મહીસાગર જિલ્લાના ઐતિહાસિક અને પવિત્ર યાત્રાધામ માનગઢ ખાતે ૭૭માં વન મહોત્સવની ભવ્ય ઉજવણી!

હિન્દ ન્યુઝ, મહીસાગર  રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં પર્યાવરણના રક્ષણ અને સંવર્ધનનો સંકલ્પ લેવાયો. મંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનને જનઆંદોલન બનાવવા આહ્વાન કર્યું. કાર્યક્રમની હાઈલાઈટ્સ: ✅ વન વિભાગના શ્રેષ્ઠ કર્મીઓનું સન્માન ✅ સખી મંડળોને આર્થિક સહાયના ચેક વિતરણ

Read More

ડાંગ જિલ્લામાં ‘સંસ્કૃત સપ્તાહ મહોત્સવ’ અંતર્ગત શાળા-કોલેજોમાં ઉત્સાહભેર ‘સંસ્કૃત સંભાષણ દિન’ની ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, ડાંગ  ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના સંયુક્ત ઉપક્રમે ડાંગ જિલ્લામાં તા. ૨૫ ઓગસ્ટથી ૩૧ ઓગસ્ટ દરમિયાન ‘સંસ્કૃત સપ્તાહ મહોત્સવ’ની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે.  જે અંતર્ગત તા. ૨૭ ઓગસ્ટના રોજ ડાંગ જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ તથા મહાવિદ્યાલયોમાં ‘સંસ્કૃત સંભાષણ દિન’ની ઉજવણી કરવામાં આવી હતી.   આ ઉજવણીના ભાગરૂપે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, આહવા ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળા કક્ષાએ સવારની પ્રાર્થના સભામાં સંસ્કૃત શ્લોક ગાન, સુભાષિતો અને સંસ્કૃત નાટ્યાત્મક રજૂઆતો કરવામાં આવી હતી. ઉપરાંત, સંસ્કૃત ભાષા…

Read More

દેશનો પ્રથમ પ્રાકૃતિક જિલ્લો ડાંગ

હિન્દ ન્યુઝ, ડાંગ   સાચો વૈભવ અને શુદ્ધ જીવન ત્યાં જ શક્ય છે, જ્યાં કુદરતની હરિયાળી સોળે કળાએ ખીલેલી હોય. ગુજરાતનો એક એવો જ અણમોલ પ્રદેશ એટલે ડાંગ!  શુદ્ધ હવા અને અખૂટ વનરાજીથી સમૃદ્ધ આ જિલ્લો આજે માત્ર તેના નૈસર્ગિક સૌંદર્ય માટે જ નહીં, પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારના સઘન પ્રયાસો થકી સર્વાંગી વિકાસના એક ઉત્તમ મોડેલ તરીકે પ્રસ્થાપિત થયો છે.  આધુનિકતા અને પ્રાચીન આદિવાસી સંસ્કૃતિનો અદભુત સમન્વય સાધીને ડાંગ આજે નવી ક્ષિતિજો આંબી રહ્યું છે. દેશના પ્રથમ ‘સંપૂર્ણ પ્રાકૃતિક જિલ્લા’ તરીકે ગૌરવ મેળવનાર ડાંગે કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ સર્જી…

Read More

દાહોદ ખાતે રાજ્યમંત્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને સમરસ વિદ્યાસેતુ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, દાહોદ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020) અંતર્ગત વર્ષ ૨૦૩૦ સુધીમાં શાળા શિક્ષણમાં ૧૦૦ ટકા Gross Enrolment Ratio (GER) હાંસલ કરવા તેમજ શાળામાંથી ડ્રોપઆઉટ થયેલા બાળકોને પુનઃ શિક્ષણ પ્રવાહમાં જોડવાના ઉદ્દેશથી રાજ્યમાં ‘સમરસ વિદ્યા સેતુ અભિયાન’ અમલમાં મૂકવામાં આવ્યું છે.  જે અન્વયે દાહોદ જિલ્લામાં પણ ‘સમરસ વિદ્યા સેતુ અભિયાન’ અંતર્ગત ડ્રોપઆઉટ બાળકોને પુનઃશિક્ષણ પ્રવાહમાં જોડવા જિલ્લા વ્યાપી આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત શાળા છોડી ગયેલા તથા શાળામાંથી વિમુખ થયેલા વિદ્યાર્થીઓને ફરીથી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવા માટે વિવિધ મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ અભિયાન હેઠળ ‘Back…

Read More

ડાંગ જિલ્લામાં પ્રવાસન સ્થળો પર આવેલા જળાશયોમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકતુ જાહેરનામુ બહાર પડાયું

હિન્દ ન્યુઝ, ડાંગ     તાજેતરમાં રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં જળાશયો (નદી, તળાવ, નહેર) માં ડૂબી જવાથી મૃત્યુ થવાની દુર્ઘટનાઓ ધ્યાને આવતાં, ડાંગ જિલ્લામાં આવી કોઈ અનિચ્છનીય ઘટનાઓ ન બને તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ડાંગના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એચ.એમ. જણકાટ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ (BNSS) ની કલમ-૧૬૩ હેઠળ મળેલી સત્તાની રૂએ ડાંગ જિલ્લામાં આવેલા તમામ ભયજનક જળાશયો, નદીઓ, તળાવો, અને ધોધમાં નાહવા કે પ્રવેશવા પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે.  આ જાહેરનામા મુજબ, આહવા, વઘઇ અને સુબીર તાલુકાના કુલ ૬૩ જોખમી…

Read More

ડાંગ જિલ્લામાં એન્ટી-ટોબેકો ડ્રાઇવ: સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલમાં COTPA એક્ટ હેઠળ દંડનીય કાર્યવાહી

હિન્દ ન્યુઝ, ડાંગ     ડાંગ જિલ્લામાં તમાકુ અને વ્યસનના દૂષણને ડામવા તેમજ યુવા પેઢીને જાગૃત કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે સાપુતારા ખાતે દંડનીય કાર્યવાહી અને વઘઇ ખાતે ‘રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ જાગૃતિ કાર્યક્રમ’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૨૫-૦૬-૨૦૨૬ના રોજ સાપુતારા ખાતે ચાલી રહેલા મોન્સૂન ફેસ્ટિવલ દરમિયાન સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ (COTPA-2003) ના કડક અમલીકરણ માટે પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ અને એસ.ટી. ડેપો વિભાગ દ્વારા સંયુક્ત રીતે આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ…

Read More

ડાંગ જિલ્લામાં વઘઈ–ડુંગરડા–ભેસકાતરી માર્ગના વિકાસ માટે રૂ. ૩૨ કરોડની જોગવાઈ

હિન્દ ન્યુઝ, ડાંગ     ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં માર્ગોના મજબૂતીકરણ તથા જરૂરી માર્ગ વિકાસ કામોને વેગ આપવા માટે નાણાકીય મંજૂરી આપવામાં આવી છે.  આ અંતર્ગત ડાંગ જિલ્લામાં વઘઈ–ડુંગરડા–ભેસકાતરી રોડના વિકાસ અને મજબૂતીકરણ માટે કુલ રૂ. ૩૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સરકારી મંજૂરી મુજબ ડાંગ જિલ્લામાં વઘઈ–ડુંગરડા–ભેસકાતરી માર્ગના એક ભાગ માટે ODR શ્રેણીમાં ૧૮.૯૩ કિ.મી. લંબાઈના કામ માટે રૂ. ૨૨ કરોડ તથા આ જ માર્ગના અન્ય ભાગ માટે SH શ્રેણીમાં ૫.૦૦ કિ.મી. લંબાઈના કામ માટે રૂ. ૧૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આમ, કુલ…

Read More

નેપાળ-તિબેટ સરહદે અચાનક આવેલા પૂર અને ભૂસ્ખલનમાં ફસાયેલા નાગરિકોની મદદ માટે ઇમરજન્સી હેલ્પલાઇન જાહેર કરાઇ

હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર અને રાજ્ય કંટ્રોલ રૂમ દ્વારા જાહેર જનતા માટે ખાસ સૂચના      ગત ૨૫મી ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ નેપાળ-તિબેટ સરહદે રસુવા જિલ્લાના ભોટેકોશી નદી વિસ્તારમાં અચાનક આવેલા વિનાશક પૂર (ફ્લેશ ફ્લડ) અને ભૂસ્ખલનને કારણે ભારતીય પ્રવાસીઓ ફસાયેલા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.     આ આકસ્મિક ઘટનામાં ગુજરાત રાજ્ય અથવા ડાંગ જિલ્લાના કોઈ પણ પ્રવાસીઓ કે નાગરિકો ફસાયા હોય, તો તે અંગેની જાણકારી, મદદ અને સહાય માટે પરિવારજનોને તાત્કાલિક નીચે દર્શાવેલા કંટ્રોલ રૂમ અને હેલ્પલાઇન નંબરો પર સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.…

Read More

સેન્ટ્રલ યુનિવર્સિટી ગુજરાત કુંઢેલા ખાતે રાજ્યકક્ષાના મંત્રી ડૉ.મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો “૭૭”મો વન મહોત્સવ યોજાયો

હિન્દ ન્યુઝ, વડોદરા     “૭૭”માં વન મહોત્સવની વડોદરા જિલ્લા કક્ષાની ઉજવણી મહિલા અને બાળ કલ્યાણ, સામાજીક ન્યાય અને અધિકારિતા વિભાગના રાજ્ય મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને તથા ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં સેન્ટ્રલ યુનિવર્સિટી ગુજરાત, કુંઢેલા ખાતે યોજાઈ હતી.  આ પ્રસંગે મહિલા અને બાળ કલ્યાણ, સામાજીક ન્યાય અને અધિકારિતા વિભાગના રાજ્યમંત્રી ડૉ. મનીષાબેન વકીલે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, આજની જેન્ઝી અને અલ્ફા જનરેશન ટેકનોલોજીના યુગમાં જીવી રહી છે. ત્યારે તેમને કુદરત અને હરિયાળી સાથે જોડવા અત્યંત જરૂરી છે. તેમણે માત્ર છોડ રોપવાથી ફરજ પૂરી થતી નથી…

Read More

દેવગઢ બારીયાના રામ ગામે ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી તાલીમ યોજાઈ: જીવામૃત નિર્માણનું પ્રત્યક્ષ નિદર્શન કરાયું

હિન્દ ન્યુઝ, દેવગઢ બારીયા   દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના રામ ગામ ખાતે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા અને રાસાયણિક ખાતરો તેમજ જંતુનાશકોના વપરાશથી મુક્ત કરવાના હેતુથી એક વિશેષ માર્ગદર્શન તાલીમ શિબિર અને જીવામૃત નિર્માણનું પ્રત્યક્ષ (ડેમોન્સ્ટ્રેશન) કાર્યક્રમ યોજાયો હતો. આ તાલીમ શિબિરમાં રામ ગામની મહિલા ખેડૂતો તેમજ બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.  તાલીમ દરમિયાન ખેડૂતોને સ્વહસ્તે પ્રાકૃતિક ખેત પદ્ધતિથી ‘જીવામૃત’ બનાવવાની સરળ રીત, તેનો સંગ્રહ અને પાકમાં તેનો યોગ્ય ઉપયોગ કરવાની તકનીકો…

Read More