાં હોય તેવુ લાગે છે. એવું આમ જનતા નું કેહવું…
Read Moreકેશોદના આંબાવાડી વિસ્તારમાં જોડા ફુટવેર દુકાનમાં આગ લાગી સદનસીબે જાનહાની ટળી…
કેશોદ, કેશાેદના આંબાવાડી વિસ્તારના કિશોર કોમ્પલેક્ષ પાસે આવેલ લોટસ શાેપીંગ સેન્ટરમાં ફુટવેર ના સેલની દુકાન માં આગ ભભૂકી હતી. કેશોદ નગરપાલિકા ફાયર ટીમ, પાેલીસ સ્ટાફ તેમજ પીજીવીસીએલ સ્ટાફ ઘટના સ્થળે પહોચી ગયો હતો અને આગને કાબુમાં લેવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તારણમાં આગ શોર્ટ સર્કીટના કારણે લાગ્યાનું જાણવા મળી રહ્યું છે . આગ લાગ્યા નાં સમાચાર સોશ્યલ મીડિયા માં વાયરલ થતાં લાેકાેના ટાેળે ટાેળા ઉમટી પડયા હતાં. અનલોક-૨ હેઠળ આઠ વાગ્યે બજારો બંધ થતી હોય સદનસીબે કોઇ જાનહાની થયેલી નથી. લોટસ કોમ્પલેક્ષ માં બહારના ભાગમાં લગાવવામાં આવેલ જવ્યંતશીલ…
Read Moreખનીજ ચોરીના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ
ભાવનગર, ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક એ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ જુદા-જુદા રાજય તથા જીલ્લાઓમાં આરોપી ભાગતા ફરતા હોય જે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય જેના ભાગરૂપે આર.આર.સેલ, ભાવનગર રેન્જના તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ.બાર ર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે અમરેલી તાલુકા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં-૧૦૭/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૭૯, એમ.એમ.ડી.આર. એકટ કલમ ૨૧ વિ. મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી હિતેષભાઇ દેવજીભાઇ માધડ ઉ.વ.૨૭ રહેવાસી-દેવળીયા (ચકકરગઢ) ગામ, તા.જી.અમરેલી…
Read Moreરાજકોટ શહેરની જ્ઞાનદીપ શાળા દ્વારા સરકારના નિયમોનો ઉલાળિયો કરવામાં આવ્યો. N.S.U.I એ ચાલુ સ્કૂલ ઝડપી પાડી
રાજકોટ, રાજકોટ શહેર તા.૨૨.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરની જ્ઞાનદીપ શાળા દ્વારા સરકારના નિયમોનો ઉલાળિયો કરવામાં આવ્યો હતો, વિદ્યાર્થીઓને અભ્યાસ માટે બોલાવવામાં આવતા હોવાની વાત મળતા N.S.U.I એ ચાલુ સ્કૂલ ઝડપી પાડી હતી. ગાંધીગ્રામ પાસે મોચીનગર વિસ્તારમાં આવેલી જ્ઞાનદીપ શાળા દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે બોલાવવામાં આવતા હતા. વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતા હોવાની ઘટના C.C.T.V માં પણ કેદ થઈ છે. જેથી N.S.U.I એ ચાલુ સ્કૂલને ઝડપી પાડી વિરોધ કર્યો છે. જેથી સમગ્ર મામલે D.E.O એ નોટિસ ફટકારી છે. અને 3 દિવસમાં જવાબ આપવા જણાવ્યું છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read Moreરાજકોટ શહેર જીલ્લા કલેકટર કચેરીમાં વધુ ૪ કર્મચારીને કોરોના પોઝીટીવ ૩ શાખાઓ બંધ કરાઈ
રાજકોટ, રાજકોટ જીલ્લા કલેકટર કચેરીની P.R.O શાખામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ગોપીબેન પટેલનો તાજેતરમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓના સંપર્કમાં આવેલા ૬ કર્મચારીઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. ગોપીબેનના સંપર્કમાં આવેલા અને હોમ કવોરન્ટાઇન રહેલા રજીસ્ટ્રી શાખાના કર્મચારી કિરણબેન મારૂનો રિપોર્ટ ગઈકાલે પોઝિટિવ જાહેર થયો છે. આ સાથે જી-સ્વાન કનેક્ટિવિટી N.I.C ડિપાર્ટમેન્ટના મેનેજર રાહુલ ત્રિવેદીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ જાહેર થયો છે. આ બન્ને કર્મચારિઓના રિપોર્ટ પોઝિટિવ આવતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. આજરોજ ફરી રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં જી-સ્વાનના જ બે કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયા…
Read Moreરાજકોટ શહેરમાં ફુલવાડી પાર્કમાં રહેતા કારખાનેદાર આધેડે ત્રંબા ગઢકા રોડ પર આવેલ ઓમ શાંતિ આશ્રમ પાસે કુવામાં ઝંપલાવી આપઘાત કરી લીધો
રાજકોટ, રાજકોટ શહેરમાં આવેલા ફુલવાડી પાર્કમાં રહેતા જેન્તીભાઈ હંંસરાજભાઈ ભલાણી નામના ૫૧ વર્ષના પટેલ કારખાનેદાર આધેડે ત્રંબા ગઢકા રોડ પર આવેલા ઓમ શાંતિ આશ્રમ પાસે વિનોદભાઈ ગોરધનભાઈ રૈયાણીની વાડીએ કુવામાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. વાડી માલીક ગોરધનભાઈ વાડીએ આટો મારવા જતા કુવા નજીક હોન્ડા, પાકિટ અને મોબાઈલ જોવા મળતા કુવામાં ડોકયુ કરતાં કુવામાં લાશ તરતી નજરે પડી હતી. આ અંગે વાડી માલીક ગોરધનભાઈએ ત્રંબા ગામના સરપંચ નીતીનભાઈ રૈયાણીને જાણ કરતા તેમણે આજીડેમ પોલીસમાં જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને બહાર કાઢી મોબાઈલ પાકિટની…
Read Moreરાજ્ય સરકારના નિર્ણય સામે હવે ખાનગી શાળાના સંચાલકોના ઓનલાઇન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય કર્યો
રાજકોટ, રાજકોટ શહેર 22-07-2020 ના રોજરાજ્ય સરકારના શિક્ષણ વિભાગે પણ સ્કુલોને ફી ઉઘરાવવા માટે મનાઇ ફરમાવતો ઠરાવ કર્યો છે. જેની સામે ખાનગી શાળાના સંચાલકોના મહામંડળે વાંધો ઉઠાવ્યો છે. છેલ્લા 2 મહિનાથી વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવતુ હતું તે બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ખાનગી શાળાના સંચાલક મંડળના ઉપપ્રમુખ જતીન ભરાડએ સવાલ કરતા કહ્યું છે કે ફી ન ઉઘરાવવાની હોય તો ઓનલાઇન શિક્ષણ કેવી રીતે આપીએ. કોરોનાની મહામારી વચ્ચે શાળાઓ દ્વારા અપાતા ઓનલાઇન શિક્ષણ અને ખાનગી શાળાઓ દ્વારા ફી વસૂલવામાં આવતી હતી. જેને લઇને વાલીઓ દ્વારા આંદોલન પણ કરવામાં આવ્યું હતું.…
Read Moreથરાદમાં દશામાના મંદિરે ભરાતો મેળો બંધ રાખવામા આવેળ છે ……
થરાદ, શેણલનગર સોસાયટી રાજપૂત વાસ માં આવેલ શેણલ માતાના મંદિર પાસે દશામાતા ના મંદિરે દશામાના વ્રત શરૂ થયેલ છે. વર્તમાન સમયમાં કોરોનાનો કહેરનું સંક્રમણ દિન પ્રતિદિન વધતું જાય છે, જોકે મહામારીનું સંક્રમણ ન ફેલાય તે માટે મેળાઓ તેમજ જાહેર કાર્યક્રમો બંધ રાખવા જીલ્લા કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે, ત્યારે દરવર્ષે દશામાના મંદિરે ભરાતો મેળો આ વર્ષે મોકૂફ રખાયો હતો. કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે થરાદમાં દશામાના મંદિરે અષાઢ માસને અમાવસના દિવસે ભરાતો મેળો મોકૂફ રાખવામાં આવ્યો હતો, જોકે દશામાના મંદિરે ભવ્ય દશામાની મૂર્તિની પધરામણી કરવામાં આવતી હતી પરંતુ આ…
Read More