કોડીનાર તાલુકામાં ધાર્મિક સ્થળો પર કરવામાં આવી સફાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

       સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા અભિયાનને જનપ્રતિસાદ સાંપડી રહ્યો છે ત્યારે રાજ્યના આ ચાર પખવાડીયાના મહા સ્વચ્છતા અભિયાનમાં બીજા રવિવારે ગીર સોમનાથ જિલ્લામાં પણ સ્વચ્છતા કેલેન્ડર મુજબ ધાર્મિક અને પ્રવાસન સ્થળોની સાફ સફાઈ કરવામાં આવી હતી.

સ્વચ્છતા હી સેવા” સફાઇ અભિયાન હેઠળ બીજા રવિવારે થીમ આધારિત સફાઈ અંતર્ગત કોડીનાર નગરપાલિકાના શહેરમાં આવેલ વિરાટનગર હનુમાનજી મંદિર તથા શહેરના મેઇન રસ્તાઓની સફાઇ સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં કોડીનાર શહેરના સફાઇ કર્મચારીઓ દ્વારા સ્વચ્છતા ઝૂંબેશની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Related posts

Leave a Comment