વીંછિયા બાર એસોસીએશનમાં હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવેલ

હિન્દ ન્યુઝ, જસદણ

      વીંછિયા બાર એસોસિયેશનમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરીની નિમણૂક કરવામાં આવેલ. આમ વીંછિયા બારમાં ઈલેકશનની જગ્યાએ સિલેક્શન કરવામાં આવેલ જેમાં પાંચમા વર્ષે પણ બિનહરીફ તરીકે હોદેદારોની નિમણુંક કરવામાં આવેલ. જેમાં પ્રમુખપદે વરિષ્ઠ ધારાશાસ્ત્રી હિરેનભાઇ એચ.પરમાર, ઉપપ્રમુખપદે વરિષ્ઠ ધારાશાસ્ત્રી વનરાજભાઈ હણ, સેક્રેટરીપદે વરિષ્ઠ ધારાશાસ્ત્રી સંજયભાઇ એન.રામાનુજની નિમણૂક થતા હર્ષ અને ખુશીનો માહોલ જોવામાં આવેલ તેમજ નિમણુક હોદેદારોની યાદી વિવિધ વિભાગોમાં મોકલી આપવામાં આવેલ તેવું એડવોકેટ પ્રકાશ પ્રજાપતીએ તેમની યાદીમાં જણાવેલ છે.

રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Related posts

Leave a Comment