રસ્તાના નિર્માણ થકી આકસ્મિક સંજોગોમાં જામનગર શહેર સુધી પહોંચવું ગ્રામજનો માટે સરળ બનશે- વસીમભાઈ ખીરા, સરપંચ કનસુમરા

હિન્દ ન્યુઝ, જામનગર

કનસુમરા ગામના સરપંચ વસીમભાઈ ખીરાએ જણાવ્યું હતું કે આ રસ્તાનું મજબુતીકરણ થવાથી કનસુમરા તથા મસીતીયા ગામના લોકો તથા કનસુમરા વિસ્તારમાં ઔધોગિક વસાહતનો વિકાસ ખુબ જ સારા પ્રમાણમાં થશે તેમજ ચોમાસા તથા આકસ્મિક સંજોગોમાં તાત્કાલીક જામનગર શહેર સાથે ખુબ જ સરળતાથી વાહન વ્યહવાર શક્ય બનશે. આ રસ્તો જ્યારે ન હતો ત્યારે ગ્રામજનોએ અનેકવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો જેમાંથી હવે સૌને મુક્તિ મળી છે. અમારી માંગણી સ્વીકારી આ કામ પરિપૂર્ણ કરવા બદલ સૌ ગ્રામજનો વતી અમે રાજ્ય સરકરનો આભાર વ્યક્ત કરીએ છીએ.

Related posts

Leave a Comment