આણંદ ખાતે રૂ. ૧૬૩.૯૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર જિલ્લાકક્ષાની સિવિલ હોસ્પિટલનું રાજકોટથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કરાયું 

હિન્દ ન્યુઝ, આનંદ       આણંદમાં રવિવારે રાજકોટ શહેરમાં રેસકોર્ષ મેદાન ખાતે આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ગુજરાતના અનેક વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ  કરવામાં આવ્યું. જેમાં આણંદમાં રૂ. ૧૬૩.૯૦ કરોડના ખર્ચે નિર્માણ પામનારી  જિલ્લા કક્ષાની આધુનિક સુવિધાઓ વાળી સિવિલ હોસ્પિટલ અને આયુર્વેદિક હોસ્પિટલનું વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.  આણંદ ખાતે સંસદસભ્ય મિતેશભાઇ પટેલ, ધારાસભ્યો અને કલેકટરએ  નિમૉણ પામનાર જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલની જગ્યા ખાતે પૂજા અર્ચના કરી હતી.  સંસદસભ્ય મિતેષભાઇ પટેલ અને સવૅ ધારાસભ્યોએ આણંદ ખાતે સિવિલ હોસ્પિટલ બનવાથી આણંદ જિલ્લાની જનતાને ફાયદો થશે તેમ જણાવી વડાપ્રધાન…

Read More