હિન્દ ન્યુઝ, બનાસકાંઠા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મંત્રી બલવંતસિંહ રાજપૂતના વરદહસ્તે નવીન વાવ – થરાદ કલેકટર કચેરીનો શુભારંભ કરાયો વાવ થરાદ જિલ્લામાં ૮ તાલુકા, ૨ નગરપાલિકા અને ૪૧૬ ગામડાઓનો સમાવેશ ઢોલ નગારા અને બાઇક રેલી સાથે સરહદી વિસ્તારમાં નવ નિર્મિત જિલ્લાની ઉજવણી કરતા નાગરિકો
Read MoreMonth: October 2025
જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની શીલ ગામ ખાતે નેત્રાવતી નદીની મુલાકાત
હિન્દ ન્યુઝ, જામનગર જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ પોરબંદર જિલ્લાના મુળ માધવપુર તેમજ જુનાગઢ જિલ્લાના શીલ ગામ ખાતે આવેલ શીલ બંધારા તથા નેત્રાવતી નદી વિસ્તારની મુલાકાત લીધી હતી. મંત્રીએ પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે આવેલ મધુવંતી નદીની મુલાકાત લીધી અને નદીમાં પાણીના પ્રવાહનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે નેત્રાવતી–મધુવંતી નદીને જોડતી કેનાલનું આત્રોલીથી મધુવંતી નદી સુધીનું બાકી રહેલું કામ વહેલી તકે પૂર્ણ કરવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. ત્યારબાદ મંત્રીએ જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શીલ ગામ…
Read More૨૦ મા ગ્રામીણ ઓલમ્પિકનું રમત ગમત સંકૂલ દેવગઢ બારિયા ખાતે ભવ્ય આયોજન કરાયું
હિન્દ ન્યુઝ, દાહોદ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંઘીનગર હસ્તકનાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત અને જિલ્લા વહિવટી તંત્ર દાહોદ દ્ધારા ૨૦ મો ગ્રામીણ ઓલમ્પિક્નું ભવ્ય આયોજન રમત ગમત સંકૂલ દેવગઢ બારિયા ખાતે રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડનાં અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ એ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા આપણી પરંપરાગત રમતોને પ્રોત્સાહન મળે તથા ગ્રામીણ પ્રજામાં રહેલી સુષુપ્ત શકિતઓને જાગૃત કરી તેને યોગ્ય દિશામાં વાળી શકાય તે ઓલિમ્પિક મહોત્સવની શરૂઆત કરી…
Read Moreપોષણ માસ નિમિત્તે શહેરના ટાઉનહોલ ખાતે પોષણ વાનગી સ્પર્ધાનું આયોજન કરાયું
હિન્દ ન્યુઝ, જામનગર મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા “પોષણ માસ ૨૦૨૫: સ્વસ્થ નારી સશક્ત ભારત અભિયાન” અંતર્ગત જામનગર ખાતે પોષણ વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.ICDS શાખા, જામનગરના સહયોગથી ટાઉન હોલ ખાતે આયોજિત પોષણ વાનગી સ્પર્ધામાં જિલ્લાની વિવિધ આંગણવાડી વર્કર બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધામાં મિલેટ્સમાંથી બનેલી વિવિધ અને પૌષ્ટિક વાનગીઓ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે જિલ્લા આયુર્વેદ અધિકારી જામનગર, ડૉ. હિરેન ઠક્કરના પ્રતિનિધિત્વમાં કામગીરી કરવામાં આવી હતી. આયુર્વેદના દ્રષ્ટિકોણથી પોષણનું મહત્વ સમજાવવા માટે સરકારી આયુર્વેદ દવાખાનું, વિભાપરના મેડિકલ…
Read Moreલીમખેડા ખાતે ગાયત્રી મહા યજ્ઞ સંપ્પન
હિન્દ ન્યુઝ, લીમખેડા નવરાત્રી સાધના અનુષ્ઠાન ની પૂર્ણાહુતિ માઁ ભગવતી પ્રજ્ઞાહોલ લીમખેડા ખાતે ગાયત્રી પરિવાર દ્વારા મહાયજ્ઞ સંપ્પન કરવામાં આવેલ. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં નવરાત્રી સાધના અનુષ્ઠાન ની પૂર્ણાહુતિ ગાયત્રી પરિવાર લીમખેડા દ્વારા આજ રોજ લીમખેડા માઁ ભગવતી પ્રજ્ઞા હોલ ખાતે ગાયત્રી મહાયજ્ઞ કરવામાં આવ્યો. જેમાં ગાયત્રી મહામંત્ર મહામૃત્યુંજય મંત્ર અને મા દુર્ગા ના મંત્રો દ્વારા પૂર્ણાહુતી કરવામાં આવી હતી. જેમાં મોટીસંખ્યામાં ભાઈઓ બહેનો એ ભાગ લઈ ધન્યતા અનુભવી. રિપોર્ટર : ગોવિંદભાઈ પટેલ, દાહોદ
Read Moreવડોદરામાં વૃદ્ધોના અધિકારો માટે જાગૃતિ ફેલાવતાં MSUના વિદ્યાર્થીઓએ આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ ઉજવ્યો
હિન્દ ન્યુઝ, વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટીસાયન્સિસ “ડિપાર્ટમેન્ટ ઓફ એક્સ્ટેંશન એન્ડ કોમ્યુનિકેશનના વિદ્યાર્થીઓએ વૃદ્ધ નાગરિકોના અધિકારો અને સુખાકારી અંગે જાગૃતિ ફેલાવવા માટે ખાસ અભિયાન ચલાવ્યું. વિદ્યાર્થીઓએ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં જેવી કે બજાર વિસ્તાર, ઉદ્યાન, સમુદાય કેન્દ્રો, રહેણાંક સોસાયટીઓ અને વૃદ્ધ નાગરિક ક્લબમાં અંદાજે 300 માહિતીવાળા બ્રોશરો વિતરણ કર્યા.
Read Moreઓલપાડના ભડોલ અને માંદરોઈ ગામે પ્રાકૃતિક કૃષિ તાલીમ શિબિર યોજાઇ
હિન્દ ન્યુઝ, ઓલપાડ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ભડોલ અને માંદરોઈ ગામે પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ યોજાઇ હતી. જેમાં ઓલપાડ તાલુકા BTM દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવી રાસાયણિક ખેતી છોડી ગાય આધારિત ખેતી તરફ વળવા પ્રોત્સાહન અપાયું હતું. પ્રાકૃતિક ખેતીથી પાક અને જમીનને થતાં ફાયદા તેમજ ખેડૂતોને મળતા આર્થિક લાભ અંગે સવિસ્તાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ પ્રાકૃતિક ખેતી માટે રાજ્યસરકાર દ્વારા મળતી યોજનાકીય સહાયની માહિતી આપવામાં આવી હતી.
Read Moreराष्ट्राय स्वाहा, इदं राष्ट्राय इदं न मम:
हिन्द न्यूज़, दिल्ली ‘राष्ट्रीय स्वयंसेवक संघ’ की स्थापना के गौरवशाली 100 वर्ष पूर्ण होने के उपलक्ष्य में आयोजित शताब्दी समारोह में प्रधानमंत्री नरेन्द्र मोदी ने स्वयंसेवकों के अद्वितीय योगदान को समर्पित डाक टिकट और स्मारक सिक्का जारी किया। वर्ष-1925 में विजयादशमी के पावन अवसर पर परम पूज्य डॉ. केशव बलिराम हेडगेवार जी ने ‘राष्ट्रीय स्वयंसेवक संघ’ की स्थापना कर हमारे स्वाभिमान, आत्म-सम्मान और गौरव को पुनर्जागृत करने का प्रणम्य कार्य किया था। Rashtriya Swayamsevak Sangh (RSS) की 100 वर्ष की यह एक यात्रा नहीं, बल्कि राष्ट्र की…
Read Moreસુરેન્દ્રનગરના વઢવાણમાં આવેલ શ્રી ફૂલગ્રામ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના સભાસદોએ આભાર વ્યક્ત કરવા પોસ્ટકાર્ડ ઝુંબેશ
હિન્દ ન્યુઝ, સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરના વઢવાણમાં આવેલ શ્રી ફૂલગ્રામ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના સભાસદોએ વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરવા પોસ્ટકાર્ડ ઝુંબેશનું આયોજન કર્યું. GST સુધારા, સહકારી ક્ષેત્રના વિકાસ બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી સહકારી સંસ્થાના વિકાસ અને પશુપાલકોના હિતમાં લેવાયેલાં પગલાં બદલ આભાર વ્યક્ત કરવા 01 લાખથી વધુ પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા. વડાપ્રધાનના ‘સ્વદેશી અપનાવીએ’ અને ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને આગળ વધારવાનો સંયુક્ત પ્રયાસ વ્યક્ત કરાયો.
Read Moreસુરતથી GSRTCની ૪૦ નવીન બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા વાહનવ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવી
હિન્દ ન્યુઝ , સુરત ગૃહ, વાહનવ્યવહાર રાજ્યમંત્રીશ હર્ષ સંઘવીએ વન,પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સુરત શહેરના પીપલોદ સ્થિત કારગીલ સર્કલથી રૂ.૧૫ કરોડના ખર્ચે ગુજરાત રાજ્ય પરિવહન નિગમ(GSRTC)ની ૪૦ નવીન બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં વડોદરા, ભરૂચ, વલસાડ અને સુરત એમ ચાર ડિવિઝનની ૨૦ સુપર એક્સપ્રેસ, ૫ એ.સી, ૧૫ મિની મળી કુલ ૪૦ નવીન બસોનો સમાવેશ થાય છે.
Read More