હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ચાલુ શૈક્ષણીક વર્ષ ૨૦૨૩-૨૪ માટે સુત્રાપાડા તાલુકામાં બોસન, રંગપુર, લોઢવા, સોલાજ, સુત્રાપાડા પ્રાથમીક શાળા તેમજ સીમશાળામાં વ્યવસ્થાપક (સંચાલક)ની પ્રા.શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનાનાં કેન્દ્રો માટે તદન હંગામી ધોરણે ખંડ સામે માટે અને ગમે ત્યારે વગર નોટિસે છૂટા કરવાની શરતે વ્યવસ્થાપક (સંચાલક)ની જગ્યા ઉપર નિમણૂક માટે રસ ધરાવતી વ્યક્તિઓએ મામલતદાર કચેરી-સુત્રાપાડા ખાતે તા.૨૮/૦૫/૨૦૨૩ના ૧૬:૦૦ કલાક સુધીમાં નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. અરજીનો નમૂનો મામલતદાર કચેરી, સુત્રાપાડા મધ્યાહન ભોજન યોજના શાખા રૂમ નં.૬ માંથી મળી રહેશે.(રજાના દિવસો સિવાય) અરજીમાં તમામ વિગતો તથા જે શાળા/કેન્દ્ર…
Read MoreMonth: May 2023
ગીર સોમનાથમાં ઈણાજ ખાતે ગુજરાત રોડ સેફ્ટી કાઉન્સિલ અંતર્ગત મિટિંગ યોજાઈ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ અધિક કલેક્ટર બી.વી.લિંબાસિયાના અધ્યક્ષસ્થાને ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના અધિકારી મેહુલ ગજ્જર અને ડાભીની ઉપસ્થિતિમાં જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. આ મિટિંગમાં ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના અધિકારીઓ તેમજ સૌરાષ્ટ્ર રિજનલ એન્ફોર્સમેન્ટ ઓફિસર્સ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આ બેઠકમાં સભ્યસચિવ એ.આર.ટી.ઓ સરવૈયાએ ગત બે માસમાં જિલ્લાઓમાં થયેલ તમામ પ્રાણઘાતક અકસ્માતો અને આવા અકસ્માતો નિવારવા અંગે ચર્ચા તેમજ જાહેર માર્ગ પર ઉભા થતાં વર્ક ઝોન પર રોડ એજન્સીએ ‘વર્ક ઝોન મેનેજમેન્ટ પ્લાન’ બનાવી જિલ્લા રોડ સેફ્ટી પાસે મંજૂર કરવાના ગુજરાત રોડ સેફ્ટી…
Read Moreવેરાવળની સરકારી વિજ્ઞાન કોલેજ ટી.વાય બી.એસસીનું ૧૦૦% ઝળહળતું પરિણામ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ સંલગ્ન સરકારી વિજ્ઞાન કોલેજ, વેરાવળના ટી.વાય.બી.એસસીનાં વિધાર્થીઓનું યુનિવર્સિટી દ્વારા તા.૨૦/૦૫/૨૦૨૩ નાં રોજ પરિણામ જાહેર થયેલ છે. જેમાં રસાયણ શાસ્ત્ર વિષયનાં કુલ ૪૩ વિધાર્થીઓ તથા પ્રાણીશાસ્ત્ર વિષયના કુલ ૨૧ વિધાર્થીઓ એમ તમામ વિધાર્થીઓ ઉત્તિર્ણ થતા વિજ્ઞાન કોલેજનાં ટી.વાય.બી.એસસીનુ ૧૦૦% ઝળહળતું પરિણામ આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે ટી.વાય.બી.એસ.સી કુલ પરિક્ષાર્થીઓ પૈકી ચાર વિધાર્થીઓએ પ્રથમ વર્ગ મેળવેલ છે જ્યારે અન્ય તમામ વિધાર્થીઓએ ડીસ્ટીકશન પ્રાપ્ત કરેલ છે.જેમાં રસાયણશાસ્ત્રમાં પ્રથમ ક્રમાંકે દોડેજા શાલીનીદેવી(૯૫%), દ્વિતીય ક્રમાંકે વાણવી શિવાલી (૯૪%) અને તૃતીય ક્રમાંકે મકવાણા હીના (૯૩%)…
Read Moreઆટકોટની કે.ડી.પરવાડીયા હોસ્પિટલમાં 26 વર્ષીય યુવતીના પેટમાંથી 10કિલોની ગાંઠનું સફળતા પુર્વક ઇમરજન્સીમાં ઓપરેશન કરાયું
હિન્દ ન્યુઝ, જસદણ કે.ડી. પરવાડિયા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં 26 વર્ષની યુવતીને છેલ્લા 6 મહિનાથી પેટમાં ગાંઠ હોવાના લીધે પીડાહતી. પરંતુ ઘણી હોસ્પિટલમાં તપાસ કરાવી બાદ જટિલ ઓપરેશન હોવાથી રાજકોટ કે અમદાવાદ જવા સલાહ આપેલી. ત્યાર બાદ દર્દી આ હોસ્પિટલ સારવાર માટે આવેલ. જરૂરિયાતના રિપોર્ટ બાદ આટકોટની કે.ડી.પરવાડિયા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલના MS સર્જન ડોક્ટર જેમીન ક્લોલા તેમની ટીમ તેમજ એનેસ્થેટીક ડો. જયદીપ સંઘાણી તેમજ હોસ્પિટલનાં એડમિનિસ્ટ્રેટર એવી ઉર્જા સંગ્રહ ડો.નવનીત બોદર તેમના આસિસ્ટન્ટની મદદથી આયુષ્માન ભારત યોજના હેઠળ યુવતીનું ઓપશન અતિ આધુનિક સાધનો ની મદદથી સફળતા…
Read Moreભાવનગરમાં સમરસ કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓની ક્રિકેટ ટુર્નામેન્ટમાં “સમરસ વોરિયર્સ ટીમ” વિજેતા
હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી ગાંધીનગર હસ્તકની સમરસ કુમાર છાત્રાલય ભાવનગરમાં “પેડેક ગ્રાઉન્ડ” ખાતે “ક્રિકેટ ટુર્નામેન્ટ”નું એમ.કે.યુનિ. કેમ્પસમાં આયોજન કરવામાં આવેલ હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં (૧)સમરસ ફિનિક્સ (૨)સમરસ ઇગલ (૩)સમરસ વોરિયર્સ (૪)સમરસ સ્ટ્રાઇક્ર્સ આમ કુલ ચાર ટીમો ભાગ લીધો હતો. જેમાં સમરસ વોરિયર્સ અને સમરસ સ્ટ્રાઇક્ર્સ વિજેતા બનતા બંને ટીમની વચ્ચે ફાઇનલ મેચ યોજાઇ હતી. ગાઈનલ મેચમાં સમરસ વોરિયર્સ ટીમ ફાઇનલ મેચમાં સામેની ટીમને ૩૭ રનથી હરાવી વિજેતા બની હતી. જેમાં વિજેતા ટીમના ખેલાડી બળવંત બારૈયા ને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. સમરસ કુમાર છાત્રાલય…
Read Moreરાજ્યકક્ષાના મંત્રી પરષોત્તમભાઈ સોલંકીના જન્મદિવસે તા. ૨૩ મે ના રોજ જાંબાળા ગામે લોકડાયરાનું આયોજન
હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્યકક્ષાના મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રી પરષોત્તમભાઈ સોલંકીના જન્મદિવસે તા. ૨૩ મે ના રોજ શિહોરના જાંબાળા ગામે લોકડાયરો યોજાશે. આ તકે તા. ૨૩/૫/૨૩ ના રોજ મંત્રી પરષોત્તમભાઈ સોલંકીના ૬૩ માં જન્મદિવસની ઉજવણી નિમિત્તે ભવ્ય રંગ કસુંબલ લોકડાયરાનું આયોજન મંગળવારે રાત્રિના ૮ વાગ્યે કરવામાં આવ્યું છે. આ લોક ડાયરામાં અનેક કલાકારો રમઝટ બોલાવશે તો સાથોસાથ સંસદ સભ્ય અને ધારાસભ્યઓ તેમજ રાજકીય સામાજીક આગેવાનો સહિત મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહેશે.
Read Moreભાવનગર જિલ્લા માહિતી કચેરી ખાતે “કારકિર્દી માર્ગદર્શન -૨૦૨૩” ઉપલબ્ધ
હિન્દ ન્યુઝ, ભાવનગર ઘો-૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને પોતાની કારકિર્દી વિશે યોગ્ય માર્ગદર્શન મળી રહે અને આગળ અભ્યાસર્થે પોતાના અનુરૂપ યોગ્ય દિશા પસંદ કરી શકે તે બાબતે મદદરૂપ થતું અતિ ઉપયોગી પુસ્તક “કારકિર્દી માર્ગદર્શન-૨૦૨૩” ભાવનગર જિલ્લા માહિતી કચેરી ખાતે વેચાણ અર્થે ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળી રહે તે માટે જરૂરી કારકિર્દી માર્ગદર્શનને લગતું પુસ્તક અતિ ઉપયોગી છે વિદ્યાર્થીઓ ઉજ્જવળ કારકિર્દી બનાવી શકે તે માટે ખાસ તૈયાર કરવામાં આવેલા કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૩માં ઘોરણ-૧૦ અને ઘોરણ-૧૨ પછીના વિવિધ ક્ષેત્રોના અભ્યાસક્રમો, મોટીવેશનલ લેખોનો સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવેલો છે જેનો મહત્તમ વાલીઓ તથા…
Read Moreહાલ અમલમાં રહેલી એડવાન્સ વેરા વસૂલાત વળતર યોજના અને વનટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમનો લાભ લેવા લોકોને મેયર ડૉ. પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ અને મ્યુનિ. કમિશનર આનંદ પટેલનો અનુરોધ
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૦૨૪નો મિલકત વેરો તેમજ અગાઉનો બાકી વેરો સ્વીકારવામાં આવી રહ્યા છે. નિયમિત કરદાતાઓનાં લાભાર્થે એડવાન્સ મિલકત વેરા વાસૂલાત વળતર યોજનાનો અનેક લોકો લાભ લઇ રહ્યા છે, જ્યારે અગાઉનો બાકી વેરો ચૂકવવાનો બાકી છે તેવા કરદાતાઓ માટે બાકી વેરાની રકમ પર ચડતું વ્યાજ બંધ થઇ જાય તે પ્રકારના લાભ સાથેની વનટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ પણ અમલમાં છે અને તેમાં પણ અનેક લોકો લાભ લઇ રહ્યા છે. સાથોસાથ જે કરદાતાઓનો વેરો લાંબા સમયથી ચુકવવાનો છે તેઓ સામે નિયમ…
Read Moreશ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા TFC ભવન ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
હિન્દ ન્યુઝ, સોમનાથ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા જનસેવાના કાર્યો અવિરત પણ કરવામાં આવે છે. આવનાર યાત્રીઓ અને સ્થાનિકોને સ્વાસ્થય સેવાઓનો નિશુલ્ક લાભ મળે તેના માટે ટ્રસ્ટ નિયમિત રૂપે આરોગ્ય કેમ્પ યોજે છે. તા.21 ના રોજ શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે સોમનાથ ટ્રસ્ટના યાત્રી સુવિધા ભવન (TFC) ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. સવારે શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સાહેબ તેમજ કેમ્પમાં જોડાયેલી આરોગ્ય સંસ્થાઓના તબીબો દ્વારા દીપ પ્રાગટ્ય કરી મેડિકલ કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેનો કુલ 153…
Read Moreભાવનગરની સર ટી હોસ્પિટલમાં અમરનાથ યાત્રા મેડીકલ ફીટનેસ કેમ્પ તા. ૨૬ મે સુધી કાર્યરત રહેશે
હિન્દ ન્યુઝ, ભાવનગર વર્ષ ૨૦૨૩ મા અમરનાથ યાત્રા મા જવા માગતા તમામ શ્રધ્ધાળુ યાત્રીઓ માટે, ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પીટલ, ભાવનગર ખાતે તબીબી પ્રમાણપત્ર આપવા માટે રુમ નં-૧૭, ગ્રાઉન્ડ ફ્લોર, નવુ ઓપીડી બિલ્ડીંગ, સર તખ્તસિંહજી હોસ્પીટલ, ભાવનગર ખાતે સોમવાર થી શનીવાર ( જાહેર રજાના દિવસો સિવાય) બપોરે ૩.૦૦ કલાક થી ૫.૦૦ કલાક દરમ્યાન અલાયદી વ્યવસ્થા તા:-૦૧-૦૪-૨૦૨૩ થી કાર્યરત છે. હાલમાં અમરનાથ યાત્રાએ જવા માંગતા તમામ શ્રધ્ધાળુ યાત્રીઓની સંખ્યામા નોંધપાત્ર ધટાડો જોવા મળતા આ અલાયદી વ્યવસ્થા તા:-૨૬-૦૫-૨૦૨૩ સુધી કાર્યરત રહેશે, ત્યાર બાદ અમરનાથ યાત્રાએ જવા માંગતા બાકી રહેલ તમામ શ્રધ્ધાળુ યાત્રીઓએ તેમની…
Read More