કોડીનાર તાલુકામાં ધાર્મિક સ્થળો પર કરવામાં આવી સફાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ        સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા અભિયાનને જનપ્રતિસાદ સાંપડી રહ્યો છે ત્યારે રાજ્યના આ ચાર પખવાડીયાના મહા સ્વચ્છતા અભિયાનમાં બીજા રવિવારે ગીર સોમનાથ જિલ્લામાં પણ સ્વચ્છતા કેલેન્ડર મુજબ ધાર્મિક અને પ્રવાસન સ્થળોની સાફ સફાઈ કરવામાં આવી હતી. “સ્વચ્છતા હી સેવા” સફાઇ અભિયાન હેઠળ બીજા રવિવારે થીમ આધારિત સફાઈ અંતર્ગત કોડીનાર નગરપાલિકાના શહેરમાં આવેલ વિરાટનગર હનુમાનજી મંદિર તથા શહેરના મેઇન રસ્તાઓની સફાઇ સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં કોડીનાર શહેરના સફાઇ કર્મચારીઓ દ્વારા સ્વચ્છતા ઝૂંબેશની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Read More

તાલાલામાં પરશુરામ ચોક, GVP પોઇન્ટ, સહિતના વિસ્તારની સાફ સફાઈ કરાઈ

હિન્દ ન્યુઝ, ગીર રસોમનાથ રાષ્ટ્રવ્યાપી “સ્વચ્છતા હી સેવા” કેમ્પેઇન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં સફાઇ અભિયાન વેગવંતુ બની રહ્યુ છે. ત્યારે “સ્વચ્છતા હિ સેવા” સ્વચ્છતા ઝૂંબેશ હેઠળ વિવિધ સ્થળોની સાફ સફાઇ એક અભિયાન રૂપે કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે તાલાલામાં શહેરના એન્ટ્રી પોઈન્ટ ,પરશુરામચોક,GVP પોઇન્ટ, સહિતના વિસ્તારની સાફ સફાઈ કરવામાં આવી હતી. સ્વચ્છતા હી સેવા કેમ્પેઇન અંતર્ગત તાલાલા નગરપાલિકા દ્વારા શહેરમાં આવેલ તમામ GVP પોઇન્ટની સાફ સફાઈ કરવામાં આવી અને કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો તેમજ દવા છટકાવ કરવામાં આવ્યો હતો.અને તાલાલા શહેરમાં રાત્રી સફાઇમાં શહેરના એન્ટ્રી પોઈન્ટ પરશુરામ ચોક…

Read More

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત મ્યુઝિયમમાં કરવામાં આવી સફાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ એટલે કે જ્યાં સ્વચ્છતા છે ત્યાં પ્રભુનો વાસ છે. વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદીની આગેવાની તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા અભિયાન અંતર્ગત દેવાધિદેવ મહાદેવ જ્યાં બિરાજમાન છે એવા પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથની ભૂમિમાં આવેલા અને યાત્રિકોને સાંસ્કૃતિક વારસાથી માહિતગાર કરતા મ્યુઝિયમની સફાઈ કરવામાં આવી હતી. સોમનાથ ટ્રસ્ટના ટૂરિસ્ટ ફેસેલિટી સેન્ટર ખાતે આવેલા મ્યૂઝિયમ સહ પ્રદર્શન કેન્દ્રમાં સોમનાથનો ભવ્ય ઈતિહાસ ઉજાગર કરતા ઐતિહાસિક સ્તંભથી લઈ પુરાતન પ્રતિમાઓ દર્શાવવામાં આવેલ છે. અહીં આવતા યાત્રિકો આ તમામ સ્થાપત્ય નિહાળી…

Read More

ભાવનગર જિલ્લામાં દિવાળીનાં તહેવાર દરમ્યાન ફટાકડા ફોડવા બાબતે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર     નામદાર સુપ્રીમ કાર્ટ દ્વારા ફટાકડા ફોડવા સંબંધમાં કેટલીક સ્પષ્ટ સૂચનાઓ અને માર્ગદર્શિકાઓ આપવામાં આવેલી છે. જેથી દિવાળીના તહેવાર તથા અન્ય તહેવારો નિમિત્તે જાહેર જનતાને હાનિકારક પર્યાવરણ તથા ધ્વનિ પ્રદૂષણની વિપરિત અસરથી બચાવવા ફટાકડાના ઉત્પાદન, વેચાણ તથા ફટાકડા ફોડવા બાબતે દિશા નિર્દેશો જાહેર કર્યો છે. તેના અમલીકરણ માટે તથા દિવાળીના તહેવારો દરમ્યાન ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગ, અકસ્માત બનાવો ન બને અને જાહેર જનતાની સલામતી માટે તથા જાહેર જનતાને અગવડ ન પડે તે માટે ભાવનગર જિલ્લામાં ફટાકડા ખરીદ, વેચાણ તથા ઉપયોગ પર નિયંત્રણ મૂકવું જરૂરી જણાતાં ભાવનગર…

Read More

ભાવનગર મહાનગરપાલિકાની હદમાં વૃક્ષ કાપવાની મંજૂરી લેવી પડશે

હિન્દ ન્યુઝ, ભાવનગર      ભાવનગર શહેરના નગરજનોને જણાવવાનું કે આપણું શહેર એ ગુજરાતના અગ્ર હરોળના હરિયાળા શહેરો પૈકીનું એક છે. આપણું શહેર કાયમને માટે હરિયાળું રહે તે આપણી સૌની જવાબદારી છે. જેથી ભાવનગર શહેરના રહીશોને તથા તમામ લોકોને માલિકીની કોઈ પણ મિલકતમાં કોઈ પણ કારણસર વૃક્ષને અંશત કે સંપૂર્ણપણે કપાવવાની જરૂરિયાત ઊભી થાય તો સૌપ્રથમ તે માટે ભાવનગર મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગને વૃક્ષ કાપવાના કારણો સહિત ફોટોગ્રાફ સાથે અરજી કરવાની રહેશે.  આ અરજીને ધ્યાને લઈ તેની સ્થળ તપાસ કરવામાં આવશે અને યોગ્ય જણાશે તો કમિશનર સમક્ષ સમગ્ર પ્રકરણ રજૂ કરી…

Read More

જિલ્લા કલેક્ટર આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર         જિલ્લા કલેક્ટર આર.કે.મહેતાનાં અધ્યક્ષ સ્થાને આજે ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક કલેકટર કચેરીના આયોજન હોલ ખાતે મળી હતી.  ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં રજૂ થયેલા વિવિધ મુદ્દાઓ અંગે કલેક્ટર આર.કે.મહેતાએ સંબંધિત અધિકારીઓને સૂચનો આપ્યા હતા.  ભાવનગરની કલેક્ટર કચેરીમાં આયોજન ખંડમાં યોજાયેલી જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જીલોવા, નાયબ વન સંરક્ષક સાદીક મુંજાવર, નિવાસી અધિક કલેક્ટર બી.જે.પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરૂ, પ્રાંત અધિકારીઓ સહિતનાં જિલ્લા- તાલુકાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Read More

હળવા મોટર વાહન માટેની નોન ટ્રાન્સપોર્ટ સીરીઝ “GJ-04-EJ અંગેની ટેકનિકલ ખામી અર્થે માર્ગદર્શિકા જાહેર કરાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર      આર.ટી.ઓ કચેરી ભાવનગર દ્વારા વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, હળવા મોટર વાહન (ફોર વ્હીલર- Pvt. LMV CAR) માટેની નોન ટ્રાન્સપોર્ટ સીરીઝ “GJ-04-EJ 0001 થી 9999 માટેની નવી સીરીઝના ઈ- ઓક્શનની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. જેમાં ઈ- ઓક્શન માટે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો તા.૨૭/૧૦/૨૦૨૩ થી તા.૦૨/૧૧/૨૦૨૩ સુધી નિર્ધારીત કરવામાં આવેલ હતો. પરંતુ ઓનલાઈન ટેકનિકલ ખામીને કારણે સદર ઈ-ઓકશનમાં હાલમાં પ્રવર્તમાન શરૂ હોય તે સીરીઝનાં રી-ઓક્શનની સાથે સાથે અરજદાર ઓનલાઈન અરજી કરેલ હોય તે બાબત અત્રેની કચેરીને જાણવામાં આવેલ છે. જે બાબતે જાહેર જનતાને જણાવવામાં…

Read More

આર.ટી.ઓ. કચેરી દ્વારા પ્રાઇવેટ દ્રીચક્રી મોટરવાહનની નવી સીરીઝ માટે અરજીઓ મંગાવાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર         આર.ટી.ઓ કચેરી ભાવનગર દ્વારા પ્રાઇવેટ દ્રીચક્રી મોટરવાહન માટેની નવી સીરીઝ GJ-04-EK 0001 થી 9999 ની ઈ-ઓક્શન પ્રક્રીયા હાથ ધરવામાં આવશે. જેમાં તા.૨૮-૧૦-૨૦૨૩ થી તા.૦૩-૧૧-૨૦૨૩ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. આ પ્રક્રીયામાં તા.૦૩-૧૧-૨૦૨૩ થી તા.૦૫-૧૧-૨૦૨૩ સુધી બિડીંગ કરવાનો સમયગાળો રહેશે. વધુ વિગતો તેમજ માહિતી માટે આર.ટી.ઓ.કચેરી, ભાવનગરનો સંપર્ક કરવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ભાવનગરની યાદીમાં જણાવવામા આવ્યુ છે.

Read More

ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર રસોમનાથ       ગીર સોમનાથ જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયાની અધ્યક્ષતામાં ઈણાજ કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં કલેક્ટર દ્વારા જનપ્રતિનિધિઓના લોકપ્રશ્નો અંગે જરૂરી ચર્ચા કરી અને સંબંધિત વિભાગના શીર્ષ અધિકારીઓને ઝડપી અને સુનિયોજીત ઉકેલ લાવવા સૂચના આપવામાં આવી હતી.  સંકલન મિટિંગમાં ધારાસભ્ય સર્વે ભગવાનભાઈ બારડ, કાળુભાઈ રાઠોડ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર અને જનપ્રતિનિધિઓ દ્વારા સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ઉના, રોગી કલ્યાણ સમિતિની ફાળવેલ ગ્રાન્ટ તથા ખર્ચની વિગતો, વન્યપ્રાણીઓ દ્વારા મૃત્યુ પામેલ વ્યક્તિને સહાય તેમજ પેટા આરોગ્ય કેન્દ્ર બનાવવાની…

Read More

ભાવનગર જિલ્લો પાલીતાણા સરકારી કોલેજ ખાતે ટીબી જાગૃતિ કાર્યક્રમ યોજાયો

“સ્વચ્છતા હી સેવા” હિન્દ ન્યુઝ, ભાવનગર  પાલીતાણા ખાતે આવેલ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે સપ્તધારા સામુદાયિક સેવા પ્રકલ્પ તેમજ સર માનસિંહજી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે કોલેજમાં ટીબી જાગૃતિના સંદર્ભે વક્તવ્ય અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં પાલીતાણા સરકારી હોસ્પિટલના ડો. કે.સી ભટ્ટ અને ડો. પંડ્યા દ્વારા ટીબી રોગ અંગે વિદ્યાર્થીઓને માહિતી આપી જાગૃત કરવામાં આવ્યા હતા. જેમાં અલગ અલગ વિષય પર વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં કોલેજના આચાર્ય ડો. સુનીતા નિમાવત દ્વારા કાર્યક્રમને અનુરૂપ ઉદ્બોધન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રથમ ક્રમાંક સહિતના ક્રમાંક આપી વિદ્યાર્થીઓને ઇનામ…

Read More