રાજકોટ, રાજકોટ શહેર તા.૧૩.૪.૨૦૨૦ ના રોજ ગુજરાત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સી.એમ. ડેસ્કબોર્ડના જનસંવાદ કેન્દ્રના માધ્યમથી રાજકોટના મેટોડા ઔદ્યોગિક વસાહતમાં આવેલ ઓટોમોબાઇલ પાર્ટસના ઉત્પાદન સાથે જોડાયેલ ફેક્ટરીમાં કામ કરી રહેલા અને ત્યાંજ વસવાટ કરતા પરપ્રાંતીય કર્મયોગીઓ સાથે સંવાદ કરેલો હતો. મુખ્યમંત્રીએ આ શ્રમિકો માટે ઉદ્યોગોએ કરેલી આવાસ, ભોજન, નિવાસ વ્યવસ્થાઓ, આરોગ્ય સગવડો તેમજ સોશિયલ ડિસ્ટનસિંગના નોર્મ્સ જાળવણી અંગેની માહિતી આ શ્રમયોગીઓ સાથે સંવાદ કરીને મેળવી હતી. મુખ્યમંત્રીએ આ બધા જ શ્રમિકોને નિયમિત મેડીકલ ચેકઅપ, સેનેટાઈઝર, માસ્ક, બે ટાઈમનું પુરતું ભોજન વગેરેની વ્યવસ્થા અંગે વિસ્તૃત ચર્ચા કરીને વિગતો મેળવી હતી.…
Read MoreMonth: April 2020
ગુજરાતના માજી મુખ્યમંત્રી આનંદીબેન પટેલની એક પ્રશંસનીય કામગીરી…..
જ્યારે ગુજરાતમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. અને લોકડાઉનના કારણે તમામ રાજ્યોની સરહદો સીલ કરવામાં આવી છે. ત્યારે 300 જેટલા ગુજરાતીઓ યુપીના અલગ-અલગ વિસ્તારમાં, મથુરા, વૃંદાવન અને ગોકુળમાં, ફસાયા હતા. ત્યારે મુસાફરોની રજૂઆત બાદ આનંદીબેને મદદ કરીને શ્રદ્ધાળુઓને ઉત્તર પ્રદેશથી રવાના કરી દેવામાં આવ્યા છે અને તે મંગળવાર સુધીમાં ગુજરાતમાં પહોંચી જશે. જ્યારે ગુજરાતના માજી મુખ્યમંત્રી આનંદીબેન પટેલ કોરોના સંકટના સમયમાં ગુજરાતીઓના વાહરે આવ્યા હતા. રિપોર્ટર : વિનુભાઈ ખેરાળીયા, રાજકોટ
Read Moreરાજકોટમાં 15 એપ્રિલથી માર્કેટ યાર્ડની કામગીરી શરૂ કરવામાં આવશે…..
રાજકોટ, જ્યારે રાજ્ય સરકારે 15 એપ્રિલથી માર્કેટ યાર્ડ શરૂ કરવાની સુચના આપી છે. ત્યારે રાજકોટમાં APMC શરૂ કરવાને લઈ યાર્ડ સત્તાધીશો અને કલેકટર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો, કે 15 એપ્રિલથી બેડી માર્કેટ યાર્ડમાં કામગીરી શરૂ કરવામાં આવશે. જ્યારે રાજકોટના બેડી યાર્ડના ચેરમેન ડી.કે સખીયાએ જણાવ્યું હતું, કે લોકડાઉન નો પણ અમલ થાય અને સોશિયલ ડિસ્ટેન્સિગ જળવાઈ રહે તે માટે ખેડૂતોની યાર્ડમાં ભીડ ના થાય તે માટે વેપારીઓ અને કમિશન એજન્ટો દ્વારા ગામડાઓમાં જઇને જરૂરિયાતવાળા ખેડૂતોના પાકની ખરીદી કરવામાં આવશે. જ્યારે વેપારીઓ અને કમિશન એજન્ટોને તાલુકા લેવલે SDM પાસ ઇસ્યુ…
Read Moreરાજકોટના જંગલેશ્વર વિસ્તારના કોરોના વાયરસનાં પોઝીટીવ કેસને લઈને થયો સૌથી મોટો ખુલાસો…..
રાજકોટ, 13/4/2020 ના રોજ રાજકોટ શહેરમાં કોરોનાવાયરસ ને લઈને ક્રાઇમ બ્રાન્ચનિ ટેક્નિકલ સર્વલન્સ દ્વારા ખુલાસો થયેલ છે. જ્યારે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં જે કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે.અને તેમને તમામને ક્યાંથી ચેપ લાગ્યો છે તેને લઈને ખુલાસો કરવામાં આવ્યો છે. જ્યારે ક્રાઈમ બ્રાન્ચ ટેક્નિકલ સર્વલન્સ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો કે, રાજકોટના જંગલેશ્વર વિસ્તારના પ્રથમ કોરોના પોઝિટિવ દર્દી દ્વારા જ બીજા લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે જંગલેશ્વરના 9 પોઝિટિવ દર્દીઓની કોલ ડીટેઈલ કાઢતાં આ સમગ્ર ખુલાસો થયો હતો. જ્યારે પ્રથમ દર્દીના સંપર્કમાં આવતા જ આ લોકોને ચેપ લાગ્યો…
Read Moreદાહોદ જિલ્લાના પ્રાથમિક શિક્ષકોનું એક દિ’ના પગાર પેટે રૂ. ૧.૭૮ કરોડનું મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન
દાહોદ, કોરોના વાયરસ સામેની લડતમાં લોકોની પડખે ઉભા રહી દાહોદ જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ પોતાના એક દિવસનો પગાર મુખ્યમંત્રીની રાહત નિધિમાં અર્પણ કર્યો છે. દાહોદ જિલ્લામાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકોએ કુલ રૂ. ૧.૭૮ કરોડનું દાન રાહત ફંડમાં કર્યું છે. ગ્રામ્ય સ્તરે ફરજ બજાવતા શિક્ષકો હંમેશા શિક્ષણ સહિતના લોકહિતના કાર્યોમાં અગ્રેસર રહે છે. એમાંય કોઇ આપત્તિના સમયે પણ શિક્ષકો મહત્વનું યોગદાન આપતા હોય છે. ત્યારે, કોરોના વાયરસની સામેની લડાઇમાં પણ શિક્ષકોએ પાછી પાની કરી નથી. પોતાના એક દિવસના પગાર પેટે રૂ. ૧.૭૮ કરોડનો ચેક તાલુકા વાઇઝ આજે મુખ્યમંત્રીની રાહત નિધિમાં અર્પણ કરવામાં…
Read Moreદાહોદ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા ૫૫૦ રાશન કીટનું વિતરણ
દાહોદ, સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી અને લોકડાઉનના કારણે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને ખાવા પીવાની હાડમારી ભોગવવી ન પડે તે હેતુથી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દાહોદ દ્વારા ૫૫૦ રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા શૈક્ષિક મહાસંઘની હાકલ પર સારસ્વત બંધુઓ -ભગીનીઓએ માત્ર બે જ દિવસમાં ૨,૦૦,૦૦૦ રૂપિયાનું ઓનલાઈન સ્વૈચ્છિક અનુદાન આપ્યું હતું. લીમખેડા તાલુકાના ચોપાટ પાલ્લી પ્રાથમિક શાળામાં પ્રાંત અધિકારી ડી.કે.હડિયલ તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી.પટેલના હસ્તે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારના લોકોને ૧૩૮ રાશન કિટનું વિતરણ કરાયું હતું. જેમાં જિલ્લા શૈક્ષિક મહાસંઘના…
Read Moreરાજકોટ શહેર નિર્મલા રોડ પર નિર્મલા સ્કૂલ સામે કોમ્પલેક્ષમાં ઓમ પ્લાનેટ માં લાગી આગ
રાજકોટ, રાજકોટ શહેર તા.૧૩.૪.૨૦૨૦ ના રોજ નિર્મલા રોડ પર કોમ્પ્લેક્ષ માં લાગી આગ. નિર્મલા સ્કૂલ સામે આવેલ ઓમ પ્લાનેટ માં લાગી આગ. ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવા હાથ ધરાઇ કાર્યવાહી. શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read Moreરાજકોટ શહેર ફાકી ખાવી હોય તો એ પણ સિવિલ હોસ્પિટલમાંથી એકદમ સરળતાથી મળી રહેશે
રાજકોટ, રાજકોટ શહેર તા.૧૩.૪.૨૦૨૦ ના રોજ કોરોના વાયરસ વ્યાપ વધ્યો છે. અને એમાં પણ લોકડાઉનનો સમય છે. આ સમયમાં ફાકીના રસિયાઓ અનેક જગ્યાએ ફાકી શોધતા હોય છે. ત્યારે જો તમારે ફાકી ખાવી હોય તો પહોંચી જાવ સિવિલ હોસ્પિટલ. સામાન્ય રીતે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને દવા અને સારવાર આપવામાં આવતી હોય છે. પરંતુ જો હવે એમાં પણ ચોંકાવનારી વાત તો એ છે કે હોસ્પિટલમાં ફાકી વેંચવાનો ધંધો બીજું કોઈ નહીં પણ ત્યાંની નર્સ જ ચલાવી રહી છે. ૨૦ રૂપિયાની ફાકી નર્સ દ્વારા સિવિલ હોસ્પિટલમાં…
Read More‘લોક સેવા એ જ પ્રભુ સેવા’ ને સાર્થક બનાવનાર અશ્વિનભાઈ માંકડિયા અને દયારામભાઈ પટેલ ને ડૉ. સીમાબેન પટેલ દ્વારા આભાર…….
મોરબી, સમગ્ર ગુજરાત માં કોરોનાના પગલે લોકડાઉનની આવી કપરી પરિસ્થિતિ છે ત્યારે આપણા ગામના, તાલુકાના, જિલ્લાના અને ભારત દેશમાં સેવાકીય પ્રવૃત્તિ કરનારી અનેક સંસ્થાઓ ખૂબ જ આગળ આવી ‘લોક સેવા એ જ પ્રભુ સેવા’ ના સુત્રને સાર્થક બનાવી રહી છે ત્યારે આવી જ પરિસ્થિતિમાં ઝઝુંમતા મોરબી જિલ્લામાં હરીપાર્ક સોસાયટી ના રહેવાસી બીનાબેન (નામ બદલેલ છે) હાલ પોતાના બે દીકરા અને એક દીકરી સાથે આ કોરોનાની મહામારીમાં પોતાનું જીવન વિતાવી રહ્યા છે અને આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાને કારણે એ બીનાબેન (નામ બદલેલ છે) ને પોતાના ત્રણ સંતાનો સાથે ભૂખમારી નો…
Read Moreગુજરાત રાજયમાં લોકડાઉનમાં આંશિક રાહત મળશે, ૧૫મી થી વિમાન, ટ્રેનો, તથા બસ તેમજ શાળા-કોલેજો રહેશે બંધ, કાલે સત્તાવાર જાહેરાતની સંભાવના
ગુજરાત રાજય, તા.૧૩.૪.૨૦૨૦ ના વડાપ્રધાન સાથે થયેલી ચર્ચા વિચારણા મુજબ ૧૫મી એપ્રિલથી ગુજરાતમાં લોકડાઉનને ઘણું જ હળવું કરી દેવાશે. જેની આવતીકાલે સત્તાવાર જાહેરાતની સંભાવના છે. જોકે તમામ પ્રકારના પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની સુવિધા બંધ રહેશે. જેમાં એરપોર્ટ પરના વિમાનો તથા રેલવેની ટ્રેનો અને ગુજરાત એસ.ટી તથા એ.એમ.ટી.એસ. ની સ્થાનિક બસ સેવાનો સમાવેશ થાય છે. આ બધી જ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન બંધ રહેશે પરંતુ લોકો પોતાના વાહનો લઇને નીકળી શકશે. ગુજરાતની તમામ શાળા કોલેજો પણ બંધ રહેશે. એટલું જ નહીં ગુજરાતની સરહદ અન્ય રાજ્યો માટે બંધ રહેશે. આજ રીતે રાજ્યના તમામ જિલ્લાઓ પણ એકબીજા…
Read More