ઉના તાલુકામાં દરિયાકિનારે તેમજ ધાર્મિક સ્થળોએ થઈ સ્વચ્છતા ઝૂંબેશ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

   સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકાઓ ગ્રામ્યસ્તરે પણ સ્વચ્છતા હી સેવા અભિયાનમાં પોતાની સહભાગીદારી નોંધાવી રહ્યાં છે ત્યારે ઉના તાલુકાના ધાર્મિક સ્થળોએ તેમજ દરિયાકિનારે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવેલ હતું.

સ્વચ્છતા હી સેવા અન્વયે બીજા રવિવારે થીમ આધારિત સફાઈ અંતર્ગત ઉના તાલુકાના ગુપ્ત પ્રયાગ ધાર્મિક સ્થળે ગ્રામ્ય અને શહેરના સંયુક્ત ઉપક્રમે સાફ સફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત ઉના તાલુકાના નલિયા માંડવી દરિયા કિનારે પણ સ્વચ્છતા અભિયાન અંતર્ગત પ્લાસ્ટિકની નકામી બોટલો સહિત કાગળના ડૂચાઓ, લાકડાના નકામા કટકા, થર્મોકોલ સહિતનો કચરો એકત્રિત કરી અને સાફ સફાઈ કરવામાં આવી હતી.

 

Related posts

Leave a Comment