જામનગર જિલ્લાના ખેડૂતો ખરીફ-રવિ પાકોના વેચાણ માટે નોંધણી કરાવી શકશે

હિન્દ ન્યુઝ, જામનગર કેન્દ્ર સરકારના માર્ગદર્શન તળે ખરીફ-રવિ પાકોના વેચાણ માટે તુવેર માટે રૂ.7,000/-, ચણા માટે રૂ.5440/- અને રાયડા માટે રૂ.5650/- પ્રતિ કવીન્ટલ ટેકનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. ઉક્ત ખરીદી મુજબ, જામનગર જિલ્લાના ખેડૂતો અત્રે જણાવેલ પાકોનું ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા હોય, તો તેઓએ આગામી તા.29 ફેબ્રુઆરી સુધીમાં ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો પરથી V.C.E. મારફતે નોંધણી કરાવવાની રહેશે. જે બાબતની ખાસ નોંધ લેવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.      

Read More

મોટી ભલસાણ-સુમરી રોડ પર રૂ.3.63 કરોડના ખર્ચે નિર્માણ પામેલ મેજર બ્રિજનું લોકાર્પણ કરતાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, જામનગર     રાજ્યના કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ તથા ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર તાલુકાના મોટી ભલસાણ-સુમરી રોડ પર રૂ. 3.63 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલ ૧૦ ગાળાના ૧૨ મીટર લાંબા મેજર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે ભલસાણ, સુમરી સહિત આજુ બાજુના વિસ્તારના ગ્રામજનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી રાઘવજીભાઈ પટેલનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું અને તેઓની વર્ષો જૂની માંગણી તથા સમસ્યાનું નિરાકરણ લાવવા બદલ મંત્રીને અભિનંદન પાઠવ્યા હતા. ઉલ્લેખનીય છે કે જામનગર તાલુકાના મોટી ભલસાણ-સુમરી રોડ પર ૧૨ મીટરના ૧૦ ગાળા ધરાવતા…

Read More

મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાનો લાભ લેવા આગામી તા.૧૫ ફેબ્રુઆરી સુધીમાં આઈ-ખેડુત પોર્ટલ પર અરજી કરી સકાશે

હિન્દ ન્યુઝ, જામનગર      “આથી જામનગર જિલ્લાની પબ્લિક ટ્રસ્ટ એકટ હેઠળ નોંધાયેલ ગૌશાળા તથા પાંજરાપોળના સંચાલકોને જાણ કરવામાં આવે છે કે, આઈ-ખેડૂત પોર્ટલ પર મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે નિભાવ સહાયનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવી ફરજીયાત હોવાથી જાન્યુઆરી-૨૦૨૪ થી માર્ચ-૨૦૨૪ ના તબક્કાની સહાય માટે તા.૧૫/૦૨/૨૦૨૪ સુધી ઓનલાઈન અરજી માટે પોર્ટલ કાર્યરત રહેશે. યોજનાની શરતો અને બોલીઓ અનુસાર ઓનલાઈન અરજી દાખલ કરીને તેની પ્રિન્ટ મેળવીને જરૂરી સાધનિક સાહિત્ય સાથે અરજી નાયબ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયત જામનગરની કચેરી ખાતે અરજીની હાર્ડકોપી રજુ કરવાની…

Read More

રસ્તાના નિર્માણ થકી આકસ્મિક સંજોગોમાં જામનગર શહેર સુધી પહોંચવું ગ્રામજનો માટે સરળ બનશે- વસીમભાઈ ખીરા, સરપંચ કનસુમરા

હિન્દ ન્યુઝ, જામનગર કનસુમરા ગામના સરપંચ વસીમભાઈ ખીરાએ જણાવ્યું હતું કે આ રસ્તાનું મજબુતીકરણ થવાથી કનસુમરા તથા મસીતીયા ગામના લોકો તથા કનસુમરા વિસ્તારમાં ઔધોગિક વસાહતનો વિકાસ ખુબ જ સારા પ્રમાણમાં થશે તેમજ ચોમાસા તથા આકસ્મિક સંજોગોમાં તાત્કાલીક જામનગર શહેર સાથે ખુબ જ સરળતાથી વાહન વ્યહવાર શક્ય બનશે. આ રસ્તો જ્યારે ન હતો ત્યારે ગ્રામજનોએ અનેકવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો જેમાંથી હવે સૌને મુક્તિ મળી છે. અમારી માંગણી સ્વીકારી આ કામ પરિપૂર્ણ કરવા બદલ સૌ ગ્રામજનો વતી અમે રાજ્ય સરકરનો આભાર વ્યક્ત કરીએ છીએ.

Read More

જામનગર-રાજકોટ બાયપાસથી કનસુમરા ગામને જોડતાં સી.સી.રોડનું લોકાર્પણ કરતાં કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, જામનગર       રાજ્યના કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ તથા ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળ દ્વારા રૂ.4 કરોડના ખર્ચે નિર્માણ પામેલા 1.4 કી. મી.ની લંબાઈના સી.સી.રોડનું કનસુમરા ખાતે લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે ગરીબોની ગરીબી દૂર થાય, મહિલાઓ સશક્ત બને, યુવાનો આત્મનિર્ભર બને અને ખેડૂતો સુખી થાય તે દિશામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ સૌનો સાથ સૌનો વિકાસ મંત્ર સાથે કેન્દ્ર તથા રાજ્ય સરકાર કામ કરી રહી છે.ગ્રામીણ વિસ્તારોના પાણી, વિજળી, રસ્તા સહિતના…

Read More

લાવડીયા-મકવાણા- ઢંઢા રોડ પર રૂ. 3.25 કરોડના ખર્ચે નિર્માણ પામેલ મેજર બ્રિજનું લોકાર્પણ કરતાં કૃષિ મંત્રી રાધવજીભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, જામનગર રાજ્યના કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ તથા ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર તાલુકાના લાવડીયા-મકવાણા-ઢંઢા રોડ પર રૂ. 3.25 કરોડથી વધુને ખર્ચે નિર્માણ પામેલ મેજર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશ વિકાસની રાહ પર આગળ વધી રહ્યો છે. હજુ થોડા સમય પહેલાં આ બ્રીજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને આજે આ બ્રીજનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે.જે સરકારની ગ્રામજનોની સુવિધામાં ઊમેરો કરવા અંગેની કટિબદ્ધતા દર્શાવે છે.ગ્રામજનોના મોટાભાગના પ્રશ્નોનું સરકાર નિરાકરણ…

Read More

જામનગરમાં જિલ્લા કક્ષાની સંચારી રોગ સર્વેક્ષણ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, જામનગર      જામનગર જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા કક્ષાની સંચારી રોગ સર્વેક્ષણ અને સંકલન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને આયોજિત આ બેઠકમાં આઈસ ફેક્ટરી અને ફૂડ ઝોનનું સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવું, ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા કામગીરી અને મેલેરિયા રોગ વિરુદ્ધ જાગૃતિ કાર્યક્રમ અને અન્ય જરૂરી મુદ્દાઓની ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીએ સમિતિના સદસ્યો સાથે વિસ્તૃતપણે ચર્ચા-વિચારણા કર્યા બાદ જણાવ્યું હતું કે, આઈસ ફેક્ટરી, રેસ્ટોરન્ટ, હોટેલ્સ, ફૂડ ઝોન અને લારી-ગલ્લા પર નિયમિતપણે ચેકીંગ હાથ ધરવામાં…

Read More

જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે હવે કેસ કઢાવવા માટે દર્દીઓએ લાંબી લાઇનમાં ઉભા નહી રહેવું પડે

હિન્દ ન્યુઝ, જામનગર        જામનગરની જીજી હોસ્પિટલ ખાતે ખાતે હાલ કેસ કઢાવવા માટે સરકાર તરફથી શરુ કરેલ Nextgen.ehospital પોર્ટલનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં Scan & Share સુવિધા ચાલુ કરવામાં આવેલ છે. જેના દ્વારા દર્દીઓને ઓ.પી.ડી કેસ કઢાવવા માટે લાંબી લાઈનમાં ઉભું રહેવાની જરૂર પડશે નહીં. દર્દીએ પ્રથમ પોતાનું આભા કાર્ડ બનાવવાનું રહેશે જેના સ્ટેપ આ મુજબ છે, તમારા સ્માર્ટ મોબાઈલમાં આભા(ABHA) એપ ડાઉનલોડ કરવી, આધાર કાર્ડના નંબર તેમાં ઉમેરો, આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લીંક હશે તેમાં ઓ.ટી.પી આવશે, ઓ.ટી.પી નાખ્યા બાદ આપનો મોબાઈલ નંબર ઉમેરો,…

Read More

પીડિત મહિલાનું લગ્નજીવન બચાવતું પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર આણંદ

હિન્દ ન્યુઝ, આણંદ  આણંદમા સોમવારે આણંદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સિલર ઇન્દિરાબેન પરમાર દ્વારા જણાવાયું છે કે આણંદ જિલ્લાના એક ગામના બહેન જેના લગ્ન ૨૪ વર્ષ  પહેલાં થયા હતા. શરૂઆત નું લગ્નજીવન ખુશહાલ સારું ચાલતું હતું. લગ્ન બાદ તેમની  જીંદગીમાં ત્રણ બાળકોનો જન્મ થયો હતો.  છેલ્લા કેટલાક સમયથી તેમના પતિ નાના મોટા ઝગડા કરતા બાળકો હોવાને કારણે અતિશય ત્રાસ સહન કરતા છેલ્લા બે માસથી બહેનને અતિશય શારીરિક માનસિક ત્રાસ આપતા અને તેમના પતિ કામ ધંધો કરતા નહી. બહેન નોકરી કરેં તો તેની કમાણીથી મોજ…

Read More

નવી શિક્ષણ નીતિના અમલીકરણથી ભારતની જ્ઞાનની ગૌરવપૂર્ણ પરંપરાનું પુનરોત્થાન થયું છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

હિન્દ ન્યુઝ, વડોદરા વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીના ૭૨માં પદવિદાન સમારોહમાં મુખ્યમંત્રી હસ્તે કુલ ૩૪૫ સુવર્ણપદકો કરાયા એનાયત ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ ડો. ડી. વાય. ચંદ્રચૂડે વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને દીક્ષાંત પ્રવચન આપ્યું : મુખ્યમંત્રી રાજ્યના બજેટમાં શિક્ષણ માટે આર્થિક જોગવાઇમાં ૨૬ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૫૫૧૧૪ કરોડ ફાળવવામાં આવ્યા છે વિકસિત રાષ્ટ્રના નિર્માણ માટે યુવાશક્તિના ઘડતર અને અભ્યુદયથી યુનિવર્સિટીઓ મહત્વનું યોગદાન આપી રહી છે કૌશલ્યવાન યુવાશક્તિના કૌવતથી વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના નિર્માણ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે યુનિવર્સિટીમાંથી મેળવેલા જ્ઞાન થકી છાત્રો સમસ્યાઓના સમાધાન શોધવા, રોજગારીના સર્જનમાં મદદરૂપ બને એ…

Read More