રાજકોટ શહેરની જ્ઞાનદીપ શાળા દ્વારા સરકારના નિયમોનો ઉલાળિયો કરવામાં આવ્યો. N.S.U.I એ ચાલુ સ્કૂલ ઝડપી પાડી

રાજકોટ,

રાજકોટ શહેર તા.૨૨.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરની જ્ઞાનદીપ શાળા દ્વારા સરકારના નિયમોનો ઉલાળિયો કરવામાં આવ્યો હતો, વિદ્યાર્થીઓને અભ્યાસ માટે બોલાવવામાં આવતા હોવાની વાત મળતા N.S.U.I એ ચાલુ સ્કૂલ ઝડપી પાડી હતી. ગાંધીગ્રામ પાસે મોચીનગર વિસ્તારમાં આવેલી જ્ઞાનદીપ શાળા દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે બોલાવવામાં આવતા હતા. વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતા હોવાની ઘટના C.C.T.V માં પણ કેદ થઈ છે. જેથી N.S.U.I એ ચાલુ સ્કૂલને ઝડપી પાડી વિરોધ કર્યો છે. જેથી સમગ્ર મામલે D.E.O એ નોટિસ ફટકારી છે. અને 3 દિવસમાં જવાબ આપવા જણાવ્યું છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment