હિન્દ ન્યુઝ, ભાવનગર ઘોઘા તાલુકા/ગ્રામ કક્ષાનો મે – ૨૦૨૬ નો તાલુકા/ગ્રામ ફરીયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૬/૦૫/૨૦૨૬નાં રોજ સવારનાં ૧૧ : ૦૦ કલાકે મામલતદાર કચેરી, ઘોઘા ખાતે શ્રી પ્રાંત અધિકારી, ભાવનગરનાં અધ્યક્ષ પદે યોજાનાર છે. આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા/ગ્રામ કક્ષાના પ્રશ્નો માટેની અરજીઓ બે નકલોમાં તા.૧૮/૦૫/૨૦૨૬ સુધીમાં રજાનાં દિવસો સિવાય ગ્રામ્ય કક્ષાનાં પ્રશ્નો સંબંધિત તલાટી કમ મંત્રીને તથા તાલુકા કક્ષાનાં પ્રશ્નો મામલતદાર કચેરી, ઘોઘા ખાતે સ્વીકારવામાં આવશે. આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટરની સિવાયની બાબતો તેમજ અરજદાર જાતે રૂબરૂ પોતાનાં પ્રશ્નની જ…
Read MoreDay: May 13, 2026
સિહોર આઈ.ટી.આઈ. ખાતે પ્રવેશસત્ર ૨૦૨૬ માટે એડમિશન પ્રક્રિયાનો તા. ૧૪ મે થી પ્રારંભ
હિન્દ ન્યુઝ, ભાવનગર સરકારી આઈ.ટી.આઈ., સિહોરમાં વેલ્ડર, ફીટર, વાયરમેન, ટુ વ્હીલર, કોપા, H.S.I., રેફ્રીજરેશન, પ્લમ્બર વગેરે ટ્રેડમાં પ્રવેશ મેળવવા માટે તા. ૧૪/૦૫/૨૦૨૬ થી તા.૨૩/૦૬/૨૦૨૬ સુધી ઓનલાઈન ફોર્મ ભરાવવાના તથા ચોઈસ ફીલીંગ કરવાની પ્રક્રિયા શરૂ થનાર છે. આઈ.ટી.આઈ. સિહોર ખાતે વિનામૂલ્યે એડમિશન ફોર્મ ભરી આપવામાં આવે છે. વધુ માહિતી માટે આઈ.ટી.આઈ.-સિહોરનો રૂબરૂમાં સંપર્ક કરવા આઈ.ટી.આઈ., સિહોરની યાદીમાં જણાવવામાં આવે છે.
Read Moreસૂત્રાપાડા તાલુકામાં પી.એમ.પોષણ યોજનાના કેન્દ્રો ઉપર સંચાલકોની ભરતી કરાશે
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકામાં રાજ્ય સરકાર સંચાલિત, પ્રાથમિક શાળાઓમાં નિયુક્તિ થયા વિનાના મધ્યાહ્ન ભોજન કેન્દ્રમાં વ્યવસ્થાપક (સંચાલક) ની નિયત કરેલ માસિક માનદ વેતનથી ખંડ સમય અને ગમે ત્યારે વગર નોટિસે છૂટા કરવાની શરતે હંગામી ધોરણે નિયક્તિ કરવાની છે. કેન્દ્ર નં. ૨૦-ટોબરા પે સેન્ટર શાળા, ૨૮- પ્રશ્નાવડા કન્યા પ્રા.શા, ૩૧ ગાયત્રી સીમ શાળા, ૩૩- પીપળવા પ્રા. શાળા, ૪૪- મોરાસા પ્રા. શાળા, ૫૧- લોઢવા પ્રા. શાળા અને ૬૧-વિરોદર પ્રા. શાળા ખાતે ખાલી જગ્યા પર પી.એમ.પોષણ યોજનાના કેન્દ્રો ઉપર સંચાલકોની ઉચ્ચક માનદવેતનથી ખંડ સમય…
Read Moreબોટાદ જિલ્લાના પક્ષકારો માટે સુપ્રિમ કોર્ટમાં પેન્ડિંગ કેસોના નિકાલ માટે ‘સમાધાન સમારોહ’ અંતર્ગત સુવર્ણ તક
હિન્દ ન્યુઝ, બોટાદ ભારતની સર્વોચ્ચ અદાલત દ્વારા ન્યાય પ્રણાલીને વધુ વ્યાપક અને લોકાભિમુખ બનાવવાના હેતુથી ‘સમાધાન સમારોહ-૨૦૨૬’ (વિશેષ લોક અદાલત)નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ વિશેષ ઝુંબેશનો પ્રારંભ તા.૨૧ એપ્રિલ, ૨૦૨૬થી થઈ ચૂક્યો છે, જેનું સમાપન આગામી તા.૨૧, ૨૨ અને ૨૩ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ સુપ્રીમ કોર્ટના પરિસરમાં યોજાનારી વિશેષ લોક અદાલત સાથે થશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પક્ષકારો વચ્ચે પરસ્પર સંમતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં લાંબા સમયથી ચાલતા વિવાદોનું કાયમી નિરાકરણ લાવવાનો છે. આ પ્રક્રિયામાં પક્ષકારો સુપ્રીમ કોર્ટમાં રૂબરૂ હાજર રહીને અથવા ઓનલાઇન પ્લેટફોર્મ (વર્ચ્યુઅલ) માધ્યમથી…
Read Moreબોટાદ જિલ્લામાં કાળઝાળ ગરમી અને હીટવેવની આગાહી: આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકો માટે માર્ગદર્શિકા જાહેર
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદમાં હાલમાં વધી રહેલા તાપમાન અને આગામી દિવસોમાં હીટવેવ (લૂ)ની શક્યતાઓને ધ્યાનમાં રાખીને બોટાદ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા જાહેર જનતા માટે સાવચેતીના પગલાં લેવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને બાળકો, વૃધ્ધો, સગર્ભા મહિલાઓ અને મજૂરોને વિશેષ કાળજી રાખવા જણાવાયું છે. લૂ (સનસ્ટ્રોક) થી બચવા માટે શું કરવું? ૧.પુષ્કળ પાણી પીવો: તરસ ન લાગી હોય તો પણ દિવસ દરમિયાન વારંવાર પાણી, છાશ, લીંબુ પાણી, ઓ.આર.એસ (ORS) અથવા નારિયેળ પાણી જેવા પ્રવાહી લેતા રહેવું જોઈએ. ઉનાળામાં હળવા રંગના, ખુલતા અને સુતરાઉ કપડાં પહેરવા…
Read Moreરાણપુર ઔધોગિક તાલીમ સંસ્થા(આઈ.ટી.આઈ.) ખાતે વિવિધ કોર્ષ માટે પ્રવેશ પ્રકિયા શરુ
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાની ઔધોગિક તાલીમ સંસ્થા(આઈ.ટી.આઈ.) પ્રવેશ સત્ર-૨૦૨૬ અંતર્ગત વિવિધ ટ્રેડ ફિટર, વાયરમેન, વાયરમેન, કોમ્પ્યુટર ઓપરેટરો એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ(કોપા), મેકેનીક ડિઝલ અને વેલ્ડર સહિતના કોર્ષ માટે ઓનલાઈન એડમીશન પ્રક્રિયા શરુ કરવામાં આવી રહી છે. આ ઓનલાઈન એડમીશન પક્રિયા https://itiadmission.gujarat.gov.in પોર્ટલ પર તા.૧૪/૦૫/૨૦૨૬થી શરૂ થશે. પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ ઓનલાઇન ફોર્મ સંસ્થા ખાતે વિના મુલ્યે કચેરી સમય દરમ્યાન ભરી આપવામાં આવશે. આઈ.ટી.આઈ ખાતે પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારોને પ્રવેશ પ્રક્રિયા સબંધિત માહીતી માટે આઈ.ટી.આઈ., પાળીયાદ રોડ, ગિરનારી આશ્રમ નર્સરી, રાણપુર, જિલ્લો બોટાદ ખાતે સંસ્થાનો…
Read Moreપાણી, પર્યાવરણ અને પ્રાણને પોષતી ખેતી એટલે પ્રાકૃતિક ખેતી
હિન્દ ન્યુઝ, આણંદ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને અપનાવીને ખેતીને પ્રકૃતિની પ્રયોગશાળા સાથે જોડવા માટે વડાપ્રધાનશ્રીએ દેશભરના ખેડૂતોને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન કર્યું છે. જે અન્વયે ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં લાખોની સંખ્યામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવીને આત્મનિર્ભરતા તરફ ડગ ભરી રહ્યાં છે. પ્રાકૃતિક ખેતી કોઇપણ રસાયણ પર આધારિત નથી જેથી ખેડૂતોને રસાયણ પર થતા ખર્ચથી બચાવે છે તેમજ ખેત ઉત્પાદનમાં ઘટાડો કર્યા વિના જળ, જમીન અને પર્યાવરણનું સંવર્ધન કરે છે તેથી તેને પર્યાવરણ મિત્ર ખેતી પણ કહેવામાં…
Read Moreભાવનગર જિલ્લાના ખેડૂતો માટે ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદીમાં કાળજી રાખવા અનુરોધ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાના તમામ ખેડૂતોને આગામી ચોમાસુ સીઝન માટે જરૂરી બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે રાખવાની થતી કાળજી અંગે જણાવવાનું કે, બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવો. કોઇ પણ સંજોગોમાં લાયસન્સ/પરવાનો ધરાવતા ન હોય તેવી વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરીયાઓ પાસેથી ક્યારેય પણ ખેતી માટે જરૂરી બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરવી નહી. જેથી, છેતરપીંડીથી બચી શકાય. બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની…
Read Moreવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘આર્થિક આત્મરક્ષા’ના આહ્વાનને ચરિતાર્થ કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ‘રાષ્ટ્ર પ્રથમ’ના સંકલ્પ સાથે રાજ્યપાલએ સાદગી અને આત્મ-શિસ્તનું ઉદાહરણ પૂરું પાડ્યું. રાજ્યપાલ દ્વારા મહત્વનું નિર્ણય લેવામાં આવ્યો કે, તેઓ સાધારણ બસ અને ટ્રેનમાં મુસાફરી કરશે. સાથે રાજ્યપાલ તરીકે પ્રાપ્ત ઝેડ પ્લસ સુરક્ષાના કાફલાને બાજુ પર રાખીને તેમણે કાફલામાં ન્યૂનતમ ગાડીઓ રાખવા સૂચના આપી, જેથી ઇંધણની મહત્તમ બચત થઈ શકે. રાજ્યની યુનિવર્સિટીઓ અને પ્રશાસનને ઇંધણ બચાવવા તેમજ ઇલેક્ટ્રિક વાહનો અને સાયકલનો ઉપયોગ કરવા માટે જનતાને રાજયપાલ દ્વારા ભાવભરી અપીલ કરવામાં આવી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, જો આપણે આપણી વ્યક્તિગત…
Read Moreડિજિટલ માધ્યમથી હાથ ધરાશે જનગણના 2027
હિન્દ ન્યુઝ, ભાવનગર જનગણના 2027 એ આ શ્રેણીની 16મી અને આઝાદી પછીની 8મી જનગણના હશે. ‘જનગણનાથી જન કલ્યાણ’ના મંત્ર સાથે યોજાનાર જનગણનાના પ્રથમ તબક્કામાં ‘ઘરયાદી અને મકાનોની ગણતરી’ (HLO) ગુજરાતમાં તા.1 થી 30 જૂન, 2026 દરમિયાન હાથ ધરાશે, જ્યારે બીજા તબક્કામાં ‘વસ્તીની ગણતરી’ તા.9 થી 28 ફેબ્રુઆરી, 2027 દરમિયાન યોજાશે. નાગરિકો માટે ‘સ્વ-ગણતરી’ (Self-Enumeration)નો વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે, જેમાં ઉત્તરદાતાઓ તા. 17 મે થી 31 મે, 2026 દરમિયાન અધિકૃત પોર્ટલ https://se.census.gov.in પર પોતાની વિગતો જાતે ભરી શકશે. રાજ્યના તમામ જિલ્લા, મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ ગામડાઓમાં વસ્તી ગણતરી…
Read More