હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગાંધીનગરમાં આવેલ GMERS જનરલ હોસ્પિટલ ખાતે અગ્નિ સલામતી સપ્તાહ અંતર્ગત વિશેષ જાગૃતિ કાર્યક્રમ અને મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં હોસ્પિટલ સ્ટાફ, નર્સિંગ અને સિક્યુરિટી ટીમને આગના સમયે લેવી પડતી સાવચેતીઓ અને સુરક્ષાના સાધનોના ઉપયોગ અંગે સચોટ તાલીમ આપવામાં આવી હતી. હોસ્પિટલ જેવી જાહેર જગ્યાઓએ દર્દીઓ અને સ્ટાફની સલામતી સુનિશ્ચિત કરવા તેમજ કોઈપણ કટોકટીના સમયે તાત્કાલિક પ્રતિસાદ આપવા માટે આ પ્રકારની તાલીમ અત્યંત અનિવાર્ય છે.
Read MoreMonth: May 2026
મહેસૂલ વિભાગની ત્રિ-દિવસીય ‘ચિંતન શિબિર’નું સમાપન
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગાંધીનગર જિલ્લાના અડાલજ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ની અધ્યક્ષતામાં મહેસૂલ વિભાગની ત્રિ-દિવસીય ‘ચિંતન શિબિર’નું સમાપન થયું. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી ડૉ. જયંતી રવિએ વહીવટી તંત્રમાં પ્રામાણિકતા અને નૈતિકતાના મૂલ્યો સાથે નાગરિક કેન્દ્રિત શાસન વ્યવસ્થાને નવી ઊંચાઈએ લઈ જવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. શિબિર દરમિયાન જમીન સુધારણા, ડિજિટાઇઝેશન અને લોકાભિમુખ શાસન જેવા મહત્વના વિષયો પર ગહન મંથન કરવામાં આવ્યું.
Read Moreમહેસૂલ વિભાગ ચિંતન શિબિર – સમાપન સમારોહ: ‘ટીમ ગુજરાત’નો નવો સંકલ્પ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ત્રિ-મંદિર, અડાલજ ખાતે આયોજિત ત્રણ દિવસીય ‘મહેસૂલ વિભાગ ચિંતન શિબિર’ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થઈ. રાજ્યના સર્વાંગી વિકાસ અને નાગરિક સુવિધાને વેગ આપવા માટે અધિકારીઓને નવો દૃષ્ટિકોણ પૂરો પાડવામાં આવ્યો. 🔹 મુખ્ય હાઈલાઈટ્સ: 📍 કલેક્ટર – જિલ્લાના સાચા વડા: કલેક્ટરશ્રીઓ માત્ર જમીનના વિષયો પૂરતા મર્યાદિત ન રહેતા જિલ્લાના સર્વાંગી વિકાસના નેતા તરીકે ભૂમિકા ભજવે. 💻 ટેકનોલોજી અને પારદર્શિતા: રાજ્ય સ્તરે ‘કોમન એપ’ અને આધુનિક ટેકનોલોજી દ્વારા નાગરિકોને ઝડપી અને પારદર્શક સેવાઓ પૂરી પાડવાનો નિર્ધાર. 🛡️ કાયદો અને વ્યવસ્થા: અસામાજિક તત્ત્વો વિરુદ્ધ ‘પાસા’ અને ‘તડીપાર’…
Read Moreનર્સિંગ ક્ષેત્રે ઐતિહાસિક ભરતી પ્રક્રિયા બદલ નર્સિંગ એસો. ટીમની આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા સાથે શુભેચ્છા મુલાકાત
હિન્દ ન્યુઝ, સુરત ગુજરાત રાજ્યના નર્સિંગ ક્ષેત્રમાં થયેલી અભૂતપૂર્વ પ્રગતિ અને પારદર્શક ભરતી પ્રક્રિયાને બિરદાવવા માટે નર્સિંગ એસોસિએશનની ટીમ દ્વારા રાજ્યના આરોગ્ય મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન એસોસિએશને રાજ્ય સરકાર દ્વારા નર્સિંગ કેડરમાં કરવામાં આવેલા ઐતિહાસિક નિર્ણયો બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આરોગ્યની સાચી કરોડરજ્જુ સમાન નર્સિંગ અધિકારીઓ સાથે સંવાદ સાધતા આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ જણાવ્યું હતું કે, નર્સિંગ સ્ટાફનું વર્તન એ ફરજ સાથે એક મનોવિજ્ઞાન પણ છે. જે વ્યક્તિ દર્દી કે સાથી કર્મચારીઓ સાથે…
Read Moreકાલાવડની શ્રી પ્રભુજી પીપળીયા પ્રા. શાળાનો ખેલ ક્ષેત્રે વધુ એક ગૌરવ: બે વિદ્યાર્થીઓની DLSSમાં પસંદગી
હિન્દ ન્યુઝ, કાલાવડ ગ્રામ્ય વિસ્તારની શાળાઓ પણ હવે રમતગમત ક્ષેત્રે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પોતાની આગવી ઓળખ બનાવી રહી છે, તેનો ઉત્તમ દાખલો કાલાવડ તાલુકાની શ્રી પ્રભુજી પીપળીયા પ્રાથમિક શાળાએ પૂરું પાડ્યો છે. રાજ્ય કક્ષાએ યોજાયેલા ખેલ મહાકુંભ 2025-26 અંતર્ગત બેટરી ટેસ્ટમાં જામનગર જિલ્લાના કુલ 40 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી, જેમાં શ્રી પ્રભુજી પીપળીયા પ્રા.શાળાના બે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ સુમિત પારસિંહ નિનામા અને વિક્રમ રાજુભાઈ મીનામા એ મેરિટ સાથે DLSS (District Level Sports School) માં સ્થાન મેળવ્યું છે. વિશેષ વાત એ છે કે આ શાળા સતત બીજા…
Read Moreયુક્રેન અને રશિયન એમ્બેસીના ડેલિગેટ્સે સુરતમાં ધ્યાન સત્રમાં ભાગ લીધો
હિન્દ ન્યુઝ, સુરત વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) દક્ષિણ ગુજરાત; યુક્રેન અને રશિયન એમ્બેસીના ડેલિગેટ્સે સુરતમાં ધ્યાન સત્રમાં ભાગ લીધો. VGRC અંતર્ગત અરબિંદો ઇન્ટિગ્રલ લાઈફ સેન્ટર દ્વારા સવારે 9થી સાંજે 6 વાગ્યા સુધી અલગ અલગ બેચમાં મુલાકાતીઓ માટે નિ:શુલ્ક ધ્યાન સત્રનું આયોજન કરાયું; અત્યાર સુધી 200 જેટલા મહેમાનોએ આ ધ્યાન સત્રની મુલાકાત લીધી. VGRC દરમિયાન તારીખ પાંચ સુધી સૌ કોઈ માટે અલગ અલગ બેચમાં ધ્યાન કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.
Read Moreकेंद्रीय संचार मंत्री ज्योतिरादित्य सिंधिया ने ‘सेल ब्रॉडकास्ट सिस्टम’ (सीबीएस) का शुभारंभ किया, यह प्रणाली केंद्रीय गृह मंत्री अमित शाह के मार्गदर्शन में स्वदेशी रूप से विकसित की गई है
हिन्द न्यूज़, दिल्ली केंद्रीय संचार मंत्री ज्योतिरादित्य सिंधिया ने आज ‘सेल ब्रॉडकास्ट सिस्टम’ (सीबीएस) का शुभारंभ किया। यह एक स्वदेशी तकनीक है जिसे केंद्रीय गृह मंत्री अमित शाह के मार्गदर्शन में दूरसंचार विभाग (डीओटी) के सेंन्टर फॉर डेवलपमेंट ऑफ टेलीमैटिक्स (सी-डीओटी) द्वारा राष्ट्रीय आपदा प्रबंधन प्राधिकरण (एनडीएमए) और गृह मंत्रालय (एमएचए) के सहयोग से विकसित किया गया है। यह पहल भारत की आपातकालीन संचार प्रणालियों को मजबूत करने और सार्वजनिक सुरक्षा इंफ्रास्ट्रक्चर को बेहतर बनाने की दिशा में एक महत्वपूर्ण कदम है। मंच पर उपस्थित गणमान्य व्यक्तियों में…
Read Moreઓલપાડના જીણોદ ગામ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાત્રિસભા યોજી ગ્રામજનો સાથે કર્યો આત્મીય સંવાદ
હિન્દ ન્યુઝ, ઓલપાડ સુરત જિલ્લાની બે દિવસીય મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રથમ દિવસની રાત્રીએ ‘ગ્રામ કલ્યાણ કાર્યક્રમ’ અંતર્ગત ઓલપાડ તાલુકાની જીણોદ ગામ પંચાયતના પટાંગણમાં આયોજિત રાત્રિસભામાં ગ્રામજનો સાથે આત્મીય સંવાદ કર્યો હતો. જેમાં તેમણે સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ, વ્યસનમુક્ત ગામ અને શિક્ષણ ઉપર ભાર મુક્યો હતો. આ પ્રસંગે રાજ્યપાલએ ગામની સમરસતા અને એકતાના વાતાવરણની પ્રશંસા કરતા જણાવ્યું કે, જો પરિવારમાં સ્નેહ, એકતા અને ભાઈચારો હોય તો તે ધરતી પરનું સ્વર્ગ છે. જીણોદ ગામ અન્ય ગામ કરતા કઈ રીતે આદર્શ ગામ બને તે…
Read Moreજિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યાના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સુન તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, જામનગર આગામી ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને જામનગર જિલ્લામાં સંભવિત પૂર કે અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સામે અગમચેતીના ભાગરૂપે કલેક્ટર કચેરીના સભાખંડમાં પ્રિ-મોન્સુન તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી.જેમાં જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યાએ તમામ વિભાગના અધિકારીઓને પોતાની જવાબદારી સુપેરે નિભાવી ‘ઝીરો કેઝ્યુઆલિટી’ના અભિગમ સાથે કામ કરવા સૂચના આપી હતી. બેઠક દરમિયાન કલેક્ટરએ ખાસ કરીને નદી કાંઠાના અને નીચાણવાળા વિસ્તારો પર વિશેષ ધ્યાન આપવા જણાવ્યું હતું. તેમણે વહેણ પરના ઝાડી-ઝાંખરા દૂર કરવા, ડૂબાણમાં જતાં કોઝ-વે આઈડેન્ટીફાઈ કરી ત્યાં સાઈનેજ બોર્ડ લગાવવા અને અસરગ્રસ્ત ગામોના સરપંચ-તલાટી તેમજ સ્થાનિક તરવૈયાઓના નામ અને મોબાઈલ નંબર…
Read Moreવાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સુરત: દક્ષિણ ગુજરાત
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના મંત્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં ‘ઉચ્ચ મૂલ્ય ધરાવતી ઝીંગા, મત્સ્ય ઉત્પાદન અને નિકાસલક્ષી વૃદ્ધિ માટે દક્ષિણ ગુજરાતમાં ટકાઉ ખારા પાણીના મત્સ્ય ઉછેરને વેગ’ વિષય પર સેમિનાર યોજાયો હિન્દ ન્યુઝ, સુરત ગુજરાત રિજનલ કોન્ફરન્સ(VGRC)ના બીજા દિવસે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં ‘ઉચ્ચ મૂલ્ય ધરાવતી ઝીંગા, મત્સ્ય ઉત્પાદન અને નિકાસલક્ષી વૃદ્ધિ માટે દક્ષિણ ગુજરાતમાં ટકાઉ ખારા પાણીના મત્સ્ય ઉછેરને વેગ’ વિષય પર સેમિનાર યોજાયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારમાં મંત્રીએ જણાવ્યું કે, આપણા રાજ્યમાં પ્રથમ વખત…
Read More