રાજકોટમાં 15 એપ્રિલથી માર્કેટ યાર્ડની કામગીરી શરૂ કરવામાં આવશે…..

રાજકોટ,

જ્યારે રાજ્ય સરકારે 15 એપ્રિલથી માર્કેટ યાર્ડ શરૂ કરવાની સુચના આપી છે. ત્યારે રાજકોટમાં APMC શરૂ કરવાને લઈ યાર્ડ સત્તાધીશો અને કલેકટર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો, કે 15 એપ્રિલથી બેડી માર્કેટ યાર્ડમાં કામગીરી શરૂ કરવામાં આવશે. જ્યારે રાજકોટના બેડી યાર્ડના ચેરમેન ડી.કે સખીયાએ જણાવ્યું હતું, કે લોકડાઉન નો પણ અમલ થાય અને સોશિયલ ડિસ્ટેન્સિગ જળવાઈ રહે તે માટે ખેડૂતોની યાર્ડમાં ભીડ ના થાય તે માટે વેપારીઓ અને કમિશન એજન્ટો દ્વારા ગામડાઓમાં જઇને જરૂરિયાતવાળા ખેડૂતોના પાકની ખરીદી કરવામાં આવશે. જ્યારે વેપારીઓ અને કમિશન એજન્ટોને તાલુકા લેવલે SDM પાસ ઇસ્યુ કરશે.

રિપોર્ટર : વિનુભાઈ ખેરાળીયા, રાજકોટ

Related posts

Leave a Comment