હિન્દ ન્યુઝ, વલસાડ ગુજરાત રાજ્યના બાગાયત ખાતા અંતર્ગત કાર્યરત ‘ગુજરાત હોર્ટીકલ્ચર નોલેજ સોસાયટી’ દ્વારા સંચાલિત ‘સેન્ટર ઓફ એક્સલેન્સ ફોર ફ્લોરીકલ્ચર એન્ડ મેંગો, ચણવઈ (જિ. વલસાડ)’ દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. આ સેન્ટર આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતીને પ્રોત્સાહન આપવા તેમજ ખેડૂતોને રોગમુક્ત અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત પ્લાન્ટિંગ મટીરીયલ્સ પૂરા પાડવાની નોંધપાત્ર કામગીરી કરી રહ્યું છે. અહીં આધુનિક ગ્રીનહાઉસ અને નર્સરી કન્સેપ્ટ હેઠળ ધરુ અને કલમો ઉછેરવામાં આવતી હોવાથી છોડમાં રોગ-જીવાત સામે લડવાની ક્ષમતા વધુ હોય છે. પરિણામે ખેતરમાં વાવેતર બાદ છોડનો વિકાસ ઝડપી…
Read MoreDay: August 20, 2026
વલસાડ જિલ્લાના ખેડુતો માટે વિવિધ બાગાયતી ઘટકો માટે પોર્ટલ ખુલ્લુ મુકાયુ
હિન્દ ન્યુઝ, વલસાડ વલસાડ જિલ્લામાં બાગાયતી ખેતી કરતા ખેડૂતોને નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે ફરી એકવાર વિવિધ સહાયલક્ષી યોજનાઓમાં લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું છે. બાગાયત ખાતાની યોજનાઓનો લાભ લેવા માંગતા ખેડૂતોએ Ikhedut Portal 2.0 (web site:www.ikhedut.gujarat.gov.in). અરજી કરવાની રહેશે, તેમજ અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી પ્રિન્ટ લઈ ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે. જેની નકલ મંજૂરી મળ્યા બાદ ક્લેઇમ સબમીટ કરતી વખતે સહી કરી જરૂરી સાધનિક કાગળો સહિત જિલ્લાની બાગાયત કચેરી ખાતે જમા કરાવવાના થશે. વધુ માહિતી માટે નાયબ બાગાયત…
Read Moreડાંગ જિલ્લામાં પ્રભારી મંત્રી ડો.જયરાભાઇ ગામીતની અધ્યક્ષતામાં ‘સમરસ વિદ્યા સેતુ’ અભિયાન કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લામાં એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને શાળામાંથી ડ્રોપઆઉટ થયેલા બાળકોને ફરીથી શિક્ષણની મુખ્યધારામાં જોડવાના સંકલ્પ સાથે પ્રભારી મંત્રીશ્રી ડો.જયરાભાઇ ગામીતના અધ્યક્ષસ્થાને આજરોજ સરકારી માધ્યમિક શાળા આહવા ખાતે સમરસ વિદ્યા સેતુ યોજના અંતર્ગત “Back to School” (બેક ટુ સ્કૂલ) અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રભારી મંત્રી ડો.જયરામભાઇ ગામીતે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ શરૂ થયેલા શિક્ષણલક્ષી અભિયાનોને આગળ વધારતા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા “સમરસ વિદ્યા સેતુ અભિયાન” અંતર્ગત સમગ્ર રાજ્ય સહિત…
Read Moreગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, દાહોદ ખાતે “ડિઝાઇન થિંકિંગ” પર નિષ્ણાત વ્યાખ્યાન યોજાયું
હિન્દ ન્યુઝ, દાહોદ ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, દાહોદ ખાતે ISTE ચેપ્ટર અંતર્ગત પ્રથમ વર્ષ B.E. ના વિદ્યાર્થીઓ માટે “ડિઝાઇન થિંકિંગ” વિષય પર એક વિશેષ નિષ્ણાત વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઇન્નોડેસ્ક ડિઝાઇનોવેશન સર્વિસિસના સ્થાપક અને GTU સ્ટાર્ટ-અપ કોચ કર્મજિતસિંહ બિહોલાએ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ઇનોવેશન અને નવીન વિચારસરણી અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે એન્જિનિયરિંગ ક્ષેત્રે સફળતા મેળવવા માટે માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન પૂરતું નથી, પરંતુ વ્યવહારુ સમસ્યાઓના અસરકારક ઉકેલ માટે યુઝર એમ્પથી (AEIOU ફ્રેમવર્ક), સ્કૅમ્પર (SCAMPER) પદ્ધતિ તથા પ્રોટોટાઇપિંગ જેવા સાધનોનો ઉપયોગ…
Read Moreસરકારી ઇજનેરી કોલેજ, દાહોદ ખાતે માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, દાહોદ સરકારી ઇજનેરી કોલેજ, દાહોદ ખાતે વિદ્યાર્થીઓમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ કેળવવા માટે માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોનું પાલન, હેલ્મેટનો ફરજિયાત ઉપયોગ, માર્ગ સલામતીના ચિહ્નો તથા અકસ્માત સમયે માનવતાપૂર્ણ મદદ અંગે જાગૃત કરવાનો હતો. આ કાર્યક્રમમાં એસ. કે. ગામીત (RTO), એન. એસ. કડિયા (ARTO), એન. સી. પટેલ (IMV) તેમજ ઇન્ટરસેપ્ટર વાનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત, એમ. કે. દામા, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર, જિલ્લા ટ્રાફિક શાખા, દાહોદ તથા હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ સોમાભાઈ, જિલ્લા ટ્રાફિક શાખા, દાહોદ દ્વારા પણ વિદ્યાર્થીઓને માર્ગ…
Read Moreગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડના ૫૦ વર્ષ પૂર્ણ થતાં સુવર્ણ જયંતી મહોત્સવ યોજાયો
GSFDCના ગૌરવવંતા ૫૦ વર્ષ હિન્દ ન્યુઝ, બરોડા ઉત્કૃષ્ટ કામગીરી કરેલા ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમના નિવૃત અને કાર્યરત અધિકારી-કર્મચારીઓને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરાયા ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડ દ્વારા પોતાની સ્થાપનાના પચાસ વર્ષ થવાના સુવર્ણ જયંતી ઉજવણી કાર્યક્રમનું વિશેષ આયોજન બરોડા પ્રોડક્ટિવિટી કાઉન્સિલ, અલકાપુરી ખાતે GSFDCના મેનેજીંગ ડાયરેક્ટર ડૉ. એ.પી.સિંહના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન નિગમની છેલ્લા પાંચ દાયકાઓની વર્ષ ૧૯૭૬ થી ૨૦૨૬ સુધીની સુવર્ણ સફર, વન સંરક્ષણ, વનવાસીઓનો સર્વાંગી વિકાસ અને તેમની આજીવિકા માટે કરવામાં આવેલા ઉત્કૃષ્ટ કાર્યોની વિગતવાર જાણકારી આપવામા આવી હતી.…
Read Moreજામજોધપુર ખાતે આંગણવાડી કાર્યકરો માટે ‘સાયબર ક્રાઇમ અને ડિજિટલ સુરક્ષા’ અંગે જાગૃતિ તાલીમ યોજાઈ
હિન્દ ન્યુઝ, જામનગર ડિજિટલ યુગમાં સતત વધતા જતા ઓનલાઇન ફ્રોડ અને સાયબર ક્રાઇમ સામે રક્ષણ મેળવવા તેમજ ગ્રામીણ ક્ષેત્રે સુરક્ષાનું કવચ મજબૂત કરવાના આશયથી જામજોધપુર ખાતે તાલુકાની તમામ આંગણવાડી વર્કરો માટે ‘સાયબર ક્રાઇમ અને ડિજિટલ સુરક્ષા’ વિષયક વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ICDS વિભાગ તેમજ સાયબર ક્રાઇમ પોલીસ વિભાગના અધિકારીઓએ ઉપસ્થિત રહી તમામ કાર્યકરોને સાયબર સુરક્ષા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તાલીમ દરમિયાન સાયબર નિષ્ણાતો દ્વારા દૈનિક ડિજિટલ વ્યવહારોમાં રાખવાની થતી સાવચેતીઓ અંગે માહિતી આપતાં જણાવાયું હતું કે, કોઈપણ અજાણી કે શંકાસ્પદ વ્યક્તિ સાથે બેંક…
Read More