રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને જામનગર જિલ્લામાં ભાદરા ગામે યોજાયો ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’

હિન્દ ન્યુઝ, જામનગર રાજ્યપાલશ્રીએ કૃષિ સખી, કિસાન મિત્રો તેમજ ખેડૂતોને સંબોધીને પ્રાકૃતિક કૃષિ અંગે પ્રેરણા આપી રાજ્યપાલશ્રીએ ‘સેવા સેતુ’ કાર્યક્રમ અને પ્રાકૃતિક કૃષિના વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી: -વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવી મહત્વનું યોગદાન આપી શકે છે -રાસાયણિક ખેતીમાં પાણી અને રાસાયણિક ખાતરનો ખર્ચ વધુ છે, જ્યારે પ્રાકૃતિક ખેતીમાં ખૂબ ઓછા ખર્ચે વધુ પાક મળે છે પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદન ઘટતું નથી પણ ઉત્તરોત્તર વધતું જાય છે. -દેશી ગાય એ પ્રાકૃતિક ખેતીનો આધારસ્તંભ છે; ગૌમૂત્ર અને છાણના ઉપયોગથી પ્રાકૃતિક ખેતીમાં ઝેરમુક્ત પેદાશો મેળવી શકાય…

Read More

મોરબી RTO કચેરી દ્વારા વાહનોના પસંદગીના નંબર મેળવવા માટે ઓનલાઇન ઈ-ઓક્શન પ્રક્રિયાનો પ્રારંભ

હિન્દ ન્યુઝ, મોરબી               મોરબી જિલ્લાના વાહન ચાલકો પોતાના વાહન માટે મનપસંદ ‘ફેન્સી’ નંબર મેળવી શકે તે હેતુથી પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (RTO), મોરબી દ્વારા વિવિધ શ્રેણીના વાહનો માટે ઓનલાઇન ઈ-ઓક્શન પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે. જે અનુસાર, ફોર-વ્હીલર વાહનો માટે નવી સિરીઝ GJ36BA, BC, AQ, AN, AM, AS અને ટુ-વ્હીલર માટે GJ36AR, AL, AP, AJ, BB તથા ટ્રાન્સપોર્ટ વાહનો માટે GJ36X, GJ36V શ્રેણીના બાકી રહેતા પસંદગીના નંબર માટે આ હરાજી યોજાશે. પસંદગીના નંબર મેળવવા ઈચ્છતા વાહન માલિકોએ ભારત સરકારના પરિવહન વિભાગની અધિકૃત વેબસાઇટ…

Read More

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા યોજાનાર પરીક્ષા સંદર્ભે ડાંગના અઘિક જિલ્લા મેજિસ્ટ્રેટનુ જાહેરનામુ

હિન્દ ન્યુઝ, ડાંગ      ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી/માર્ચ-૨૦૨૬ માં લેવાનાર ધોરણ-૧૦ (એસ.એસ.સી.), ધોરણ-૧૨ (એચ.એસ.સી.) સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના નિયમિત/રીપીટર/પૃથ્થક/ખાનગી ઉમેદવારોની પરીક્ષાઓ તા.૨૬/૦૨/૨૦૨૬ થી તા.૧૮/૦૩/૨૦૨૬ દરમિયાન યોજાનાર છે. વિદ્યાર્થીઓ આ પરીક્ષા નિર્ભયપણે અને મુક્ત વાતાવરણમાં આપી શકે તે માટે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુસર ડાંગના અઘિક જિલ્લા મેજીસ્ટ્રેટ એસ.ડી.તબિયાર દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ (BNSS) ની કલમ-૧૬૩ અન્વયે પરીક્ષા કેન્દ્રો પર નિયત પરીક્ષા કાર્યક્રમ દરમિયાન પરીક્ષા કેન્દ્રથી ૧૦૦ મીટર ત્રિજ્યામાં નીચે મુજબના કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે. એસ.એસ.સી.(માઘ્યમિક) પરીક્ષા તા.…

Read More

બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન આહવા ખાતે યોજાયેલ ફાસ્ટ ફૂડ તાલીમ અંગે પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, બરોડા     ગ્રામીણ વિકાસ મંત્રાલય ભારત સરકાર પુરસ્કૃત અને બેન્ક ઓફ બરોડા સંચાલિત બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન આહવા તથા ડાંગ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંયુક્ત ઉપક્રમે ૧૨ દિવસીય ફાસ્ટ ફુડ તાલીમ બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન આહવા ખાતે યોજવામા આવી હતી. જેમાં ડાંગ જિલ્લાના અલગ અલગ ગામોના કુલ ૨૪ સ્વ સહાય જૂથોના બહેનોએ ભાગ લીધો હતો.      આ તાલીમ દરમિયાન ફાસ્ટ ફૂડને લઈ, પાણી-પૂરી, દહી-પૂરી, ભેળ-પૂરી, કચોરી, મન્ચુરિયન, મિક્સ ભજીયા, બર્ગર, સેન્ડવિસ, બ્રેડ-પકોડા, વડાપાવ, પાવભાજી, પુલાવ, નૂડલ્સ, મોમોસ, પીઝા, ચટણી અને ચા-નાસ્તા માટે સ્થાનિક નાસ્તો, ચાયનીસ…

Read More

ઉમરપાડા તાલુકાના બીલવણ ગામે ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ

હિન્દ ન્યુઝ, ઉમરપાડા     ગુજરાત પ્રાકૃતિક બોર્ડ અંતર્ગત ઉમરપાડા તાલુકાના બીલવણ ગામે ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ હતી. જેમાં ખેડૂતોને પ્રકૃતિનું જતન કરતી અને ન્યુનતમ ખર્ચે મહત્તમ નફો આપતી પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ વિષે અવગત કરી રાસાયણિક ખેતી છોડવા અને પ્રાકૃતિક ખેતી અપનાવવા આહ્વાન કર્યું હતું.          સાથે જ બીલવણ ગામે કૃષિ સખી ઉર્મિલાબેન ચૌધરી દ્વારા ખેડૂતોને દેશી ગાયના છાણ, ગૌમૂત્ર, ગોળ, દાળનો લોટ, અને ખેતરની માટીમાંથી બનતું અત્યંત પોષક અને પ્રાકૃતિક પ્રવાહી ખાતર ‘જીવામૃત’ બનાવવાની તાલીમ આપવામાં આવી હતી. જમીનમાં સૂક્ષ્મજીવોની પ્રવૃત્તિ વધારીને ફળદ્રુપતા વધારતાં…

Read More

ઓલપાડ તાલુકાનાં અણીતા ગામે જિલ્લા પંચાયતની શિક્ષણ શાખા દ્વારા બહુવિધ સન્માન સમારોહ યોજાયો

હિન્દ ન્યુઝ, ઓલપાડ     ઓલપાડ તાલુકાનાં અણીતા ગામની જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ ખાતે જિલ્લા પંચાયતની શિક્ષણ શાખા દ્વારા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓ પ્રોત્સાહક ઈનામ વિતરણ, શ્રેષ્ઠ શાળા સન્માન, રાજ્ય કક્ષાએ રમતગમતમાં ભાગ લેનાર બાળકોને સહાય અને નિવૃત્ત શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું.            બહુવિધ સન્માન સમારોહમાં વર્ષ ૨૦૨૫-૨૬ માં અભ્યાસ ક્ષેત્રે શ્રેષ્ઠતમ દેખાવ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્રોફી, સન્માનપત્ર સહિત શૈક્ષણિક કીટ પ્રોત્સાહન ઈનામરૂપે વિતરણ કરવામાં આવી હતી. સાથે જ રાજ્ય કક્ષાએ રમતગમત ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓ અને રાજ્ય કક્ષાની ક્રિકેટ…

Read More

આહવાના આંગણે યોજનારા ‘ડાંગ દરબાર’ના આયોજનને લઈને તડામાર તૈયારીઓ શરૂ

હિન્દ ન્યુઝ, ડાંગ    ઐતિહાસિક અને ભાતિગળ લોક સંસ્કૃતિને ઉજાગર કરતાં ‘ડાંગ દરબાર’ની સવારી આહવાના આંગણે આવી પહોંચી છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.  ડાંગ કલેક્ટર સુ શાલિની દુહાનના અધ્યક્ષ સ્થાને ‘ડાંગ દરબાર’ આયોજન અને વ્યવસ્થા સંદર્ભે રચાયેલી વિવિધ સમિતિઓની કામગીરીની સમીક્ષા બેઠકને સંબોધતા કલેક્ટરએ, આ ઐતિહાસિક અને ભાતિગળ લોકમેળાની ગરિમા અનુસાર સૌ અમલીકરણ અધિકારીઓને તેમના હસ્તકની કામગીરી પૂર્ણ કરવા અંગે ઉપયોગી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. કલેક્ટરએ તા.૨૬ ફેબ્રુઆરી થી ૩ માર્ચ સુધી આયોજિત ‘ડાંગ દરબાર’ના કાર્યક્રમને વધુ લોકભોગ્ય બનાવવાના પ્રયાસોની હિમાયત…

Read More

તા. ૨૧ ફેબ્રુઆરી- માતૃભાષાના સન્માનનો દિવસ

હિન્દ ન્યુઝ, વલસાડ  ધરમપુરના અંતરિયાળ ગામોમાં ગુજરાતી ભાષાને જીવંત રાખવા શિક્ષકોના સંનિષ્ઠ પ્રયાસ   બાલવાટીકાથી ધો. ૨ સુધી બાળકોને સ્થાનિક બોલીમાં ભણાવ્યા બાદ ધીમે ધીમે માતૃભાષા ગુજરાતી તરફ વાળવાનો સરાહનીય પ્રયાસ  “જેણે પોતાની ભાષા ભૂલી, તેણે પોતાની ઓળખ ભૂલી.” ભાષા માત્ર સંવાદનું સાધન નથી, પરંતુ સંસ્કૃતિ, પરંપરા અને ઓળખનો આધારસ્તંભ છે  સ્થાનિક બોલીમાં વાત કરીએ તો બાળકો ખુશી ખુશીથી ભણતા હોય છે, સાથે ગુજરાતી ભાષાના સિંચનથી બાળકોની ઉજ્જવળ કારકિર્દીનું પણ ઘડતર થાય છેઃ શિક્ષિકા દર્શના પટેલ

Read More

જે એન્ડ આર બી એડ કોલેજ દાહોદ ખાતે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને બોર્ડની પરીક્ષા કેન્દ્ર સંચાલકો સાથે યોજાઈ સમિક્ષા બેઠક

હિન્દ ન્યુઝ, દાહોદ         જે એન્ડ આર બી એડ કોલેજ દાહોદ ખાતે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી માર્ચ ૨૦૨૬ માં યોજાનાર ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની જાહેર પરીક્ષાઓમાં જરૂરી તકેદારી રાખવા બાબતે પરીક્ષા કેન્દ્ર સંચાલકો સાથે બેઠક યોજાઈ હતી. જેમાં પરીક્ષા સંચાલન અંગેની માર્ગદર્શિકા (S.O.P.) મુજબ પરીક્ષા બિલ્ડીંગ ખાતે કેન્દ્ર સંચાલકની કામગીરી કરવા સહિતની સમિક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં કલેક્ટરએ જણાવ્યું કે, પરીક્ષા કેન્દ્રો પર કોઈ અનિચ્છનીય ઘટના ના બને , પરીક્ષા કેન્દ્રો પર કોઈ પ્રશ્નો ના…

Read More

નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજ, દાહોદ ખાતે “વિશ્વ માતૃભાષા દિવસ” અંતર્ગત વ્યાખ્યાન કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, દાહોદ      દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજ, દાહોદ ખાતે કાર્યરત ગુજરાતી વિભાગ અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ અંતર્ગત “વિશ્વ માતૃભાષા મહોત્સવ ૨૦૨૬” નિમિત્તે બે તજજ્ઞના વ્યાખ્યાનો યોજાયા હતાં. કાર્યક્રમના આરંભે આચાર્ય ડૉ.બી.આર.બોદર સાહેબે સૌને શાબ્દિક આવકાર આપી કાર્યક્રમ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ.એન.કે.મકવાણાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં ગુજરાતી ભાષાની સરળતા અને વિશેષતાઓ રજૂ કરી હતી. અતિથિવિશેષ પ્રો.બી.કે.પટેલ સાહેબે માતૃભાષા ગુજરાતીની લાક્ષણિકતાઓ પ્રસ્તુત કરી હતી.  વિષય તજજ્ઞ ડૉ. પીયૂષ પરમાર, આર્ટસ કૉલેજ, ફતેપુરાએ માતૃભાષા વિશે પોતાના…

Read More