જૂનાગઢ આયુર્વેદિક હોસ્પિટલ ખાતે આયુષ મેળા અંતર્ગત આ અનોખી કુકિંગ કોમ્પિટિશનનું આયોજન

હિન્દ ન્યુઝ, જૂનાગઢ       આયુર્વેદ કહે છે, ઋતુઓ મુજબ આહાર લેવો જોઈએ, ત્યારે એ જ વિચારને ધ્યાને રાખી આયુર્વેદનો તબીબી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ વસંતઋતુમાં ક્યા પ્રકારનો આહાર લેવો જોઈએ ? તેને કેન્દ્રમાં રાખી ‘હેલ્ધી ડીશ’ બનાવી હતી. જે સ્વાદમાં શ્રેષ્ઠની સાથો સાથ આરોગ્યની દ્રષ્ટિએ પણ બેસ્ટ હતી.     જૂનાગઢ આયુર્વેદિક હોસ્પિટલ ખાતે આયુષ મેળા અંતર્ગત આ અનોખી કુકિંગ કોમ્પિટિશનનું આયોજન થયું હતું, જેમાં આયુર્વેદનો તબીબી અભ્યાસ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓની ૧૫ ટીમોએ આયુર્વેદ મુજબની વાનગીઓ બનાવી અનોખી રીતે પ્રસ્તુત કરી હતી. આ કુકિંગ સ્પર્ધામાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ મોરીંગા મલ્ટીગ્રેન ખાલીપીટ ચાંગેરી…

Read More

ડાંગની આદિવાસી લોક સંસ્કૃતિને ઉજાગર કરતો ઐતિહાસિક ‘ડાંગ દરબાર’નો મેળો

  હિન્દ ન્યુઝ, ડાંગ જંગલો અને પર્વતોની વચ્ચે કુદરતના ખોળે વસતા આદિવાસી સમાજની જીવનશૈલી અને રીત રિવાજો અનોખા અને અનોખા છે. આદિવાસી પ્રદેશના મેળાઓ પણ અદભુત અને અનોખા હોય છે. ગુજરાતમાં ગણી-ગાંઠી જગ્યાએ આવા મેળાઓ ભરાય છે. જેમાં શિરમોર છે ‘ડાંગ દરબાર’. ડાંગ જિલ્લામાં હોળી પર્વનું મોટું માહાત્મ્ય છે. ‘ડાંગ દરબાર’નો સાંસ્કૃતિક મેળો દર વર્ષે હોળી પહેલા જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે યોજાય છે. સને ૧૮૪૨ સુધી ડાંગ જિલ્લાનો વહીવટ ભીલ રાજાઓ અને નાયકો કરતાં. એજ વર્ષમાં ડાંગના જંગલના પટ્ટાઓ બ્રિટિશરોને આપવામાં આવ્યા. ભીલ રજાઓ અને નાયકોને પટ્ટાના હક્ક બદલ…

Read More

શહેરમાં હોળી-ધૂળેટી દરમિયાન પ્રતિબંધો જાહેર કરતુ પોલીસ કમિશનરનું જાહેરનામું

હિન્દ ન્યુઝ, સુરત     શહેરમાં આગામી તા.૦૩/૦૩/૨૦૨૬ના રોજ હોળી તથા તા.૦૪/૦૩/૨૦૨૬ના રોજ ધૂળેટીના તહેવારની ઉજવણી હેઠળ જાહેર સલામતી અને સુલેહ શાંતિ જળવાય તે હેતુથી શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે એક જાહેરનામું બહાર પડી કેટલાક પ્રતિબંધો મૂક્યા છે.        જે અનુસાર શહેરમાં હોળી-ધુળેટીના તહેવારમાં કોઇ પણ વ્યક્તિ કે ઇસમોએ જાહેર જગ્યાએ આવતા-જતા રાહદારીઓ/મકાન/મિલ્કત/વાહન કે વાહનોમાં જતા-આવતા શખ્સો ઉપર કાદવ, કિચડ, રંગ, સિન્થેટીક રંગ અથવા રંગ મિશ્રિત કરેલા પાણી કે થેલી સહિતની વસ્તુઓ નાંખવા, નંખાવવા અથવા હોળી ધુળેટીના પૈસા(ગોઠ) ઉઘરાવવા તેમજ બીજા કોઇ ઇરાદાથી જાહેર રસ્તા ઉપર જતા આવતા…

Read More

દાહોદ જિલ્લાના વિવિધ ગામોમાં પ્રાકૃતિક ખેતીની યોજાઇ તાલીમ

હિન્દ ન્યુઝ, દાહોદ      દાહોદ જિલ્લાના તમામ ગામોમાં આત્મા પ્રોજેક્ટના દ્વ્રારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાના એક ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવામાં આવી રહી છે. પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી આત્મા પ્રોજેક્ટના સહયોગથી ખેડૂતોને વિવિધ યોજના હેઠળ સહાયરૂપ બની પ્રાકૃતિક ખેતી તરફ લાલવાના સફળ પ્રયાસ કરવામાં આવ્યા જેમાં દાહોદ જિલ્લાના ૧૮ હજારથી વધુ ખેડુતો પ્રાકૃતિક ખેતીમાં જોડાયા સમગ્ર દાદોદ જિલ્લો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે માટે દરેક ગ્રામ પંચાયત દીઠ ક્લસ્ટર આધારિત પ્રાકૃતિક કૃષિની સમયાંતારે વિવિધ તાલીમોનું આયોજન કરી ખેડૂતોને ગાય આધારીત તાલીમ આપવામાં આવી રહી છે. ગામડાઓમાં તાલીમ દરમિયાન…

Read More

સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, સુરત સુરત શહેર રોડ સેફ્ટી કાઉન્સિલની સમીક્ષા બેઠક શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહલૌતના અધ્યક્ષસ્થાને કમિશનર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી.               બેઠકમાં પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, માર્ગ સલામતી માટે જે તે વિભાગને સોંપવામાં આવેલી કામગીરી સમયમર્યાદામાં અને ગુણવત્તાયુક્ત થાય તે અનિવાર્ય છે. શહેરમાં જ્યાં પણ ખોદકામની કામગીરી ચાલતી હોય ત્યાં આજુબાજુ વ્યવસ્થિત બેરિકેટિંગ કરવા તથા રાત્રિના સમયે વાહનચાલકોની સુરક્ષા માટે રિફ્લેક્ટર મૂકવાની કડક સૂચના તેમણે પાલિકાના અધિકારીઓને આપી હતી. માર્ગ સલામતી માટે શહેરના ‘બ્લેક સ્પોટ’ (અકસ્માત સંભવિત વિસ્તારો) નિવારવા બાબતે લેવાયેલાં…

Read More

વડોદરા ઉપરાંત ભરૂચ અને નર્મદાના શિક્ષકોને એઆઇ અને રોબોટિક્સની તાલીમ અપાઇ

હિન્દ ન્યુઝ, વડોદરા       બાળકોને વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિષયોમાં રસરુચિ વધે એ માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કરાયેલી જોગવાઇઓને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા હવે શિક્ષકોને આ પ્રકારની તાલીમ આપી સજ્જ કરી રહી છે. એ અંતર્ગત પીએમ શાળાના શિક્ષકો માટે ઝોન કક્ષાએ એઆઇ અને રોબોટિક્સની તાલીમ આપવામાં આવી હતી.  સંયોજનકર્તા મુકેશ શર્માએ જણાવ્યું કે, પીએમશ્રી શાળાના શિક્ષકોને તાલીમ આપવા માટે એક કાર્યશાળામાં આયોજન કરવામાં આવ્યું હતું. ઝોન કક્ષાએ વડોદરા, વડોદરા કોર્પોરેશન, ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુર જિલ્લાના તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં રાજ્ય કક્ષાએથી ટ્રેનીગ મેળવેલ નિષ્ણાત તજજ્ઞો એવા કિંજલબેન મિસ્ત્રી,…

Read More

ધરમપુર મુકામે જિલ્લાનાં વિજ્ઞાન શિક્ષકો માટેનો STEM આધારિત સંકલિત વિજ્ઞાન શિક્ષણ વર્કશોપ યોજાયો

હિન્દ ન્યુઝ, ધરમપુર      જી.સી.ઈ.આર.ટી ગાંધીનગરની પ્રેરણા થકી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વલસાડ દ્વારા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર સાથે સંયુક્ત ઉપક્રમે તારીખ 23 અને 24 ફેબ્રુઆરી 2026 ના રોજ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર ખાતે બે દિવસનો જિલ્લા કક્ષાનો STEM આધારિત સંકલિત વિજ્ઞાન શિક્ષણ વિષયનો સેવાકાલીન શૈક્ષણિક પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રશિક્ષણ કાર્યક્રમમાં વલસાડ જિલ્લાના 47 જેટલા ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોએ ભાગ લીધો હતો.  કાર્યક્રમમાં જિલ્લા વિજ્ઞાન અધિકારી પ્રજ્ઞેશભાઈ અને જિલ્લા વિજ્ઞાન કેન્દ્રની સાયન્સ કમ્યુનિકેટરની ટીમ દ્વારા તજજ્ઞ તરીકેની કામગીરી કરવામાં આવી હતી. આ કાર્યશાળામાં ધોરણ 6 થી 8…

Read More

રિલાયન્સ બાદ જામનગર કલેક્ટર કચેરી અને ક્રિસ્ટલ મોલ ખાતે પણ રાષ્ટ્રીય કક્ષાની હાઈ-લેવલ ‘મોકડ્રીલ’ યોજાઈ

હિન્દ ન્યુઝ, જામનગર       જામનગર રિલાયન્સ રિફાઈનરીમાં યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની મોકડ્રીલ બાદ જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના બીજા માળે તેમજ શહેરના વ્યસ્ત એવા ક્રિસ્ટલ મોલ ખાતે આ જ પ્રકારની આતંકવાદ વિરોધી ‘મોકડ્રીલ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ કવાયત દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક વહીવટી તંત્રએ સંભવિત કટોકટી સામે પોતાની સજ્જતા અને ત્વરિત પ્રતિસાદનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. આજના ઓપરેશનમાં કલેક્ટર કચેરીના બીજા માળ પર તથા ક્રિસ્ટલ મોલની અંદર ૭ આતંકવાદીઓ દ્વારા હુમલો કરી ૧૨ જેટલા નાગરિકોને બાન પકડવાની સ્થિતિનો ‘ડમી’ સિનારીયો ઊભો કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં…

Read More

વોકલ ફોર લોકલને પ્રોત્સાહન…

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      15 માર્ચ 2026 સુધીમાં રાજ્યની તમામ 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓનું આયોજન; સ્વસહાય જૂથો (SHG), સ્થાનિક કારીગરો, કલાકારો અને નાના વેપારીઓને પોતાની સ્વદેશી ચીજવસ્તુઓને પ્રદર્શિત અને વેચાણ કરવાની ઉત્તમ તક મળશે. ‘ગુજરાત આત્મનિર્ભર યાત્રા’, ‘જી-મૈત્રી યોજના’, ‘મહિલા ઉદ્યોગ સહાય યોજના’ જેવા કાર્યક્રમો દ્વારા રાજ્યમાં સ્વદેશી ઉત્પાદનોને નવી ઊર્જા; અત્યાર સુધીમાં 38 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાનો પ્રારંભ, 1 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી, ₹83 લાખથી વધુનું વેચાણ.

Read More

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે સેમિકનેક્ટ કોન્ફરન્સ 2026ની ત્રીજી આવૃત્તિની યજમાની કરશે

હિન્દ ન્યુઝ,ગાંધીનગર       ગુજરાત સરકાર આગામી તા. 1 માર્ચ, 2026ના રોજ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે સેમિકનેક્ટ કોન્ફરન્સ 2026ની ત્રીજી આવૃત્તિની યજમાની કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે. ‘ગુજરાત: ઈન્ડિયાઝ ગેટવે ટુ સિલિકોન’ થીમ આધારિત આ કોન્ફરન્સની ત્રીજી આવૃત્તિમાં વૈશ્વિક CEOs અને નીતિ નિર્માતાઓ ભાગ લેશે; આ બે દિવસીય કોન્ફરન્સમાં મુખ્ય ભાષણો, થીમેટિક પેનલ્સ અને આંતરરાષ્ટ્રીય રાઉન્ડટેબલ્સનું આયોજન. આ કોન્ફરન્સ વૈશ્વિક સેમિકન્ડક્ટર સીઇઓ, નીતિ નિર્માતાઓ અને ઉદ્યોગ અગ્રણીઓને એકસાથે લાવશે, જેઓ વૈશ્વિક મૂલ્ય શૃંખલામાં…

Read More