ક્રિષ્ના નવરાત્રી મહોત્સવ કાલાવડ ખાતે બજરંગ દળ – કાલાવડ પ્રખંડ દ્વારા શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, કાલાવડ

       જામનગર જિલ્લાના કાલાવડ ખાતે “ક્રિષ્ના નવરાત્રી મહોત્સવ” માં બજરંગ દળ – કાલાવડ પ્રખંડ દ્વારા શસ્ત્ર પૂજન કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું. આ શસ્ત્ર પૂજન કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ કાલાવડ પ્રખંડ સહમંત્રી હિમાંશુ જાની દ્વારા પૂજન અને મંત્રોચ્ચાર સાથે દીપ પ્રાગટ્ય બાદ શસ્ત્ર પૂજન કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ. જેમાં 35 થી વધુ બજરંગીઓ દ્વારા શસ્ત્રોનું વિધિવત રીતે પૂજન કરવામાં આવ્યું હતું.

 

      બજરંગ દળ – કાલાવડ પ્રખંડ દ્વારા ક્રિષ્ના નવરાત્રી મહોત્સવમાં યોજવામાં આવેલ આ શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ જામનગર જિલ્લા અધ્યક્ષ લક્ષ્મણભાઈ ફળદુ, વી.એચ.પી. કાલાવડ પ્રખંડ પ્રમુખ રમેશભાઈ દોંગા, બજરંગ દળ કાલાવડ પ્રખંડ સંયોજક અનિલભાઈ ગોહેલ, બજરંગ દળ કાલાવડ પ્રખંડ સહ – સંયોજક સચિનભાઈ આશરા, વિશ્વ હિન્દુ પરિષદ કાલાવડ મંત્રી જેન્તીભાઈ કમાણી, હિન્દ રક્ષક સંઘ નાં રાષ્ટ્રીય સચિવ રીતેશભાઈ પટેલ તેમજ 35 થી વધુ બજરંગી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

બજરંગ દળ કાલાવડ પ્રખંડ દ્વારા એક નવતર પહેલ રૂપે હિન્દુત્વ અને રાષ્ટ્રની રક્ષા માટે ક્રિષ્ના નવરાત્રી મહોત્સવમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતા તેમજ વેલ ડ્રેસ વિજેતા ને પુરસ્કાર રૂપે તલવાર ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ વિજેતાને હિન્દ રક્ષક સંઘનાં રાષ્ટ્રીય સચિવ રિતેશભાઈ પટેલ દ્વારા પુરસ્કાર રૂપે તલવાર ભેટ આપવામાં આવી હતી. દ્વિતીય વિજેતાને અનિલભાઈ ગોહેલ દ્વારા, તૃતીય વિજેતા ને સચિનભાઈ આશરા દ્વારા અને વેલ ડ્રેસ નાં વિજેતા ને કૈલાસભાઈ પરમાર દ્વારા તલવાર ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

કાલાવડ ખાતે ક્રિષ્ના નવરાત્રી મહોત્સવમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેવા હેતુથી ‘બજરંગ દળ – કાલાવડ પ્રખંડ’ ના કાર્યકરો અને ‘હિન્દ રક્ષક સંઘ’ દ્વારા ખડે પગે સેવા બજાવી રહ્યા હોવાનું એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.

Related posts

Leave a Comment